વિશાલાથી નારોલ તરફ જતાં શાસ્ત્રીબ્રિજની હાલત જોતા લેવાયો નિર્ણય! બે મહિના માટે આ વાહનોના આવન-જાવન પર લાગ્યો પ્રતિબંધ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-09 12:48:52

રોડ રસ્તાની હાલત અંગે અનેક સમાચારો સામે આવતા હોય છે. તેમાં પણ રાજ્યના અનેક બ્રિજો એવા છે જેની હાલત અત્યંત દયનિય છે. અમદાવાદની સાબરમતી નદી પર વિશાલા સર્કલથી પીરાણા તરફ જવાના રસ્તા પર આવેલા શાસ્ત્રી બ્રિજને લઈ એક નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI હેઠળ આ હાઇવે રોડ આવતો હોવાથી તેઓ દ્વારા બ્રિજના રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. રિપેરિંગ કામને લઈ 9 જૂનથી આગામી બે મહિના માટે વિશાલા સર્કલથી નારોલ તરફ જતાં ડાબી તરફના બ્રિજ પર ભારે વાહનોના અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  


રાજ્યના બ્રિજોનું કરાયું હતું ઈન્સપેશક્શન!

રાજ્યના અનેક બ્રિજોની હાલત બિસ્માર છે. દિવાળી સમયે બનેલી મોરબી હોનારતમાં પુલ ધરાશાયી થયો હતો,જેમાં 130 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે તમામ બ્રિજોને ચકાસવાનો નિર્ણય લીધો હતો. થોડા દિવસો પહેલા બ્રિજ ઈન્સપેક્શનને લઈ ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે કુલ 35700 જેટલા બ્રિજોની તપાસ કરવામાં આવી છે. 


વિશાલા-પીરાણા બ્રિજ માટે લેવાયો નિર્ણય!

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 12 જેટલા બ્રિજની હાલત અતિબિસ્માર છે. બ્રિજને બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને જે બ્રિજોને રીપેરિંગની જરૂર છે તેમનું સમારકામ કરવામાં આવશે. અમદાવાદની સાબરમતી નદી પર વિશાલા સર્કલથી પીરાણા તરફ જવાના રસ્તા પર આવેલા શાસ્ત્રી બ્રિજને લઈ એક નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ 9 જૂનથી આગામી બે મહિના માટે વિશાલા સર્કલથી નારોલ તરફ જતાં ડાબી તરફના બ્રિજ પર ભારે વાહનોના અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.     

   

અટલ બ્રિજ પરના કાચને પણ કરાયા બંધ!

મહત્વનું છે કે કરોડોના ખર્ચે બનેલો અટલ ફૂટ બ્રિજ પણ થોડા સમય પહેલા ચર્ચામાં આવ્યો હતો. બ્રિજ પર રાખવામાં આવેલા કાચ પર તિરાડો દેખાઈ હતી. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા કાચની આજુબાજુમાં રેલિંગ કરવામાં આવી છે. આ નિર્ણયને લઈ લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી. અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી હતી. શાસ્ત્રી બ્રિજ પરથી બે મહિના દરમિયાન માત્ર 2 વ્હીલર, રિક્ષા તેમજ નાની ગાડીઓ જ પાસ થઈ શકશે. લોડિંગ ટેમ્પો, મીનિબસ તેમજ ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.