ચાલતી બસમાં ડ્રાઈવરને આવ્યો Heart Attack, મુસાફરોને બચાવવા માટે ડ્રાઈવરે જે કર્યું તે મુસાફરોને હંમેેશા યાદ રહેશે! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-31 11:09:07

આપણે જ્યારે બસ મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે ડ્રાઈવરને ન જાણવા છતાંય તેમની પર વિશ્વાસ રાખીએ છીએ. આપણે આપણી જિંદગી ડ્રાઈવરના હાથમાં સોંપતા હોઈએ છીએ મુસાફરી વખતે. ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલી એક ચૂકની કિંમત અનેક લોકોને ચૂકવવી પડતી હોય છે. કોઈ વખત ડ્રાઈવરની ચૂકને કારણે અકસ્માત સર્જાય છે અને અનેક લોકોના મોત થઈ જતા હોય છે. આજે વાત ડ્રાઈવરની કરવી છે જેમણે સમય સૂચકતા રાખી અનેક લોકોના જીવ બચાવ્યા છે. ઘટના છે ઓડિશાની જ્યાં બસ ડ્રાઈવરને બસ ચલાવતી વખતે હાર્ટ એટેક આવ્યો. છાતીમાં દુખાવો શરૂ થતાં જ ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી રાખી અને બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જીવને બચાવી લીધા.  


બસ ડ્રાઈવરને ડ્રાઈવિંગ કરતી વખતે આવ્યો હાર્ટ એટેક  

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ ગયો છે. નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે મોતને વ્હાલા થઈ રહ્યા છે. સાજો લાગતો વ્યક્તિ અચાનક મોતને ભેટે છે. હાર્ટ એટેક શબ્દ સામાન્ય બની ગયો છે. આ સમાચાર પણ હાર્ટ એટેક રિલેટેડ જ છે. સામાન્ય રીતે હાર્ટ એટેક આવે છે ત્યારે છાતીમાં દુખાવો થાય છે અને જીવ જતો રહે છે. છાતીમાં દુખાવો થાય ત્યારે અનેક લોકોને અહેસાસ થઈ જતો હોય છે કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેકનો કિસ્સો ઓડિશાથી સામે આવ્યો છે જેમાં બસ ડ્રાઈવરને ડ્રાઈવિંગ કરતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યો. 


બસને સાઈડમાં ઉભી રાખી બચાવ્યો પેસેન્જરોનો જીવ!

જે બસ ડ્રાઈવર સાથે આ દુર્ઘટના બની તેમની જિંદગી પર 60 જેટલા મુસાફરોની જિંદગીની જવાબદારી હતી! એટલે કે જે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો તે બસમાં 60 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. છાતીમાં દુખાવો ઉપડ્તા ડ્રાઈવર બેભાન થવા લાગ્યા. પરંતુ બેભાન થાય તેની પહેલા તેમણે બસને સાઈડમાં સુરક્ષિત ઉભી રાખી. બસના મુસાફરો તો બચી ગયા પરંતુ તે ડ્રાઈવરનો જીવ બચી ન શક્યો. ડ્રાઈવરને લોકો ડોક્ટર પાસે લઈ ગયા પરંતુ ડોક્ટરે તેમને મૃત ઘોષિત કરી દીધા. 


દુર્ઘટના સર્જાતા બચી!

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના મંગળવારે બની હતી. પોલીસે જણાવ્યું કે બસમાં પશ્ચિમ બંગાળના પ્રવાસીઓ હતા. તેમને લઈને જતી બસ પંચલિંગેશ્વર મંદિર જઈ રહી હતી, ત્યારે ડ્રાઈવર શેખ અખ્તરને હાર્ટ એટેક આવ્યો. દર્દનો અનુભવ થતાં જ શેખ અખ્તરે બસ રોડની બાજુમાં રોકી દીધી. બસ ઉભી થતા જ તે બેભાન થઈ ગયો. મહત્વનું છે કે ડ્રાઈવરની સમય સૂકચતાને કારણે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સુરક્ષિત છે. જો ડ્રાઈવર બસને સાઈડમાં  ન ઊભા રાખતા તો કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શક્તી હતી.      



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.