મહિસાગરમાં કોથળામાંથી મળી આવેલી દીકરીના મોતનો ભેદ ઉકેલાયો! પોલીસે દબોચ્યો આરોપીને


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-01 19:26:50

થોડા દિવસ પહેલા મહિસાગરથી કોથળામાંથી એક છોકરીની લાશ મળી આવી હતી. ગુમ થયેલી ધોરણ 12માં ભણતી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

મોતને ભેટેલી વિદ્યાર્થીની ચંદ્રિકા પરમારની ફાઇલ તસવીર - Divya Bhaskar


મેળામાંથી ગુમ થયેલી છોકરીનો મળ્યો હતો મૃતદેહ 

સમગ્ર મામલાની વાત કરીએ તો પરિવારજનો સાથે ચંદ્રિકા પરમાર નામની દીકરી 18 માર્ચે પોતાના પરિવાર સાથે ખાનપુર નજીક મહી નદીના કાંઠે યોજાતા ઉરસના મેળામાં સામેલ થવા ગઈ હતી. કારંટા ગામે ઉરસના મેળામાંથી આ યુવતી ગુમ થઈ હતી. જે બાદ પરિવારજનોને દીકરી નહીં પરંતુ દીકરી લાશ મળી આવી હતી. 


વડોદરા સયાજી હોસ્પિટલમાં પરિવાર અને સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા


પોલીસને મળી મોટી સફળતા   

ખાનપુરના નાનાખાનપુર ગામની આ યુવતીની લાશ મળતા જ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોએ યુવતીની ઓળખ કરી લીધી છે. બાકોર પોલીસ ઉપરાંત ખાનપુર પોલીસ સહિત નાયબ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમાજમાં આ ઘટના બાદ ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે પણ તપાસ ચલાવી હતી. અને એના પરિણામ સ્વરૂપે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.  



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.