લશ્કરે -એ-તૈયબાનો આતંકી સૈફુલ્લા ખાલિદ પાકિસ્તાનમાં ઠાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-19 13:00:57

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો .  પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે. 

Saifullah Khalid killed in Pakistan Three big terror attacks in India  carried out by top Lashkar terrorist | World News – India TV

લશ્કરે તયબ્બાનો આતંકવાદી જેનું નામ છે અબુ સૈફુલ્લા ખાલિદ તેની પંજાબના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા હત્યા કરી દેવાઈ છે. અબુ સૈફુલ્લા ખાલિદ લશ્કરે તયબ્બાના વડા હાફિઝ સઈદનો ખાસ માણસ છે. આ સૈફુલ્લા ખાલિદ ૨૦૦૦ની સાલ પછી નેપાળથી ખુબ જ સક્રિય હતો . તે ભારતમાં થયેલા ઘણા બધા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો . સૈફુલ્લા ખાલિદ પર આ હુમલો પાકિસ્તાનના સિંધ પ્રાંતના તેના માટલી સ્થિત નિવાસસ્થાને થયો છે. ત્રણ અજાણ્યા હુમલાવરો દ્વારા હુમલો થયા પછી નજીકની હોસ્પિટલમાં લઈ જવાતા તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો છે. અબુ સૈફુલ્લા ખાલિદ પર ૨૦૦૬માં મહારાષ્ટ્રના નાગપુર સ્થિત RSS હેડક્વાટર પર જે અટેક થયો હતો તેનો મુખ્ય માસ્ટરમાઈન્ડ  હતો . સાથે જ ૨૦૦૫માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઇન્સ બેંગ્લુરુ ખાતે જે અટેક તેનો પણ માસ્ટરમાઈન્ડ અબુ સૈફુલ્લા ખાલિદ હતો . આટલુંજ નહિ અબુ ખાલિદ ૨૦૦૮માં ઉત્તર પ્રદેશના રામપુર સ્થિત CRPF કેમ્પ પર જે હુમલો થયો હતો જેમાં ૭ ઓફિસરો અને એક નાગરિકનું મોત થયું હતું તેનો પણ માસ્ટરમાઈન્ડ હતો . 

International Breeds International: From Lashkar-E-Taiba's Underpinnings To  Its Operations - TDHJ.org

અબુ સૈફુલ્લા ખાલિદ ૨૦૦૦ની સાલથી જ લશ્કરે તયબ્બાનું જે નેપાળ મોડ્યૂલ હતું તેનો ઇન્ચાર્જ હતો . આ નેપાળ મોડ્યૂલમાં તે ભરતી કરાવતો , ભારતના વિવિધ ભાગોમાં હુમલા કરાવવા માટે નાણાકીય અને લોજીસ્ટીકલ સપોર્ટ પણ આપતો હતો . જેવું જ ભારતીય સુરક્ષા એજન્સીઓને લશ્કરે તયબાના નેપાળ મોડ્યૂલની જયારે ખબર પડી ત્યારે અબુ સૈફુલ્લા ખાલિદ નેપાળ ભાગીને પાકિસ્તાન જતો રહ્યો હતો. પાકિસ્તાનમાં તેણે પછી લશ્કરે તયબ્બા અને જમાત ઉદ દાવાહના ઘણા આતંકીઓની સાથે કામ કર્યું હતું. જેમાં યુસુફ મુઝામ્મિલ  LET નો જમ્મુ કાશ્મીરનો કમાન્ડર  , મુઝામીલ ઇકબાલ હાશમી અને મુહંમદ યુસુફ ટાઈબી સાથે જોડાયો હતો . 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"