નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા પ્રેક્ષકોએ જમાવટને કરી ફરિયાદ, સ્ટેડિયમમાં 10 રુપિયાની વેફરના વસૂલાય છે 80 રુપિયા!


  • Published By :
  • Published Date : 2023-04-12 15:11:15

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક હોટલના બિલનો ફોટો વાયરલ થયો હતો. વાયરલ થયેલા બિલમાં છાશની કિંમત 200 રૂપિયા દેખાતી હતી. છાશને ગુજરાતીઓનું પીણું માનવામાં આવે છે. ગુજરાતીઓનું ભોજન છાશ વગર અધુરૂ ગણાય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો જેમાં એક છાશના ગ્લાસ માટે 200 રુપિયા વસુલાયા હતા. આ વાયરલ થયેલું બિલ કેવડિયાની સંકલ્પ ગાર્ડન ઈન હોટલનું હતું. પરંતુ વાત આજે આની નથી કરવી. અનેક એવી જગ્યાઓ હોય છે જ્યાં આપણને રીતસરના લૂંટવામાં આવે છે.  


પાણીની બોટલ માટે ચૂકવવી પડે છે મોટી રકમ! 

એવી અનેક જગ્યાઓ હોય છે જ્યાં ઓછી કિંમતે મળતી વસ્તુઓ માટે આપણે મોટી રકમ ચૂકવવી પડતી હોય છે. એ પછી થિયેટર હોય કે પછી હાઈવે પર આવેલી હોટલો હોય. આ જગ્યાઓ પર પાણીની બોટલથી લઈ નાસ્તા સુધીની વસ્તુઓ માટે મોટી રકમ ચૂકવવી પડતી હોય છે. ત્યારે ક્રિકેટ સ્ટેડિયમ પણ આનાથી બાકાત નથી. હાલ આઈપીએલ મેચ ચાલી રહી છે. તે દરમિયાન મેચને જોવા મોટી સંખ્યામાં દર્શકો આવતા હોય છે. સ્ટેડિયમની અંદર વોટર બોટલ કે નાસ્તાની વસ્તુઓ લાવવાની પરમિશન નથી આપવામાં આવતી. જેને લઈ ના છૂટકે દર્શકોએ પાણીની બોટલ ત્યાંથી જ ખરીદવી પડતી હોય છે. બહાર 10 કે 20 રૂપિયામાં મળતી પાણીની બોટલ સ્ટેડિયમની અંદર 100 રુપિયાની મળે છે. તરસ લાગી હોય તો ના છૂટકે વધારે પૈસા આપીને પાણીની બોટલ ખરીદવી પડતી હોય છે. 


નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વસૂલાય છે બેફામ રીતે રુપિયા!  

આઈપીએલની અનેક મેચ અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી અને આવનાર દિવસોમાં રમાવાની છે. ત્યારે જમાવટને અનેક દર્શકોએ ફરિયાદ કરી હતી કે વધારે પૈસા લેવામાં આવે છે. વોટર બોટલના 100 રૂપિયા જેટલી કિંમત વસૂલવામાં આવે છે. તે સિવાય પણ ઓછી કિંમતમાં મળતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી જાય છે. સ્ટેડિયમમાં તો આવું થાય છે પરંતુ ઘણી વખત રિક્ષા વાળા પણ મનફાવે તેટલા ભાવ વસૂલે છે. જો રિક્ષા નથી મળતી અથવા તો તમારે રાત્રે મોડા જવું હોય તો રિક્ષા વાળા ભાવ માટે મોટું મોઢું ખોલે છે. ત્યારે કહેવાનું મન થાય કે આપત્તિને અવસરમાં બદલવી સારી વાત છે પરંતુ કોઈની ખરાબ પરિસ્થિતિનો લાભ લેવો કેટલું યોગ્ય? જ્યાં સુધી આપણા ઉપર નથી વિત્તું ત્યાં સુધી આપણને ખબર નથી પડતી



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.