G-20 સમિટ માટે ભારત આવેલા Joe Biden Convoyમાં ડ્રાઈવરે કરી આ મોટી ભૂલ કે અધિકારીઓએ કરવી પડી પૂછપરછ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-09-11 14:57:28

વધારે પૈસા કમાવાની આશા દરેક વ્યક્તિને હોય છે. Extra Income માટે લોકો વધારાનું કામ પણ કરતા હોય છે. ટાઈમ મળતા જ બીજી જગ્યા પર કામ કરવા માટે લોકો જતા હોય છે. ત્યારે આવું જ કંઈક જી-20 સમિટ માટે ભારત આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના કાફલાના એક ડ્રાઈવરે કર્યું છે. જી-20 સમિટની ભાગદોડમાંથી થોડો સમય ડ્રાઈવરને મળ્યો તો તે પેસેન્જરને લઈ ફેરો કરવા નીકળી ગયો. વધારાના પૈસા મળશે અને કોઈને ખબર નહીં પડે પરંતુ ડ્રાઈવરની ચોરી પકડાઈ ગઈ. 


બીજા પેસેન્જરને છોડવા ડ્રાઈવરે છોડી આ જવાબદારી!

જો બાઈડન તો ભારતથી પરત જતા રહ્યા પરંતુ હવે આ સમાચાર સામે આવ્યા છે. બાઈડનના કાફલામાં અધિકારીઓ માટે રાખવામાં આવેલા એક ડ્રાઈવર કોઈ બીજા પેસેન્જરને છોડવા માટે બીજા હોટલ પહોંચી ગયો. જેવી તેવી હોટલમાં નહીં પરંતુ યુએઈના ક્રાઉન પ્રિંસ જ્યાં રોકોયા હતા. ઘટનાની જાણ થતાં જ ડ્રાઈવરને પોલીસે હિરાસતમાં લઈ લીધા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.     



આ રીતે પકડાઈ ડ્રાઈવરની પોલ! 

આજતકના રિપોર્ટ અનુસાર આ ઘટના શનિવારે બની હતી. ડ્રાઈવર પોતાના કસ્ટમર એક કારોબારી હતી. લોધી સ્ટેટ વિસ્તારમાંથી ડ્રાઈવરે પેસેન્જરને બેસાડ્યા અને તાજ હોટલ લઈને ગયા. ત્યાં રહેલા સુરક્ષાકર્મીઓએ ગાડીને રોકી અને પૂછપરછ કરી. કાર પર અનેક સ્ટિકરો લાગેલા હતા. જેને કારણે અધિકારીઓને તરત ખબર પડી ગઈ અને પોલીસને જાણ કરવામાં આવી. 


પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે કહી આ વાત 

પકડાયા બાદ જ્યારે પોલીસ ડ્રાઈવરની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે કહ્યું કે યુએસ પ્રમુખ જો બિડેન આઈટીસી મૌર્યમાં રોકાયા છે. મારે ત્યાં 9.30 વાગ્યે પહોંચવાનું હતું. મારી પાસે સમય હતો. તેથી સવારે 8 વાગ્યે હું મારા એક જૂના ગ્રાહકને લોધી સ્ટેટથી હોટેલ તાજમાં લઈ ગયો. મને પ્રોટોકોલની ખબર નહોતી." પૂછપરછ બાદ ડ્રાઈવરને છોડી દેવામાં આવ્યો હતો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.