નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા પ્રેક્ષકોએ જમાવટને કરી ફરિયાદ, સ્ટેડિયમમાં 10 રુપિયાની વેફરના વસૂલાય છે 80 રુપિયા!


  • Published By :
  • Published Date : 2023-04-12 15:11:15

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક હોટલના બિલનો ફોટો વાયરલ થયો હતો. વાયરલ થયેલા બિલમાં છાશની કિંમત 200 રૂપિયા દેખાતી હતી. છાશને ગુજરાતીઓનું પીણું માનવામાં આવે છે. ગુજરાતીઓનું ભોજન છાશ વગર અધુરૂ ગણાય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો જેમાં એક છાશના ગ્લાસ માટે 200 રુપિયા વસુલાયા હતા. આ વાયરલ થયેલું બિલ કેવડિયાની સંકલ્પ ગાર્ડન ઈન હોટલનું હતું. પરંતુ વાત આજે આની નથી કરવી. અનેક એવી જગ્યાઓ હોય છે જ્યાં આપણને રીતસરના લૂંટવામાં આવે છે.  


પાણીની બોટલ માટે ચૂકવવી પડે છે મોટી રકમ! 

એવી અનેક જગ્યાઓ હોય છે જ્યાં ઓછી કિંમતે મળતી વસ્તુઓ માટે આપણે મોટી રકમ ચૂકવવી પડતી હોય છે. એ પછી થિયેટર હોય કે પછી હાઈવે પર આવેલી હોટલો હોય. આ જગ્યાઓ પર પાણીની બોટલથી લઈ નાસ્તા સુધીની વસ્તુઓ માટે મોટી રકમ ચૂકવવી પડતી હોય છે. ત્યારે ક્રિકેટ સ્ટેડિયમ પણ આનાથી બાકાત નથી. હાલ આઈપીએલ મેચ ચાલી રહી છે. તે દરમિયાન મેચને જોવા મોટી સંખ્યામાં દર્શકો આવતા હોય છે. સ્ટેડિયમની અંદર વોટર બોટલ કે નાસ્તાની વસ્તુઓ લાવવાની પરમિશન નથી આપવામાં આવતી. જેને લઈ ના છૂટકે દર્શકોએ પાણીની બોટલ ત્યાંથી જ ખરીદવી પડતી હોય છે. બહાર 10 કે 20 રૂપિયામાં મળતી પાણીની બોટલ સ્ટેડિયમની અંદર 100 રુપિયાની મળે છે. તરસ લાગી હોય તો ના છૂટકે વધારે પૈસા આપીને પાણીની બોટલ ખરીદવી પડતી હોય છે. 


નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વસૂલાય છે બેફામ રીતે રુપિયા!  

આઈપીએલની અનેક મેચ અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી અને આવનાર દિવસોમાં રમાવાની છે. ત્યારે જમાવટને અનેક દર્શકોએ ફરિયાદ કરી હતી કે વધારે પૈસા લેવામાં આવે છે. વોટર બોટલના 100 રૂપિયા જેટલી કિંમત વસૂલવામાં આવે છે. તે સિવાય પણ ઓછી કિંમતમાં મળતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી જાય છે. સ્ટેડિયમમાં તો આવું થાય છે પરંતુ ઘણી વખત રિક્ષા વાળા પણ મનફાવે તેટલા ભાવ વસૂલે છે. જો રિક્ષા નથી મળતી અથવા તો તમારે રાત્રે મોડા જવું હોય તો રિક્ષા વાળા ભાવ માટે મોટું મોઢું ખોલે છે. ત્યારે કહેવાનું મન થાય કે આપત્તિને અવસરમાં બદલવી સારી વાત છે પરંતુ કોઈની ખરાબ પરિસ્થિતિનો લાભ લેવો કેટલું યોગ્ય? જ્યાં સુધી આપણા ઉપર નથી વિત્તું ત્યાં સુધી આપણને ખબર નથી પડતી



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.