લશ્કરે -એ-તૈયબાનો આતંકી સૈફુલ્લા ખાલિદ પાકિસ્તાનમાં ઠાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-19 13:00:57

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો .  પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે. 

Saifullah Khalid killed in Pakistan Three big terror attacks in India  carried out by top Lashkar terrorist | World News – India TV

લશ્કરે તયબ્બાનો આતંકવાદી જેનું નામ છે અબુ સૈફુલ્લા ખાલિદ તેની પંજાબના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા હત્યા કરી દેવાઈ છે. અબુ સૈફુલ્લા ખાલિદ લશ્કરે તયબ્બાના વડા હાફિઝ સઈદનો ખાસ માણસ છે. આ સૈફુલ્લા ખાલિદ ૨૦૦૦ની સાલ પછી નેપાળથી ખુબ જ સક્રિય હતો . તે ભારતમાં થયેલા ઘણા બધા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો . સૈફુલ્લા ખાલિદ પર આ હુમલો પાકિસ્તાનના સિંધ પ્રાંતના તેના માટલી સ્થિત નિવાસસ્થાને થયો છે. ત્રણ અજાણ્યા હુમલાવરો દ્વારા હુમલો થયા પછી નજીકની હોસ્પિટલમાં લઈ જવાતા તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો છે. અબુ સૈફુલ્લા ખાલિદ પર ૨૦૦૬માં મહારાષ્ટ્રના નાગપુર સ્થિત RSS હેડક્વાટર પર જે અટેક થયો હતો તેનો મુખ્ય માસ્ટરમાઈન્ડ  હતો . સાથે જ ૨૦૦૫માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઇન્સ બેંગ્લુરુ ખાતે જે અટેક તેનો પણ માસ્ટરમાઈન્ડ અબુ સૈફુલ્લા ખાલિદ હતો . આટલુંજ નહિ અબુ ખાલિદ ૨૦૦૮માં ઉત્તર પ્રદેશના રામપુર સ્થિત CRPF કેમ્પ પર જે હુમલો થયો હતો જેમાં ૭ ઓફિસરો અને એક નાગરિકનું મોત થયું હતું તેનો પણ માસ્ટરમાઈન્ડ હતો . 

International Breeds International: From Lashkar-E-Taiba's Underpinnings To  Its Operations - TDHJ.org

અબુ સૈફુલ્લા ખાલિદ ૨૦૦૦ની સાલથી જ લશ્કરે તયબ્બાનું જે નેપાળ મોડ્યૂલ હતું તેનો ઇન્ચાર્જ હતો . આ નેપાળ મોડ્યૂલમાં તે ભરતી કરાવતો , ભારતના વિવિધ ભાગોમાં હુમલા કરાવવા માટે નાણાકીય અને લોજીસ્ટીકલ સપોર્ટ પણ આપતો હતો . જેવું જ ભારતીય સુરક્ષા એજન્સીઓને લશ્કરે તયબાના નેપાળ મોડ્યૂલની જયારે ખબર પડી ત્યારે અબુ સૈફુલ્લા ખાલિદ નેપાળ ભાગીને પાકિસ્તાન જતો રહ્યો હતો. પાકિસ્તાનમાં તેણે પછી લશ્કરે તયબ્બા અને જમાત ઉદ દાવાહના ઘણા આતંકીઓની સાથે કામ કર્યું હતું. જેમાં યુસુફ મુઝામ્મિલ  LET નો જમ્મુ કાશ્મીરનો કમાન્ડર  , મુઝામીલ ઇકબાલ હાશમી અને મુહંમદ યુસુફ ટાઈબી સાથે જોડાયો હતો . 




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.