ડ્રાઈવર ટ્રેનની નીચે ઉતર્યો અને એક Goods Train વગર Driver જ ૮૪ કિલોમીટર ચાલી ગઈ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-26 18:04:21

આપણે બધાએ બાળપણમાં એક બાળગીત તો અવશ્ય સાંભળ્યું હશે કે , છુક છુક કરતી જાય , છુક છુક કરતી જાય . આ અમારી ગાડી છૂક છૂક કરતી જાય . પરંતુ આ આપણી આ આગ ગાડી એટલેકે ટ્રેનમાં ડ્રાઈવર જ ના હોય થાય શું ? સાંભળીને જ આંચકો લાગ્યો ને..! તમને લાગ્યું હશે આવું થોડી બનતું હોય. પરંતુ ના આવી ઘટના બની છે જ્યાં એક રેલ ગાડી ડ્રાઈવર વગર 84 કિલોમીટર ચાલી અને તે પણ 100 કિમીની ઝડપે..! આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

જે ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ તે હતી... 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડ્રાઈવર વગરની માલગાડી જમ્મુ કાશ્મીર રાજ્યથી નિકળી ૮૪ કિલોમીટરનું અંતર કાપી પંજાબ પહોંચી ગઈ હતી. તે જમ્મુના કઠુઆ સ્ટેશન પર રોકાઈ હતી ત્યારબાદ વગર ડ્રાઈવરે પંજાબ પહોંચી ગયી હતી. આ ઘટના ૨૫ ફેબ્રુઆરીની છે . આ ઘટના સામે આવતા જ જમ્મુ રેલવે ટ્રાફિક ડિવીઝનએ તપાસના આદેશ આપી દીધા છે . આ માલગાડીનો ગાડી નંબર 14806R હતો , જમ્મુના કઠુઆ સ્ટેશન પર રોકાઈ હતી , સવાર સવારમાં જ્યારે ડ્રાઈવર આ સ્ટેશન પર ચા નાસ્તો કરવા ઉતર્યા ત્યારે એન્જિનના ડબ્બામાં હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયા હતા . ઉતરતી વખતે ટ્રેનનું engine પણ ચાલુ હતું . 



ખૂબ જ મહેનત બાદ ટ્રેનને રોકવામાં મળી સફળતા!

લગભગ ૭ ને ૧૦એ ટ્રેન ચાલવા લાગી અને ૮૪ km ચાલી પંજાબના દૌસા શહેરની નજીક ઊંચી બસ્સી પહોંચી. આ સ્થળે ટ્રેન સ્ટાફ દ્વારા ખુબજ મહેનત કરીને રોકવામાં આવી હતી . આતો સારું છે કે આ રૂટ પર બીજી કોઈ ટ્રેન ન હતી નહીં તો ખુબ જ મોટો અકસ્માત થવાની સંભાવના હતી . ગયા વર્ષે બાલાસોર ઓડિશા ખાતે ખુબ ભયંકર અકસ્માત થયો હતો . આવી જ રીતે , ૨૦૧૭માં મુંબઈ ટ્રેન ૧૩ km ડ્રાઈવર વગર ચાલી ગઈ  હતી .




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.