Ahmedabad Westના બંને ઉમેદવારોને જમાવટની ટીમે કર્યો ફોન, જાણો શું છે દિનેશ મકવાણા અને ભરત મકવાણાનું વિઝન?


  • Published By :
  • Published Date : 2024-04-25 16:37:52

લોકશાહીના મહાપર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ... ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે... ચૂંટણી ક્યારે થશે તેની ઈતેઝારી અનેક લોકોને હોય છે... ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ એની રાહ મતદાતાઓ જોતા હોય છે કે ઉમેદવાર કોણ હશે... તે ઉપરાંત મતદાતાઓને એ પણ જાણવાની ઉત્સુક્તા હોય છે કે તેમના મતવિસ્તારના ઉમેદવાર કયા વિઝન સાથે નિકળ્યા છે? ક્યા મુદ્દાઓ પર તેઓ ધ્યાન આપવાના છે... ત્યારે જમાવટ જનતા વતી ઉમેદવારોને પૂછી રહી છે કે તે પોતાના મતવિસ્તારમાં આગામી પાંચ વર્ષ દરમિયાન કયા કામો કરશે?

અમદાવાદ પશ્ચિમના ઉમેદવારને કર્યો ફોન 

દર પાંચ વર્ષે મતદાતા પોતાના મતનો ઉપયોગ કરી કેન્દ્રમાં કોની સરકાર બનશે તે પસંદ કરતા હોય છે.. અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાતાઓ મત આપે છે. અનેક મુદ્દાઓ મતદાતાઓને અસર કરતા હોય છે. ત્યારે ઉમેદવારો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી આગામી પાંચ વર્ષ દરમિયાન કામ કરશે તે જાણવા માટે જમવાટની ટીમ અલગ અલગ બેઠકોના ઉમેદવારોને ફોન કરી રહી છે.. આ અંતર્ગત અમદાવાદ પશ્ચિમના ઉમેદવારને ફોન કરવામાં આવ્યો હતો..


જાણો શું છે બંને ઉમેદવારોનું વિઝન?

અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપે દિનેશ મકવાણાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે ભરત મકવાણાને ટિકીટ આપી છે.. દિનેશ મકવાણાને જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે પહેલી વખત જ્યારે તેમને ફોન કર્યો ત્યારે તેમણે કોઈ જવાબ ના આપ્યો.. પરંતુ જ્યારે બીજી વખત તેમને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેમની પાર્ટીએ જવાબ આપવાની ના પાડી દીધી છે....  જ્યારે કોંગ્રેસના ઉમેદવારને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેઓ પાણી, શિક્ષણ,આરોગ્ય અને Infrastructureને સુધારવાનો પ્રયાસ પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન કરશે.. બેરોજગારી ઓછી કરવા માટે તેઓ પ્રયત્ન કરશે..        



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે