શિક્ષક બનવાનું સપનું સપનું જ રહી ગયું! TET-TATનો ઉમેદવાર બન્યો અકસ્માતનો ભોગ, છલકાયું પરિવારનું દુ:ખ


  • Published By :
  • Published Date : 2023-07-20 16:35:51

દીકરો જ્યારે મોટો થાય તે વૃદ્ધ માતા પિતાનો સહારો બનશે તેવી આશા તેવા સપના દરેક માતા પિતા જોતા હોય છે. 20 વર્ષ બાદ છોકરો પગભર થાય પોતાના ભવિષ્ય તરફ આગળ વધે તેવી આશા દરેક સંતાનના માતા પિતાની હોય છે. દીકરો જીવનમાં પ્રગતિ કરે તે માટે તેના ભણતર પાછળ, તેને સારૂં જીવન આપવા માટે વાલીઓ પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે. પરંતુ જ્યારે તે યુવાન દીકરા-દીકરીની લાશ જોવી પડે તે દુખ દરેક માતા પિતાના જીવનની સૌથી કષ્ટદાયક ક્ષણ હોય છે. પોતાની આંખમાં યુવાન અનેક સપનાઓ લઈને ફરતો હોય છે. જીવનમાં આ સિદ્ધિ હાંસલ કરીશું, જીવનમાં માતા પિતાનું નામ રોશન કરીશું તેવા અનેક સપનાઓ યુવાનો લઈને ફરતા હોય છે. 

કેટલી કષ્ટદાયી તે ક્ષણ હોય છે જ્યારે માતા પિતા જુવાન દીકરાની લાશ જોતા હશે...  

પરંતુ જ્યારે તે સપના. તે યુવાન કોઈ નબીરાની ગાડી નીચે કચડાઈ જાય ત્યારે? આ વાત અમદાવાદના ઈસ્કોન ખાતે સર્જાયેલા ગંભીર અકસ્માતને લઈ કરવી છે. એક નબીરાએ પોતાની ગાડીથી 9 લોકોને ઉડાવી દીધા. આ અકસ્માતે દરેકને અંદરથી હચમચાવી દીધા છે. 20-22 વર્ષના દીકરાની લાશ જોઈ માતા પિતાની જે હાલત થતી હોય છે તે પરિસ્થિતિની આપણે કલ્પના પણ ન કરી શકીએ. પોતાના સપના તરફ જ્યારે આગળ વધવાનો સમય આવ્યો ત્યારે તે અકસ્માતનો ભોગ બન્યો. 


'સરકારને પૈસા આપવા તૈયારી છીએ, અમને અમારો દીકરો પાછો આપો' - મૃતકના પરિવારજનો 

જમાવટની ટીમે જ્યારે મૃતકના પરિવારનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેમનો દીકરો શિક્ષક બનવાનું સપનું જોતો હતો. TAT-TETની પરીક્ષા પાસ કરી દીધી હતી અને શિક્ષક બનવા માટે મહેનત કરતો હતો. પરંતુ નબીરાની ભૂલને કારણે તેનું તે સપનું સપનું જ રહી ગયું. જે આંખોમાં સપનાનું સિંચન થતું હતું તે જ આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. જમાવટની ટીમે જ્યારે તેમના પરિવાર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે અમે સરકારને પૈસા આપવા તૈયાર છીએ, અમને અમારો દીકરો પાછો આપો. જે લાગણી દીકરાની લાશને જોયા પછી ઉદ્ભવતી હોય છે તે વ્યથા તે દુખનું વર્ણન કદાચ આપણે શબ્દોમાં નહીં કરી શકીએ. માતા પિતા તે ક્ષણને કોશતા હશે જ્યારે તેમનો જુવાન દીકરો કોઈની ભૂલનો ભોગ બનતો હોય. સાંભળો પરિવારના સભ્યોની સંવેદનાઓને...     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.