ડ્રાઈવર ટ્રેનની નીચે ઉતર્યો અને એક Goods Train વગર Driver જ ૮૪ કિલોમીટર ચાલી ગઈ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-26 18:04:21

આપણે બધાએ બાળપણમાં એક બાળગીત તો અવશ્ય સાંભળ્યું હશે કે , છુક છુક કરતી જાય , છુક છુક કરતી જાય . આ અમારી ગાડી છૂક છૂક કરતી જાય . પરંતુ આ આપણી આ આગ ગાડી એટલેકે ટ્રેનમાં ડ્રાઈવર જ ના હોય થાય શું ? સાંભળીને જ આંચકો લાગ્યો ને..! તમને લાગ્યું હશે આવું થોડી બનતું હોય. પરંતુ ના આવી ઘટના બની છે જ્યાં એક રેલ ગાડી ડ્રાઈવર વગર 84 કિલોમીટર ચાલી અને તે પણ 100 કિમીની ઝડપે..! આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

જે ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ તે હતી... 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડ્રાઈવર વગરની માલગાડી જમ્મુ કાશ્મીર રાજ્યથી નિકળી ૮૪ કિલોમીટરનું અંતર કાપી પંજાબ પહોંચી ગઈ હતી. તે જમ્મુના કઠુઆ સ્ટેશન પર રોકાઈ હતી ત્યારબાદ વગર ડ્રાઈવરે પંજાબ પહોંચી ગયી હતી. આ ઘટના ૨૫ ફેબ્રુઆરીની છે . આ ઘટના સામે આવતા જ જમ્મુ રેલવે ટ્રાફિક ડિવીઝનએ તપાસના આદેશ આપી દીધા છે . આ માલગાડીનો ગાડી નંબર 14806R હતો , જમ્મુના કઠુઆ સ્ટેશન પર રોકાઈ હતી , સવાર સવારમાં જ્યારે ડ્રાઈવર આ સ્ટેશન પર ચા નાસ્તો કરવા ઉતર્યા ત્યારે એન્જિનના ડબ્બામાં હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયા હતા . ઉતરતી વખતે ટ્રેનનું engine પણ ચાલુ હતું . 



ખૂબ જ મહેનત બાદ ટ્રેનને રોકવામાં મળી સફળતા!

લગભગ ૭ ને ૧૦એ ટ્રેન ચાલવા લાગી અને ૮૪ km ચાલી પંજાબના દૌસા શહેરની નજીક ઊંચી બસ્સી પહોંચી. આ સ્થળે ટ્રેન સ્ટાફ દ્વારા ખુબજ મહેનત કરીને રોકવામાં આવી હતી . આતો સારું છે કે આ રૂટ પર બીજી કોઈ ટ્રેન ન હતી નહીં તો ખુબ જ મોટો અકસ્માત થવાની સંભાવના હતી . ગયા વર્ષે બાલાસોર ઓડિશા ખાતે ખુબ ભયંકર અકસ્માત થયો હતો . આવી જ રીતે , ૨૦૧૭માં મુંબઈ ટ્રેન ૧૩ km ડ્રાઈવર વગર ચાલી ગઈ  હતી .




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.