લશ્કરે -એ-તૈયબાનો આતંકી સૈફુલ્લા ખાલિદ પાકિસ્તાનમાં ઠાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-19 13:00:57

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો .  પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે. 

Saifullah Khalid killed in Pakistan Three big terror attacks in India  carried out by top Lashkar terrorist | World News – India TV

લશ્કરે તયબ્બાનો આતંકવાદી જેનું નામ છે અબુ સૈફુલ્લા ખાલિદ તેની પંજાબના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા હત્યા કરી દેવાઈ છે. અબુ સૈફુલ્લા ખાલિદ લશ્કરે તયબ્બાના વડા હાફિઝ સઈદનો ખાસ માણસ છે. આ સૈફુલ્લા ખાલિદ ૨૦૦૦ની સાલ પછી નેપાળથી ખુબ જ સક્રિય હતો . તે ભારતમાં થયેલા ઘણા બધા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો . સૈફુલ્લા ખાલિદ પર આ હુમલો પાકિસ્તાનના સિંધ પ્રાંતના તેના માટલી સ્થિત નિવાસસ્થાને થયો છે. ત્રણ અજાણ્યા હુમલાવરો દ્વારા હુમલો થયા પછી નજીકની હોસ્પિટલમાં લઈ જવાતા તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો છે. અબુ સૈફુલ્લા ખાલિદ પર ૨૦૦૬માં મહારાષ્ટ્રના નાગપુર સ્થિત RSS હેડક્વાટર પર જે અટેક થયો હતો તેનો મુખ્ય માસ્ટરમાઈન્ડ  હતો . સાથે જ ૨૦૦૫માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઇન્સ બેંગ્લુરુ ખાતે જે અટેક તેનો પણ માસ્ટરમાઈન્ડ અબુ સૈફુલ્લા ખાલિદ હતો . આટલુંજ નહિ અબુ ખાલિદ ૨૦૦૮માં ઉત્તર પ્રદેશના રામપુર સ્થિત CRPF કેમ્પ પર જે હુમલો થયો હતો જેમાં ૭ ઓફિસરો અને એક નાગરિકનું મોત થયું હતું તેનો પણ માસ્ટરમાઈન્ડ હતો . 

International Breeds International: From Lashkar-E-Taiba's Underpinnings To  Its Operations - TDHJ.org

અબુ સૈફુલ્લા ખાલિદ ૨૦૦૦ની સાલથી જ લશ્કરે તયબ્બાનું જે નેપાળ મોડ્યૂલ હતું તેનો ઇન્ચાર્જ હતો . આ નેપાળ મોડ્યૂલમાં તે ભરતી કરાવતો , ભારતના વિવિધ ભાગોમાં હુમલા કરાવવા માટે નાણાકીય અને લોજીસ્ટીકલ સપોર્ટ પણ આપતો હતો . જેવું જ ભારતીય સુરક્ષા એજન્સીઓને લશ્કરે તયબાના નેપાળ મોડ્યૂલની જયારે ખબર પડી ત્યારે અબુ સૈફુલ્લા ખાલિદ નેપાળ ભાગીને પાકિસ્તાન જતો રહ્યો હતો. પાકિસ્તાનમાં તેણે પછી લશ્કરે તયબ્બા અને જમાત ઉદ દાવાહના ઘણા આતંકીઓની સાથે કામ કર્યું હતું. જેમાં યુસુફ મુઝામ્મિલ  LET નો જમ્મુ કાશ્મીરનો કમાન્ડર  , મુઝામીલ ઇકબાલ હાશમી અને મુહંમદ યુસુફ ટાઈબી સાથે જોડાયો હતો . 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.