ડ્રાઈવર ટ્રેનની નીચે ઉતર્યો અને એક Goods Train વગર Driver જ ૮૪ કિલોમીટર ચાલી ગઈ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-02-26 18:04:21

આપણે બધાએ બાળપણમાં એક બાળગીત તો અવશ્ય સાંભળ્યું હશે કે , છુક છુક કરતી જાય , છુક છુક કરતી જાય . આ અમારી ગાડી છૂક છૂક કરતી જાય . પરંતુ આ આપણી આ આગ ગાડી એટલેકે ટ્રેનમાં ડ્રાઈવર જ ના હોય થાય શું ? સાંભળીને જ આંચકો લાગ્યો ને..! તમને લાગ્યું હશે આવું થોડી બનતું હોય. પરંતુ ના આવી ઘટના બની છે જ્યાં એક રેલ ગાડી ડ્રાઈવર વગર 84 કિલોમીટર ચાલી અને તે પણ 100 કિમીની ઝડપે..! આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

જે ટ્રેન સાથે દુર્ઘટના સર્જાઈ તે હતી... 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડ્રાઈવર વગરની માલગાડી જમ્મુ કાશ્મીર રાજ્યથી નિકળી ૮૪ કિલોમીટરનું અંતર કાપી પંજાબ પહોંચી ગઈ હતી. તે જમ્મુના કઠુઆ સ્ટેશન પર રોકાઈ હતી ત્યારબાદ વગર ડ્રાઈવરે પંજાબ પહોંચી ગયી હતી. આ ઘટના ૨૫ ફેબ્રુઆરીની છે . આ ઘટના સામે આવતા જ જમ્મુ રેલવે ટ્રાફિક ડિવીઝનએ તપાસના આદેશ આપી દીધા છે . આ માલગાડીનો ગાડી નંબર 14806R હતો , જમ્મુના કઠુઆ સ્ટેશન પર રોકાઈ હતી , સવાર સવારમાં જ્યારે ડ્રાઈવર આ સ્ટેશન પર ચા નાસ્તો કરવા ઉતર્યા ત્યારે એન્જિનના ડબ્બામાં હેન્ડબ્રેક લગાવવાનું ભૂલી ગયા હતા . ઉતરતી વખતે ટ્રેનનું engine પણ ચાલુ હતું . 



ખૂબ જ મહેનત બાદ ટ્રેનને રોકવામાં મળી સફળતા!

લગભગ ૭ ને ૧૦એ ટ્રેન ચાલવા લાગી અને ૮૪ km ચાલી પંજાબના દૌસા શહેરની નજીક ઊંચી બસ્સી પહોંચી. આ સ્થળે ટ્રેન સ્ટાફ દ્વારા ખુબજ મહેનત કરીને રોકવામાં આવી હતી . આતો સારું છે કે આ રૂટ પર બીજી કોઈ ટ્રેન ન હતી નહીં તો ખુબ જ મોટો અકસ્માત થવાની સંભાવના હતી . ગયા વર્ષે બાલાસોર ઓડિશા ખાતે ખુબ ભયંકર અકસ્માત થયો હતો . આવી જ રીતે , ૨૦૧૭માં મુંબઈ ટ્રેન ૧૩ km ડ્રાઈવર વગર ચાલી ગઈ  હતી .




રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .