મહિસાગરમાં કોથળામાંથી મળી આવેલી દીકરીના મોતનો ભેદ ઉકેલાયો! પોલીસે દબોચ્યો આરોપીને


  • Published By :
  • Published Date : 2023-04-01 19:26:50

થોડા દિવસ પહેલા મહિસાગરથી કોથળામાંથી એક છોકરીની લાશ મળી આવી હતી. ગુમ થયેલી ધોરણ 12માં ભણતી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

મોતને ભેટેલી વિદ્યાર્થીની ચંદ્રિકા પરમારની ફાઇલ તસવીર - Divya Bhaskar


મેળામાંથી ગુમ થયેલી છોકરીનો મળ્યો હતો મૃતદેહ 

સમગ્ર મામલાની વાત કરીએ તો પરિવારજનો સાથે ચંદ્રિકા પરમાર નામની દીકરી 18 માર્ચે પોતાના પરિવાર સાથે ખાનપુર નજીક મહી નદીના કાંઠે યોજાતા ઉરસના મેળામાં સામેલ થવા ગઈ હતી. કારંટા ગામે ઉરસના મેળામાંથી આ યુવતી ગુમ થઈ હતી. જે બાદ પરિવારજનોને દીકરી નહીં પરંતુ દીકરી લાશ મળી આવી હતી. 


વડોદરા સયાજી હોસ્પિટલમાં પરિવાર અને સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા


પોલીસને મળી મોટી સફળતા   

ખાનપુરના નાનાખાનપુર ગામની આ યુવતીની લાશ મળતા જ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોએ યુવતીની ઓળખ કરી લીધી છે. બાકોર પોલીસ ઉપરાંત ખાનપુર પોલીસ સહિત નાયબ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમાજમાં આ ઘટના બાદ ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે પણ તપાસ ચલાવી હતી. અને એના પરિણામ સ્વરૂપે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે