ચાલતી બસમાં ડ્રાઈવરને આવ્યો Heart Attack, મુસાફરોને બચાવવા માટે ડ્રાઈવરે જે કર્યું તે મુસાફરોને હંમેેશા યાદ રહેશે! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-31 11:09:07

આપણે જ્યારે બસ મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે ડ્રાઈવરને ન જાણવા છતાંય તેમની પર વિશ્વાસ રાખીએ છીએ. આપણે આપણી જિંદગી ડ્રાઈવરના હાથમાં સોંપતા હોઈએ છીએ મુસાફરી વખતે. ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલી એક ચૂકની કિંમત અનેક લોકોને ચૂકવવી પડતી હોય છે. કોઈ વખત ડ્રાઈવરની ચૂકને કારણે અકસ્માત સર્જાય છે અને અનેક લોકોના મોત થઈ જતા હોય છે. આજે વાત ડ્રાઈવરની કરવી છે જેમણે સમય સૂચકતા રાખી અનેક લોકોના જીવ બચાવ્યા છે. ઘટના છે ઓડિશાની જ્યાં બસ ડ્રાઈવરને બસ ચલાવતી વખતે હાર્ટ એટેક આવ્યો. છાતીમાં દુખાવો શરૂ થતાં જ ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી રાખી અને બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જીવને બચાવી લીધા.  


બસ ડ્રાઈવરને ડ્રાઈવિંગ કરતી વખતે આવ્યો હાર્ટ એટેક  

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ ગયો છે. નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે મોતને વ્હાલા થઈ રહ્યા છે. સાજો લાગતો વ્યક્તિ અચાનક મોતને ભેટે છે. હાર્ટ એટેક શબ્દ સામાન્ય બની ગયો છે. આ સમાચાર પણ હાર્ટ એટેક રિલેટેડ જ છે. સામાન્ય રીતે હાર્ટ એટેક આવે છે ત્યારે છાતીમાં દુખાવો થાય છે અને જીવ જતો રહે છે. છાતીમાં દુખાવો થાય ત્યારે અનેક લોકોને અહેસાસ થઈ જતો હોય છે કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેકનો કિસ્સો ઓડિશાથી સામે આવ્યો છે જેમાં બસ ડ્રાઈવરને ડ્રાઈવિંગ કરતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યો. 


બસને સાઈડમાં ઉભી રાખી બચાવ્યો પેસેન્જરોનો જીવ!

જે બસ ડ્રાઈવર સાથે આ દુર્ઘટના બની તેમની જિંદગી પર 60 જેટલા મુસાફરોની જિંદગીની જવાબદારી હતી! એટલે કે જે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો તે બસમાં 60 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. છાતીમાં દુખાવો ઉપડ્તા ડ્રાઈવર બેભાન થવા લાગ્યા. પરંતુ બેભાન થાય તેની પહેલા તેમણે બસને સાઈડમાં સુરક્ષિત ઉભી રાખી. બસના મુસાફરો તો બચી ગયા પરંતુ તે ડ્રાઈવરનો જીવ બચી ન શક્યો. ડ્રાઈવરને લોકો ડોક્ટર પાસે લઈ ગયા પરંતુ ડોક્ટરે તેમને મૃત ઘોષિત કરી દીધા. 


દુર્ઘટના સર્જાતા બચી!

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના મંગળવારે બની હતી. પોલીસે જણાવ્યું કે બસમાં પશ્ચિમ બંગાળના પ્રવાસીઓ હતા. તેમને લઈને જતી બસ પંચલિંગેશ્વર મંદિર જઈ રહી હતી, ત્યારે ડ્રાઈવર શેખ અખ્તરને હાર્ટ એટેક આવ્યો. દર્દનો અનુભવ થતાં જ શેખ અખ્તરે બસ રોડની બાજુમાં રોકી દીધી. બસ ઉભી થતા જ તે બેભાન થઈ ગયો. મહત્વનું છે કે ડ્રાઈવરની સમય સૂકચતાને કારણે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સુરક્ષિત છે. જો ડ્રાઈવર બસને સાઈડમાં  ન ઊભા રાખતા તો કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શક્તી હતી.      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.