શિક્ષક બનવાનું સપનું સપનું જ રહી ગયું! TET-TATનો ઉમેદવાર બન્યો અકસ્માતનો ભોગ, છલકાયું પરિવારનું દુ:ખ


  • Published By :
  • Published Date : 2023-07-20 16:35:51

દીકરો જ્યારે મોટો થાય તે વૃદ્ધ માતા પિતાનો સહારો બનશે તેવી આશા તેવા સપના દરેક માતા પિતા જોતા હોય છે. 20 વર્ષ બાદ છોકરો પગભર થાય પોતાના ભવિષ્ય તરફ આગળ વધે તેવી આશા દરેક સંતાનના માતા પિતાની હોય છે. દીકરો જીવનમાં પ્રગતિ કરે તે માટે તેના ભણતર પાછળ, તેને સારૂં જીવન આપવા માટે વાલીઓ પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે. પરંતુ જ્યારે તે યુવાન દીકરા-દીકરીની લાશ જોવી પડે તે દુખ દરેક માતા પિતાના જીવનની સૌથી કષ્ટદાયક ક્ષણ હોય છે. પોતાની આંખમાં યુવાન અનેક સપનાઓ લઈને ફરતો હોય છે. જીવનમાં આ સિદ્ધિ હાંસલ કરીશું, જીવનમાં માતા પિતાનું નામ રોશન કરીશું તેવા અનેક સપનાઓ યુવાનો લઈને ફરતા હોય છે. 

કેટલી કષ્ટદાયી તે ક્ષણ હોય છે જ્યારે માતા પિતા જુવાન દીકરાની લાશ જોતા હશે...  

પરંતુ જ્યારે તે સપના. તે યુવાન કોઈ નબીરાની ગાડી નીચે કચડાઈ જાય ત્યારે? આ વાત અમદાવાદના ઈસ્કોન ખાતે સર્જાયેલા ગંભીર અકસ્માતને લઈ કરવી છે. એક નબીરાએ પોતાની ગાડીથી 9 લોકોને ઉડાવી દીધા. આ અકસ્માતે દરેકને અંદરથી હચમચાવી દીધા છે. 20-22 વર્ષના દીકરાની લાશ જોઈ માતા પિતાની જે હાલત થતી હોય છે તે પરિસ્થિતિની આપણે કલ્પના પણ ન કરી શકીએ. પોતાના સપના તરફ જ્યારે આગળ વધવાનો સમય આવ્યો ત્યારે તે અકસ્માતનો ભોગ બન્યો. 


'સરકારને પૈસા આપવા તૈયારી છીએ, અમને અમારો દીકરો પાછો આપો' - મૃતકના પરિવારજનો 

જમાવટની ટીમે જ્યારે મૃતકના પરિવારનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેમનો દીકરો શિક્ષક બનવાનું સપનું જોતો હતો. TAT-TETની પરીક્ષા પાસ કરી દીધી હતી અને શિક્ષક બનવા માટે મહેનત કરતો હતો. પરંતુ નબીરાની ભૂલને કારણે તેનું તે સપનું સપનું જ રહી ગયું. જે આંખોમાં સપનાનું સિંચન થતું હતું તે જ આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. જમાવટની ટીમે જ્યારે તેમના પરિવાર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે અમે સરકારને પૈસા આપવા તૈયાર છીએ, અમને અમારો દીકરો પાછો આપો. જે લાગણી દીકરાની લાશને જોયા પછી ઉદ્ભવતી હોય છે તે વ્યથા તે દુખનું વર્ણન કદાચ આપણે શબ્દોમાં નહીં કરી શકીએ. માતા પિતા તે ક્ષણને કોશતા હશે જ્યારે તેમનો જુવાન દીકરો કોઈની ભૂલનો ભોગ બનતો હોય. સાંભળો પરિવારના સભ્યોની સંવેદનાઓને...     




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."