નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા પ્રેક્ષકોએ જમાવટને કરી ફરિયાદ, સ્ટેડિયમમાં 10 રુપિયાની વેફરના વસૂલાય છે 80 રુપિયા!


  • Published By :
  • Published Date : 2023-04-12 15:11:15

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક હોટલના બિલનો ફોટો વાયરલ થયો હતો. વાયરલ થયેલા બિલમાં છાશની કિંમત 200 રૂપિયા દેખાતી હતી. છાશને ગુજરાતીઓનું પીણું માનવામાં આવે છે. ગુજરાતીઓનું ભોજન છાશ વગર અધુરૂ ગણાય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો જેમાં એક છાશના ગ્લાસ માટે 200 રુપિયા વસુલાયા હતા. આ વાયરલ થયેલું બિલ કેવડિયાની સંકલ્પ ગાર્ડન ઈન હોટલનું હતું. પરંતુ વાત આજે આની નથી કરવી. અનેક એવી જગ્યાઓ હોય છે જ્યાં આપણને રીતસરના લૂંટવામાં આવે છે.  


પાણીની બોટલ માટે ચૂકવવી પડે છે મોટી રકમ! 

એવી અનેક જગ્યાઓ હોય છે જ્યાં ઓછી કિંમતે મળતી વસ્તુઓ માટે આપણે મોટી રકમ ચૂકવવી પડતી હોય છે. એ પછી થિયેટર હોય કે પછી હાઈવે પર આવેલી હોટલો હોય. આ જગ્યાઓ પર પાણીની બોટલથી લઈ નાસ્તા સુધીની વસ્તુઓ માટે મોટી રકમ ચૂકવવી પડતી હોય છે. ત્યારે ક્રિકેટ સ્ટેડિયમ પણ આનાથી બાકાત નથી. હાલ આઈપીએલ મેચ ચાલી રહી છે. તે દરમિયાન મેચને જોવા મોટી સંખ્યામાં દર્શકો આવતા હોય છે. સ્ટેડિયમની અંદર વોટર બોટલ કે નાસ્તાની વસ્તુઓ લાવવાની પરમિશન નથી આપવામાં આવતી. જેને લઈ ના છૂટકે દર્શકોએ પાણીની બોટલ ત્યાંથી જ ખરીદવી પડતી હોય છે. બહાર 10 કે 20 રૂપિયામાં મળતી પાણીની બોટલ સ્ટેડિયમની અંદર 100 રુપિયાની મળે છે. તરસ લાગી હોય તો ના છૂટકે વધારે પૈસા આપીને પાણીની બોટલ ખરીદવી પડતી હોય છે. 


નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વસૂલાય છે બેફામ રીતે રુપિયા!  

આઈપીએલની અનેક મેચ અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી અને આવનાર દિવસોમાં રમાવાની છે. ત્યારે જમાવટને અનેક દર્શકોએ ફરિયાદ કરી હતી કે વધારે પૈસા લેવામાં આવે છે. વોટર બોટલના 100 રૂપિયા જેટલી કિંમત વસૂલવામાં આવે છે. તે સિવાય પણ ઓછી કિંમતમાં મળતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી જાય છે. સ્ટેડિયમમાં તો આવું થાય છે પરંતુ ઘણી વખત રિક્ષા વાળા પણ મનફાવે તેટલા ભાવ વસૂલે છે. જો રિક્ષા નથી મળતી અથવા તો તમારે રાત્રે મોડા જવું હોય તો રિક્ષા વાળા ભાવ માટે મોટું મોઢું ખોલે છે. ત્યારે કહેવાનું મન થાય કે આપત્તિને અવસરમાં બદલવી સારી વાત છે પરંતુ કોઈની ખરાબ પરિસ્થિતિનો લાભ લેવો કેટલું યોગ્ય? જ્યાં સુધી આપણા ઉપર નથી વિત્તું ત્યાં સુધી આપણને ખબર નથી પડતી



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.