બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ડોક્ટરે આપ્યો પડકાર! સોશિયલ મીડિયા પર ચેલેન્જ કરતી પોસ્ટમાં લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-05-17 12:01:19

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની ચર્ચાઓ હાલ જોવા મળી રહી છે.  દેશભરમાં હિન્દુત્વના નવા પોસ્ટર બોય અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ગુજરાતમાં થવાનો છે. રાજ્યના વિવિધ શહેરોમાં તેમનો દરબાર ભરાવાના છે. અમદાવાદ તેમજ રાજકોટમાં તેમના દિવ્ય દરબાર ભરાવાનો છે. ત્યારે ગુજરાતની મુલાકાતે બાબા આવે તેની પહેલા વિવાદ શરૂ થઈ ગયો છે. વિજ્ઞાન જાથાના ચેરમેને બાબા અંગે નિવેદન આપ્યું હતું તે બાદ અમદાવાદ મેડિકલ એસોશિયેશનના સભ્ય અને જાણીતા ડોક્ટર વસંત પટેલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને પકડાર ફેંક્યો છે. 

 અમદાવાદમાં પ્રેક્ટિસ કરતાં ડૉક્ટર વસંત પટેલે સોશિયલ મીડિયા પર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પડકાર ફેંક્યો છે કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીમાં જો ખરેખર કોઈ શક્તિ છે તો તેઓ કિડની અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓને સાજા કરે. તેમજ દેશમાંથી નક્સલવાદને આતંકવાદનો ખાતમો કરે.

ધીરેન્દ્ર શાસ્ત્રીને ડોક્ટરે ફેંક્યો પડકાર!

દેશમાં ઘણા સમયથી ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર અંગે ચર્ચાઓ ચાલી રહી છે. દેશના અનેક રાજ્યોમાં શાસ્ત્રીનો દરબાર ભરાતો હોય છે અને દરબારમાં મોટી સંખ્યામાં લોકો પણ હાજરી આપતા હોય છે. ત્યારે ગુજરાતમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાવાનો છે. ગુજરાતના સુરત, અમદાવાદ તેમજ રાજકોટમાં તેમના દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ તેમની ગુજરાત મુલાકાત પહેલા વિવાદ શરૂ થઈ ગયો છે. અનેક લોકો તેમને પડકાર ફેંકી રહ્યા છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય અને ડોક્ટર વસંત પટેલે તેમને બાબાને પકડાર ફેંક્યો છે. અમદાવાદમાં બાબાનો દરબાર 29 અને 30 મેના રોજ લાગવાનો છે. 

 મહત્વનું છે કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમનો દિવ્ય દરબાર ગુજરાતમાં અલગ-અલગ શહેરોમાં લગાવે તે પહેલા જ તેમની સામે વિરોધના સૂર ઉઠ્યા છે. એટલે આગામી દિવસોમાં તેમનો આ દિવ્ય દરબાર ભરાય છે કે પછી વિવાદ સર્જાય છે, તે જોવાનું રહ્યું.

સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ!

ડોક્ટર વસંત પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ છે કે જો તેમનામાં કોઈ શક્તિ કામ કરે છે તો કેન્સર અને કિડની હોસ્પિટલમાં દર્દીઓના દુખ દૂર કરે. તે સિવાય બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ભોળા અને લાલચુ ભક્તો જોગ જો બાબા બાગેશ્વરમાં શક્તિ હોય તો ભારતમાં આતંકવાદીઓ અને નક્સલીઓનો ખાતમો કરે.

દરબાર પહેલા જ છેડાયો વિવાદ!   

ઉલ્લેખનિય છે કે આની પહેલા વિજ્ઞાન જાથાના ચેરમને નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે બાગેશ્વર ધામવાળા ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મના નામે તુત ફેલાવી રહ્યા છે, તે ધર્મના નામે લોકોની ભાવના સાથે રમત રમી રહ્યા છે. સાથે જ વિજ્ઞાન જાથાના ચેરમેને બાબાને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે જો તે ચમત્કાર જાણતા હોય તો ડ્રગ્સ અંગે માહિતી આપે. દેશમાં અ નેક સમસ્યાઓ છે, તેનું સમાધાન આપે. બાકી અન્ય ખોટી વાતો ન કરે. ત્યારે હવે ડોક્ટરે બાબાને પકડકાર આપ્યો છે. મહત્વનું છે કે બાબાની ગુજરાત મુલાકાત પહેલા વિરોધ અને વિવાદ શરૂ થઈ ગયો છે.      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.