ચાલતી બસમાં ડ્રાઈવરને આવ્યો Heart Attack, મુસાફરોને બચાવવા માટે ડ્રાઈવરે જે કર્યું તે મુસાફરોને હંમેેશા યાદ રહેશે! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-31 11:09:07

આપણે જ્યારે બસ મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે ડ્રાઈવરને ન જાણવા છતાંય તેમની પર વિશ્વાસ રાખીએ છીએ. આપણે આપણી જિંદગી ડ્રાઈવરના હાથમાં સોંપતા હોઈએ છીએ મુસાફરી વખતે. ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલી એક ચૂકની કિંમત અનેક લોકોને ચૂકવવી પડતી હોય છે. કોઈ વખત ડ્રાઈવરની ચૂકને કારણે અકસ્માત સર્જાય છે અને અનેક લોકોના મોત થઈ જતા હોય છે. આજે વાત ડ્રાઈવરની કરવી છે જેમણે સમય સૂચકતા રાખી અનેક લોકોના જીવ બચાવ્યા છે. ઘટના છે ઓડિશાની જ્યાં બસ ડ્રાઈવરને બસ ચલાવતી વખતે હાર્ટ એટેક આવ્યો. છાતીમાં દુખાવો શરૂ થતાં જ ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી રાખી અને બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જીવને બચાવી લીધા.  


બસ ડ્રાઈવરને ડ્રાઈવિંગ કરતી વખતે આવ્યો હાર્ટ એટેક  

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ ગયો છે. નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે મોતને વ્હાલા થઈ રહ્યા છે. સાજો લાગતો વ્યક્તિ અચાનક મોતને ભેટે છે. હાર્ટ એટેક શબ્દ સામાન્ય બની ગયો છે. આ સમાચાર પણ હાર્ટ એટેક રિલેટેડ જ છે. સામાન્ય રીતે હાર્ટ એટેક આવે છે ત્યારે છાતીમાં દુખાવો થાય છે અને જીવ જતો રહે છે. છાતીમાં દુખાવો થાય ત્યારે અનેક લોકોને અહેસાસ થઈ જતો હોય છે કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેકનો કિસ્સો ઓડિશાથી સામે આવ્યો છે જેમાં બસ ડ્રાઈવરને ડ્રાઈવિંગ કરતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યો. 


બસને સાઈડમાં ઉભી રાખી બચાવ્યો પેસેન્જરોનો જીવ!

જે બસ ડ્રાઈવર સાથે આ દુર્ઘટના બની તેમની જિંદગી પર 60 જેટલા મુસાફરોની જિંદગીની જવાબદારી હતી! એટલે કે જે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો તે બસમાં 60 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. છાતીમાં દુખાવો ઉપડ્તા ડ્રાઈવર બેભાન થવા લાગ્યા. પરંતુ બેભાન થાય તેની પહેલા તેમણે બસને સાઈડમાં સુરક્ષિત ઉભી રાખી. બસના મુસાફરો તો બચી ગયા પરંતુ તે ડ્રાઈવરનો જીવ બચી ન શક્યો. ડ્રાઈવરને લોકો ડોક્ટર પાસે લઈ ગયા પરંતુ ડોક્ટરે તેમને મૃત ઘોષિત કરી દીધા. 


દુર્ઘટના સર્જાતા બચી!

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના મંગળવારે બની હતી. પોલીસે જણાવ્યું કે બસમાં પશ્ચિમ બંગાળના પ્રવાસીઓ હતા. તેમને લઈને જતી બસ પંચલિંગેશ્વર મંદિર જઈ રહી હતી, ત્યારે ડ્રાઈવર શેખ અખ્તરને હાર્ટ એટેક આવ્યો. દર્દનો અનુભવ થતાં જ શેખ અખ્તરે બસ રોડની બાજુમાં રોકી દીધી. બસ ઉભી થતા જ તે બેભાન થઈ ગયો. મહત્વનું છે કે ડ્રાઈવરની સમય સૂકચતાને કારણે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સુરક્ષિત છે. જો ડ્રાઈવર બસને સાઈડમાં  ન ઊભા રાખતા તો કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શક્તી હતી.      



લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે....

આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..

થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ પીઆઈ ખાચરે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે

ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું.