લશ્કરે -એ-તૈયબાનો આતંકી સૈફુલ્લા ખાલિદ પાકિસ્તાનમાં ઠાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-19 13:00:57

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો .  પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે. 

Saifullah Khalid killed in Pakistan Three big terror attacks in India  carried out by top Lashkar terrorist | World News – India TV

લશ્કરે તયબ્બાનો આતંકવાદી જેનું નામ છે અબુ સૈફુલ્લા ખાલિદ તેની પંજાબના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા હત્યા કરી દેવાઈ છે. અબુ સૈફુલ્લા ખાલિદ લશ્કરે તયબ્બાના વડા હાફિઝ સઈદનો ખાસ માણસ છે. આ સૈફુલ્લા ખાલિદ ૨૦૦૦ની સાલ પછી નેપાળથી ખુબ જ સક્રિય હતો . તે ભારતમાં થયેલા ઘણા બધા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો . સૈફુલ્લા ખાલિદ પર આ હુમલો પાકિસ્તાનના સિંધ પ્રાંતના તેના માટલી સ્થિત નિવાસસ્થાને થયો છે. ત્રણ અજાણ્યા હુમલાવરો દ્વારા હુમલો થયા પછી નજીકની હોસ્પિટલમાં લઈ જવાતા તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો છે. અબુ સૈફુલ્લા ખાલિદ પર ૨૦૦૬માં મહારાષ્ટ્રના નાગપુર સ્થિત RSS હેડક્વાટર પર જે અટેક થયો હતો તેનો મુખ્ય માસ્ટરમાઈન્ડ  હતો . સાથે જ ૨૦૦૫માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઇન્સ બેંગ્લુરુ ખાતે જે અટેક તેનો પણ માસ્ટરમાઈન્ડ અબુ સૈફુલ્લા ખાલિદ હતો . આટલુંજ નહિ અબુ ખાલિદ ૨૦૦૮માં ઉત્તર પ્રદેશના રામપુર સ્થિત CRPF કેમ્પ પર જે હુમલો થયો હતો જેમાં ૭ ઓફિસરો અને એક નાગરિકનું મોત થયું હતું તેનો પણ માસ્ટરમાઈન્ડ હતો . 

International Breeds International: From Lashkar-E-Taiba's Underpinnings To  Its Operations - TDHJ.org

અબુ સૈફુલ્લા ખાલિદ ૨૦૦૦ની સાલથી જ લશ્કરે તયબ્બાનું જે નેપાળ મોડ્યૂલ હતું તેનો ઇન્ચાર્જ હતો . આ નેપાળ મોડ્યૂલમાં તે ભરતી કરાવતો , ભારતના વિવિધ ભાગોમાં હુમલા કરાવવા માટે નાણાકીય અને લોજીસ્ટીકલ સપોર્ટ પણ આપતો હતો . જેવું જ ભારતીય સુરક્ષા એજન્સીઓને લશ્કરે તયબાના નેપાળ મોડ્યૂલની જયારે ખબર પડી ત્યારે અબુ સૈફુલ્લા ખાલિદ નેપાળ ભાગીને પાકિસ્તાન જતો રહ્યો હતો. પાકિસ્તાનમાં તેણે પછી લશ્કરે તયબ્બા અને જમાત ઉદ દાવાહના ઘણા આતંકીઓની સાથે કામ કર્યું હતું. જેમાં યુસુફ મુઝામ્મિલ  LET નો જમ્મુ કાશ્મીરનો કમાન્ડર  , મુઝામીલ ઇકબાલ હાશમી અને મુહંમદ યુસુફ ટાઈબી સાથે જોડાયો હતો . 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.