વિશાલાથી નારોલ તરફ જતાં શાસ્ત્રીબ્રિજની હાલત જોતા લેવાયો નિર્ણય! બે મહિના માટે આ વાહનોના આવન-જાવન પર લાગ્યો પ્રતિબંધ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-09 12:48:52

રોડ રસ્તાની હાલત અંગે અનેક સમાચારો સામે આવતા હોય છે. તેમાં પણ રાજ્યના અનેક બ્રિજો એવા છે જેની હાલત અત્યંત દયનિય છે. અમદાવાદની સાબરમતી નદી પર વિશાલા સર્કલથી પીરાણા તરફ જવાના રસ્તા પર આવેલા શાસ્ત્રી બ્રિજને લઈ એક નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI હેઠળ આ હાઇવે રોડ આવતો હોવાથી તેઓ દ્વારા બ્રિજના રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. રિપેરિંગ કામને લઈ 9 જૂનથી આગામી બે મહિના માટે વિશાલા સર્કલથી નારોલ તરફ જતાં ડાબી તરફના બ્રિજ પર ભારે વાહનોના અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  


રાજ્યના બ્રિજોનું કરાયું હતું ઈન્સપેશક્શન!

રાજ્યના અનેક બ્રિજોની હાલત બિસ્માર છે. દિવાળી સમયે બનેલી મોરબી હોનારતમાં પુલ ધરાશાયી થયો હતો,જેમાં 130 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે આ વાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે તમામ બ્રિજોને ચકાસવાનો નિર્ણય લીધો હતો. થોડા દિવસો પહેલા બ્રિજ ઈન્સપેક્શનને લઈ ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે કુલ 35700 જેટલા બ્રિજોની તપાસ કરવામાં આવી છે. 


વિશાલા-પીરાણા બ્રિજ માટે લેવાયો નિર્ણય!

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 12 જેટલા બ્રિજની હાલત અતિબિસ્માર છે. બ્રિજને બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને જે બ્રિજોને રીપેરિંગની જરૂર છે તેમનું સમારકામ કરવામાં આવશે. અમદાવાદની સાબરમતી નદી પર વિશાલા સર્કલથી પીરાણા તરફ જવાના રસ્તા પર આવેલા શાસ્ત્રી બ્રિજને લઈ એક નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ 9 જૂનથી આગામી બે મહિના માટે વિશાલા સર્કલથી નારોલ તરફ જતાં ડાબી તરફના બ્રિજ પર ભારે વાહનોના અવર જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.     

   

અટલ બ્રિજ પરના કાચને પણ કરાયા બંધ!

મહત્વનું છે કે કરોડોના ખર્ચે બનેલો અટલ ફૂટ બ્રિજ પણ થોડા સમય પહેલા ચર્ચામાં આવ્યો હતો. બ્રિજ પર રાખવામાં આવેલા કાચ પર તિરાડો દેખાઈ હતી. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા કાચની આજુબાજુમાં રેલિંગ કરવામાં આવી છે. આ નિર્ણયને લઈ લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી. અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી હતી. શાસ્ત્રી બ્રિજ પરથી બે મહિના દરમિયાન માત્ર 2 વ્હીલર, રિક્ષા તેમજ નાની ગાડીઓ જ પાસ થઈ શકશે. લોડિંગ ટેમ્પો, મીનિબસ તેમજ ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.   



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?