શિક્ષક બનવાનું સપનું સપનું જ રહી ગયું! TET-TATનો ઉમેદવાર બન્યો અકસ્માતનો ભોગ, છલકાયું પરિવારનું દુ:ખ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-20 16:35:51

દીકરો જ્યારે મોટો થાય તે વૃદ્ધ માતા પિતાનો સહારો બનશે તેવી આશા તેવા સપના દરેક માતા પિતા જોતા હોય છે. 20 વર્ષ બાદ છોકરો પગભર થાય પોતાના ભવિષ્ય તરફ આગળ વધે તેવી આશા દરેક સંતાનના માતા પિતાની હોય છે. દીકરો જીવનમાં પ્રગતિ કરે તે માટે તેના ભણતર પાછળ, તેને સારૂં જીવન આપવા માટે વાલીઓ પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે. પરંતુ જ્યારે તે યુવાન દીકરા-દીકરીની લાશ જોવી પડે તે દુખ દરેક માતા પિતાના જીવનની સૌથી કષ્ટદાયક ક્ષણ હોય છે. પોતાની આંખમાં યુવાન અનેક સપનાઓ લઈને ફરતો હોય છે. જીવનમાં આ સિદ્ધિ હાંસલ કરીશું, જીવનમાં માતા પિતાનું નામ રોશન કરીશું તેવા અનેક સપનાઓ યુવાનો લઈને ફરતા હોય છે. 

કેટલી કષ્ટદાયી તે ક્ષણ હોય છે જ્યારે માતા પિતા જુવાન દીકરાની લાશ જોતા હશે...  

પરંતુ જ્યારે તે સપના. તે યુવાન કોઈ નબીરાની ગાડી નીચે કચડાઈ જાય ત્યારે? આ વાત અમદાવાદના ઈસ્કોન ખાતે સર્જાયેલા ગંભીર અકસ્માતને લઈ કરવી છે. એક નબીરાએ પોતાની ગાડીથી 9 લોકોને ઉડાવી દીધા. આ અકસ્માતે દરેકને અંદરથી હચમચાવી દીધા છે. 20-22 વર્ષના દીકરાની લાશ જોઈ માતા પિતાની જે હાલત થતી હોય છે તે પરિસ્થિતિની આપણે કલ્પના પણ ન કરી શકીએ. પોતાના સપના તરફ જ્યારે આગળ વધવાનો સમય આવ્યો ત્યારે તે અકસ્માતનો ભોગ બન્યો. 


'સરકારને પૈસા આપવા તૈયારી છીએ, અમને અમારો દીકરો પાછો આપો' - મૃતકના પરિવારજનો 

જમાવટની ટીમે જ્યારે મૃતકના પરિવારનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેમનો દીકરો શિક્ષક બનવાનું સપનું જોતો હતો. TAT-TETની પરીક્ષા પાસ કરી દીધી હતી અને શિક્ષક બનવા માટે મહેનત કરતો હતો. પરંતુ નબીરાની ભૂલને કારણે તેનું તે સપનું સપનું જ રહી ગયું. જે આંખોમાં સપનાનું સિંચન થતું હતું તે જ આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. જમાવટની ટીમે જ્યારે તેમના પરિવાર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે અમે સરકારને પૈસા આપવા તૈયાર છીએ, અમને અમારો દીકરો પાછો આપો. જે લાગણી દીકરાની લાશને જોયા પછી ઉદ્ભવતી હોય છે તે વ્યથા તે દુખનું વર્ણન કદાચ આપણે શબ્દોમાં નહીં કરી શકીએ. માતા પિતા તે ક્ષણને કોશતા હશે જ્યારે તેમનો જુવાન દીકરો કોઈની ભૂલનો ભોગ બનતો હોય. સાંભળો પરિવારના સભ્યોની સંવેદનાઓને...     




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે