મહિસાગરમાં કોથળામાંથી મળી આવેલી દીકરીના મોતનો ભેદ ઉકેલાયો! પોલીસે દબોચ્યો આરોપીને


  • Published By :
  • Published Date : 2023-04-01 19:26:50

થોડા દિવસ પહેલા મહિસાગરથી કોથળામાંથી એક છોકરીની લાશ મળી આવી હતી. ગુમ થયેલી ધોરણ 12માં ભણતી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

મોતને ભેટેલી વિદ્યાર્થીની ચંદ્રિકા પરમારની ફાઇલ તસવીર - Divya Bhaskar


મેળામાંથી ગુમ થયેલી છોકરીનો મળ્યો હતો મૃતદેહ 

સમગ્ર મામલાની વાત કરીએ તો પરિવારજનો સાથે ચંદ્રિકા પરમાર નામની દીકરી 18 માર્ચે પોતાના પરિવાર સાથે ખાનપુર નજીક મહી નદીના કાંઠે યોજાતા ઉરસના મેળામાં સામેલ થવા ગઈ હતી. કારંટા ગામે ઉરસના મેળામાંથી આ યુવતી ગુમ થઈ હતી. જે બાદ પરિવારજનોને દીકરી નહીં પરંતુ દીકરી લાશ મળી આવી હતી. 


વડોદરા સયાજી હોસ્પિટલમાં પરિવાર અને સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા


પોલીસને મળી મોટી સફળતા   

ખાનપુરના નાનાખાનપુર ગામની આ યુવતીની લાશ મળતા જ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા પરિવારજનોએ યુવતીની ઓળખ કરી લીધી છે. બાકોર પોલીસ ઉપરાંત ખાનપુર પોલીસ સહિત નાયબ જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સમાજમાં આ ઘટના બાદ ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસે પણ તપાસ ચલાવી હતી. અને એના પરિણામ સ્વરૂપે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.