વિશાલાથી નારોલ તરફ જતાં શાસ્ત્રીબ્રિજની હાલત જોતા લેવાયો નિર્ણય! બે મહિના માટે આ વાહનોના આવન-જાવન પર લાગ્યો પ્રતિબંધ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-09 12:48:52

રોડ રસ્તાની હાલત અંગે અનેક સમાચારો સામે આવતા હોય છે. તેમાં પણ રાજ્યના અનેક બ્રિજો એવા છે જેની હાલત અત્યંત દયનિય છે. અમદાવાદની સાબરમતી નદી પર વિશાલા સર્કલથી પીરાણા તરફ જવાના રસ્તા પર આવેલા શાસ્ત્રી બ્રિજને લઈ એક નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI હેઠળ આ હાઇવે રોડ આવતો હોવાથી તેઓ દ્વારા બ્રિજના રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. રિપેરિંગ કામને લઈ 9 જૂનથી આગામી બે મહિના માટે વિશાલા સર્કલથી નારોલ તરફ જતાં ડાબી તરફના બ્રિજ પર ભારે વાહનોના અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  


રાજ્યના બ્રિજોનું કરાયું હતું ઈન્સપેશક્શન!

રાજ્યના અનેક બ્રિજોની હાલત બિસ્માર છે. દિવાળી સમયે બનેલી મોરબી હોનારતમાં પુલ ધરાશાયી થયો હતો,જેમાં 130 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે તમામ બ્રિજોને ચકાસવાનો નિર્ણય લીધો હતો. થોડા દિવસો પહેલા બ્રિજ ઈન્સપેક્શનને લઈ ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે કુલ 35700 જેટલા બ્રિજોની તપાસ કરવામાં આવી છે. 


વિશાલા-પીરાણા બ્રિજ માટે લેવાયો નિર્ણય!

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 12 જેટલા બ્રિજની હાલત અતિબિસ્માર છે. બ્રિજને બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને જે બ્રિજોને રીપેરિંગની જરૂર છે તેમનું સમારકામ કરવામાં આવશે. અમદાવાદની સાબરમતી નદી પર વિશાલા સર્કલથી પીરાણા તરફ જવાના રસ્તા પર આવેલા શાસ્ત્રી બ્રિજને લઈ એક નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ 9 જૂનથી આગામી બે મહિના માટે વિશાલા સર્કલથી નારોલ તરફ જતાં ડાબી તરફના બ્રિજ પર ભારે વાહનોના અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.     

   

અટલ બ્રિજ પરના કાચને પણ કરાયા બંધ!

મહત્વનું છે કે કરોડોના ખર્ચે બનેલો અટલ ફૂટ બ્રિજ પણ થોડા સમય પહેલા ચર્ચામાં આવ્યો હતો. બ્રિજ પર રાખવામાં આવેલા કાચ પર તિરાડો દેખાઈ હતી. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા કાચની આજુબાજુમાં રેલિંગ કરવામાં આવી છે. આ નિર્ણયને લઈ લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી. અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી હતી. શાસ્ત્રી બ્રિજ પરથી બે મહિના દરમિયાન માત્ર 2 વ્હીલર, રિક્ષા તેમજ નાની ગાડીઓ જ પાસ થઈ શકશે. લોડિંગ ટેમ્પો, મીનિબસ તેમજ ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.   



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.