બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ડોક્ટરે આપ્યો પડકાર! સોશિયલ મીડિયા પર ચેલેન્જ કરતી પોસ્ટમાં લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-05-17 12:01:19

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની ચર્ચાઓ હાલ જોવા મળી રહી છે.  દેશભરમાં હિન્દુત્વના નવા પોસ્ટર બોય અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ગુજરાતમાં થવાનો છે. રાજ્યના વિવિધ શહેરોમાં તેમનો દરબાર ભરાવાના છે. અમદાવાદ તેમજ રાજકોટમાં તેમના દિવ્ય દરબાર ભરાવાનો છે. ત્યારે ગુજરાતની મુલાકાતે બાબા આવે તેની પહેલા વિવાદ શરૂ થઈ ગયો છે. વિજ્ઞાન જાથાના ચેરમેને બાબા અંગે નિવેદન આપ્યું હતું તે બાદ અમદાવાદ મેડિકલ એસોશિયેશનના સભ્ય અને જાણીતા ડોક્ટર વસંત પટેલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને પકડાર ફેંક્યો છે. 

 અમદાવાદમાં પ્રેક્ટિસ કરતાં ડૉક્ટર વસંત પટેલે સોશિયલ મીડિયા પર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પડકાર ફેંક્યો છે કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીમાં જો ખરેખર કોઈ શક્તિ છે તો તેઓ કિડની અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓને સાજા કરે. તેમજ દેશમાંથી નક્સલવાદને આતંકવાદનો ખાતમો કરે.

ધીરેન્દ્ર શાસ્ત્રીને ડોક્ટરે ફેંક્યો પડકાર!

દેશમાં ઘણા સમયથી ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર અંગે ચર્ચાઓ ચાલી રહી છે. દેશના અનેક રાજ્યોમાં શાસ્ત્રીનો દરબાર ભરાતો હોય છે અને દરબારમાં મોટી સંખ્યામાં લોકો પણ હાજરી આપતા હોય છે. ત્યારે ગુજરાતમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાવાનો છે. ગુજરાતના સુરત, અમદાવાદ તેમજ રાજકોટમાં તેમના દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ તેમની ગુજરાત મુલાકાત પહેલા વિવાદ શરૂ થઈ ગયો છે. અનેક લોકો તેમને પડકાર ફેંકી રહ્યા છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય અને ડોક્ટર વસંત પટેલે તેમને બાબાને પકડાર ફેંક્યો છે. અમદાવાદમાં બાબાનો દરબાર 29 અને 30 મેના રોજ લાગવાનો છે. 

 મહત્વનું છે કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમનો દિવ્ય દરબાર ગુજરાતમાં અલગ-અલગ શહેરોમાં લગાવે તે પહેલા જ તેમની સામે વિરોધના સૂર ઉઠ્યા છે. એટલે આગામી દિવસોમાં તેમનો આ દિવ્ય દરબાર ભરાય છે કે પછી વિવાદ સર્જાય છે, તે જોવાનું રહ્યું.

સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ!

ડોક્ટર વસંત પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ છે કે જો તેમનામાં કોઈ શક્તિ કામ કરે છે તો કેન્સર અને કિડની હોસ્પિટલમાં દર્દીઓના દુખ દૂર કરે. તે સિવાય બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ભોળા અને લાલચુ ભક્તો જોગ જો બાબા બાગેશ્વરમાં શક્તિ હોય તો ભારતમાં આતંકવાદીઓ અને નક્સલીઓનો ખાતમો કરે.

દરબાર પહેલા જ છેડાયો વિવાદ!   

ઉલ્લેખનિય છે કે આની પહેલા વિજ્ઞાન જાથાના ચેરમને નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે બાગેશ્વર ધામવાળા ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મના નામે તુત ફેલાવી રહ્યા છે, તે ધર્મના નામે લોકોની ભાવના સાથે રમત રમી રહ્યા છે. સાથે જ વિજ્ઞાન જાથાના ચેરમેને બાબાને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે જો તે ચમત્કાર જાણતા હોય તો ડ્રગ્સ અંગે માહિતી આપે. દેશમાં અ નેક સમસ્યાઓ છે, તેનું સમાધાન આપે. બાકી અન્ય ખોટી વાતો ન કરે. ત્યારે હવે ડોક્ટરે બાબાને પકડકાર આપ્યો છે. મહત્વનું છે કે બાબાની ગુજરાત મુલાકાત પહેલા વિરોધ અને વિવાદ શરૂ થઈ ગયો છે.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે