G-20 સમિટ માટે ભારત આવેલા Joe Biden Convoyમાં ડ્રાઈવરે કરી આ મોટી ભૂલ કે અધિકારીઓએ કરવી પડી પૂછપરછ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-09-11 14:57:28

વધારે પૈસા કમાવાની આશા દરેક વ્યક્તિને હોય છે. Extra Income માટે લોકો વધારાનું કામ પણ કરતા હોય છે. ટાઈમ મળતા જ બીજી જગ્યા પર કામ કરવા માટે લોકો જતા હોય છે. ત્યારે આવું જ કંઈક જી-20 સમિટ માટે ભારત આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના કાફલાના એક ડ્રાઈવરે કર્યું છે. જી-20 સમિટની ભાગદોડમાંથી થોડો સમય ડ્રાઈવરને મળ્યો તો તે પેસેન્જરને લઈ ફેરો કરવા નીકળી ગયો. વધારાના પૈસા મળશે અને કોઈને ખબર નહીં પડે પરંતુ ડ્રાઈવરની ચોરી પકડાઈ ગઈ. 


બીજા પેસેન્જરને છોડવા ડ્રાઈવરે છોડી આ જવાબદારી!

જો બાઈડન તો ભારતથી પરત જતા રહ્યા પરંતુ હવે આ સમાચાર સામે આવ્યા છે. બાઈડનના કાફલામાં અધિકારીઓ માટે રાખવામાં આવેલા એક ડ્રાઈવર કોઈ બીજા પેસેન્જરને છોડવા માટે બીજા હોટલ પહોંચી ગયો. જેવી તેવી હોટલમાં નહીં પરંતુ યુએઈના ક્રાઉન પ્રિંસ જ્યાં રોકોયા હતા. ઘટનાની જાણ થતાં જ ડ્રાઈવરને પોલીસે હિરાસતમાં લઈ લીધા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.     



આ રીતે પકડાઈ ડ્રાઈવરની પોલ! 

આજતકના રિપોર્ટ અનુસાર આ ઘટના શનિવારે બની હતી. ડ્રાઈવર પોતાના કસ્ટમર એક કારોબારી હતી. લોધી સ્ટેટ વિસ્તારમાંથી ડ્રાઈવરે પેસેન્જરને બેસાડ્યા અને તાજ હોટલ લઈને ગયા. ત્યાં રહેલા સુરક્ષાકર્મીઓએ ગાડીને રોકી અને પૂછપરછ કરી. કાર પર અનેક સ્ટિકરો લાગેલા હતા. જેને કારણે અધિકારીઓને તરત ખબર પડી ગઈ અને પોલીસને જાણ કરવામાં આવી. 


પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે કહી આ વાત 

પકડાયા બાદ જ્યારે પોલીસ ડ્રાઈવરની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે કહ્યું કે યુએસ પ્રમુખ જો બિડેન આઈટીસી મૌર્યમાં રોકાયા છે. મારે ત્યાં 9.30 વાગ્યે પહોંચવાનું હતું. મારી પાસે સમય હતો. તેથી સવારે 8 વાગ્યે હું મારા એક જૂના ગ્રાહકને લોધી સ્ટેટથી હોટેલ તાજમાં લઈ ગયો. મને પ્રોટોકોલની ખબર નહોતી." પૂછપરછ બાદ ડ્રાઈવરને છોડી દેવામાં આવ્યો હતો. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .