શિક્ષક બનવાનું સપનું સપનું જ રહી ગયું! TET-TATનો ઉમેદવાર બન્યો અકસ્માતનો ભોગ, છલકાયું પરિવારનું દુ:ખ


  • Published By :
  • Published Date : 2023-07-20 16:35:51

દીકરો જ્યારે મોટો થાય તે વૃદ્ધ માતા પિતાનો સહારો બનશે તેવી આશા તેવા સપના દરેક માતા પિતા જોતા હોય છે. 20 વર્ષ બાદ છોકરો પગભર થાય પોતાના ભવિષ્ય તરફ આગળ વધે તેવી આશા દરેક સંતાનના માતા પિતાની હોય છે. દીકરો જીવનમાં પ્રગતિ કરે તે માટે તેના ભણતર પાછળ, તેને સારૂં જીવન આપવા માટે વાલીઓ પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે. પરંતુ જ્યારે તે યુવાન દીકરા-દીકરીની લાશ જોવી પડે તે દુખ દરેક માતા પિતાના જીવનની સૌથી કષ્ટદાયક ક્ષણ હોય છે. પોતાની આંખમાં યુવાન અનેક સપનાઓ લઈને ફરતો હોય છે. જીવનમાં આ સિદ્ધિ હાંસલ કરીશું, જીવનમાં માતા પિતાનું નામ રોશન કરીશું તેવા અનેક સપનાઓ યુવાનો લઈને ફરતા હોય છે. 

કેટલી કષ્ટદાયી તે ક્ષણ હોય છે જ્યારે માતા પિતા જુવાન દીકરાની લાશ જોતા હશે...  

પરંતુ જ્યારે તે સપના. તે યુવાન કોઈ નબીરાની ગાડી નીચે કચડાઈ જાય ત્યારે? આ વાત અમદાવાદના ઈસ્કોન ખાતે સર્જાયેલા ગંભીર અકસ્માતને લઈ કરવી છે. એક નબીરાએ પોતાની ગાડીથી 9 લોકોને ઉડાવી દીધા. આ અકસ્માતે દરેકને અંદરથી હચમચાવી દીધા છે. 20-22 વર્ષના દીકરાની લાશ જોઈ માતા પિતાની જે હાલત થતી હોય છે તે પરિસ્થિતિની આપણે કલ્પના પણ ન કરી શકીએ. પોતાના સપના તરફ જ્યારે આગળ વધવાનો સમય આવ્યો ત્યારે તે અકસ્માતનો ભોગ બન્યો. 


'સરકારને પૈસા આપવા તૈયારી છીએ, અમને અમારો દીકરો પાછો આપો' - મૃતકના પરિવારજનો 

જમાવટની ટીમે જ્યારે મૃતકના પરિવારનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેમનો દીકરો શિક્ષક બનવાનું સપનું જોતો હતો. TAT-TETની પરીક્ષા પાસ કરી દીધી હતી અને શિક્ષક બનવા માટે મહેનત કરતો હતો. પરંતુ નબીરાની ભૂલને કારણે તેનું તે સપનું સપનું જ રહી ગયું. જે આંખોમાં સપનાનું સિંચન થતું હતું તે જ આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. જમાવટની ટીમે જ્યારે તેમના પરિવાર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે અમે સરકારને પૈસા આપવા તૈયાર છીએ, અમને અમારો દીકરો પાછો આપો. જે લાગણી દીકરાની લાશને જોયા પછી ઉદ્ભવતી હોય છે તે વ્યથા તે દુખનું વર્ણન કદાચ આપણે શબ્દોમાં નહીં કરી શકીએ. માતા પિતા તે ક્ષણને કોશતા હશે જ્યારે તેમનો જુવાન દીકરો કોઈની ભૂલનો ભોગ બનતો હોય. સાંભળો પરિવારના સભ્યોની સંવેદનાઓને...     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.