મહિસાગરમાં કોથળામાંથી મળી આવેલી દીકરીના મોતનો ભેદ ઉકેલાયો! પોલીસે દબોચ્યો આરોપીને


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-01 19:26:50

થોડા દિવસ પહેલા મહિસાગરથી કોથળામાંથી એક છોકરીની લાશ મળી આવી હતી. ગુમ થયેલી ધોરણ 12માં ભણતી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

મોતને ભેટેલી વિદ્યાર્થીની ચંદ્રિકા પરમારની ફાઇલ તસવીર - Divya Bhaskar


મેળામાંથી ગુમ થયેલી છોકરીનો મળ્યો હતો મૃતદેહ 

સમગ્ર મામલાની વાત કરીએ તો પરિવારજનો સાથે ચંદ્રિકા પરમાર નામની દીકરી 18 માર્ચે પોતાના પરિવાર સાથે ખાનપુર નજીક મહી નદીના કાંઠે યોજાતા ઉરસના મેળામાં સામેલ થવા ગઈ હતી. કારંટા ગામે ઉરસના મેળામાંથી આ યુવતી ગુમ થઈ હતી. જે બાદ પરિવારજનોને દીકરી નહીં પરંતુ દીકરી લાશ મળી આવી હતી. 


વડોદરા સયાજી હોસ્પિટલમાં પરિવાર અને સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા


પોલીસને મળી મોટી સફળતા   

ખાનપુરના નાનાખાનપુર ગામની આ યુવતીની લાશ મળતા જ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોએ યુવતીની ઓળખ કરી લીધી છે. બાકોર પોલીસ ઉપરાંત ખાનપુર પોલીસ સહિત નાયબ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમાજમાં આ ઘટના બાદ ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે પણ તપાસ ચલાવી હતી. અને એના પરિણામ સ્વરૂપે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.  



અમરનાથ યાત્રાના રશ્મીનો પ્રારંભ થયો છે. જમ્મુ કશ્મિરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પહેલી પૂજાનો લ્હાવો લીધો હતો. મહત્વનું છે કે ગયા વર્ષે 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો

બ્રિટનના ટાવર ઓફ લંડનના એક્ઝિબિશનમાં આ વાત કહેવામાં આવી છે. પ્રદર્શનમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કોહિનૂર હીરો ભારતમાંથી લઈ ગયા હતા. મહારાજા દિલીપ સિંહને આ હીરો આપવા માટે મજબુર કરવામાં આવ્યા હતા.

પહેલવાનોના સમર્થનમાં અનેક રાજનેતાઓ આવ્યા છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ આ મામલે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. રાજકીય પાર્ટી આ મામલે આક્રામક દેખાઈ રહી છે. ત્યારે રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બિલે બ્રિજભૂષણ શરણ સિંહ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે.

લોકોમાં સાયકલના મહત્વને જીવંત કરવા યુનાઈટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ 3 જૂને વિશ્વ સાયકલ દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી હતી. સાયકલ ચલાવવાથી આરોગ્ય પણ સારૂ રહે છે તેમજ હવામાં પ્રદુષણ પણ ઓછું થાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે ઉપરાંત પાચનશક્તિ પણ સારી રહે છે. તે સિવાય પ્રદુષણ પણ ઓછું થાય છે. અને અકસ્માતોની સંખ્યા પણ ઓછી થાય. રાહદારીઓની સલામતી પણ સચવાઈ જાય.