ડ્રાઈવર ટ્રેનની નીચે ઉતર્યો અને એક Goods Train વગર Driver જ ૮૪ કિલોમીટર ચાલી ગઈ! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-26 18:04:21

આપણે બધાએ બાળપણમાં એક બાળગીત તો અવશ્ય સાંભળ્યું હશે કે , છુક છુક કરતી જાય , છુક છુક કરતી જાય . આ અમારી ગાડી છૂક છૂક કરતી જાય . પરંતુ આ આપણી આ આગ ગાડી એટલેકે ટ્રેનમાં ડ્રાઈવર જ ના હોય થાય શું ? સાંભળીને જ આંચકો લાગ્યો ને..! તમને લાગ્યું હશે આવું થોડી બનતું હોય. પરંતુ ના આવી ઘટના બની છે જ્યાં એક રેલ ગાડી ડ્રાઈવર વગર 84 કિલોમીટર ચાલી અને તે પણ 100 કિમીની ઝડપે..! આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

જે ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ તે હતી... 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડ્રાઈવર વગરની માલગાડી જમ્મુ કાશ્મીર રાજ્યથી નિકળી ૮૪ કિલોમીટરનું અંતર કાપી પંજાબ પહોંચી ગઈ હતી. તે જમ્મુના કઠુઆ સ્ટેશન પર રોકાઈ હતી ત્યારબાદ વગર ડ્રાઈવરે પંજાબ પહોંચી ગયી હતી. આ ઘટના ૨૫ ફેબ્રુઆરીની છે . આ ઘટના સામે આવતા જ જમ્મુ રેલવે ટ્રાફિક ડિવીઝનએ તપાસના આદેશ આપી દીધા છે . આ માલગાડીનો ગાડી નંબર 14806R હતો , જમ્મુના કઠુઆ સ્ટેશન પર રોકાઈ હતી , સવાર સવારમાં જ્યારે ડ્રાઈવર આ સ્ટેશન પર ચા નાસ્તો કરવા ઉતર્યા ત્યારે એન્જિનના ડબ્બામાં હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયા હતા . ઉતરતી વખતે ટ્રેનનું engine પણ ચાલુ હતું . 



ખૂબ જ મહેનત બાદ ટ્રેનને રોકવામાં મળી સફળતા!

લગભગ ૭ ને ૧૦એ ટ્રેન ચાલવા લાગી અને ૮૪ km ચાલી પંજાબના દૌસા શહેરની નજીક ઊંચી બસ્સી પહોંચી. આ સ્થળે ટ્રેન સ્ટાફ દ્વારા ખુબજ મહેનત કરીને રોકવામાં આવી હતી . આતો સારું છે કે આ રૂટ પર બીજી કોઈ ટ્રેન ન હતી નહીં તો ખુબ જ મોટો અકસ્માત થવાની સંભાવના હતી . ગયા વર્ષે બાલાસોર ઓડિશા ખાતે ખુબ ભયંકર અકસ્માત થયો હતો . આવી જ રીતે , ૨૦૧૭માં મુંબઈ ટ્રેન ૧૩ km ડ્રાઈવર વગર ચાલી ગઈ  હતી .




વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.