Ahmedabad Westના બંને ઉમેદવારોને જમાવટની ટીમે કર્યો ફોન, જાણો શું છે દિનેશ મકવાણા અને ભરત મકવાણાનું વિઝન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-25 16:37:52

લોકશાહીના મહાપર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ... ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે... ચૂંટણી ક્યારે થશે તેની ઈતેઝારી અનેક લોકોને હોય છે... ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ એની રાહ મતદાતાઓ જોતા હોય છે કે ઉમેદવાર કોણ હશે... તે ઉપરાંત મતદાતાઓને એ પણ જાણવાની ઉત્સુક્તા હોય છે કે તેમના મતવિસ્તારના ઉમેદવાર કયા વિઝન સાથે નિકળ્યા છે? ક્યા મુદ્દાઓ પર તેઓ ધ્યાન આપવાના છે... ત્યારે જમાવટ જનતા વતી ઉમેદવારોને પૂછી રહી છે કે તે પોતાના મતવિસ્તારમાં આગામી પાંચ વર્ષ દરમિયાન કયા કામો કરશે?

અમદાવાદ પશ્ચિમના ઉમેદવારને કર્યો ફોન 

દર પાંચ વર્ષે મતદાતા પોતાના મતનો ઉપયોગ કરી કેન્દ્રમાં કોની સરકાર બનશે તે પસંદ કરતા હોય છે.. અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાતાઓ મત આપે છે. અનેક મુદ્દાઓ મતદાતાઓને અસર કરતા હોય છે. ત્યારે ઉમેદવારો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી આગામી પાંચ વર્ષ દરમિયાન કામ કરશે તે જાણવા માટે જમવાટની ટીમ અલગ અલગ બેઠકોના ઉમેદવારોને ફોન કરી રહી છે.. આ અંતર્ગત અમદાવાદ પશ્ચિમના ઉમેદવારને ફોન કરવામાં આવ્યો હતો..


જાણો શું છે બંને ઉમેદવારોનું વિઝન?

અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપે દિનેશ મકવાણાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે ભરત મકવાણાને ટિકીટ આપી છે.. દિનેશ મકવાણાને જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે પહેલી વખત જ્યારે તેમને ફોન કર્યો ત્યારે તેમણે કોઈ જવાબ ના આપ્યો.. પરંતુ જ્યારે બીજી વખત તેમને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેમની પાર્ટીએ જવાબ આપવાની ના પાડી દીધી છે....  જ્યારે કોંગ્રેસના ઉમેદવારને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેઓ પાણી, શિક્ષણ,આરોગ્ય અને Infrastructureને સુધારવાનો પ્રયાસ પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન કરશે.. બેરોજગારી ઓછી કરવા માટે તેઓ પ્રયત્ન કરશે..        



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો