G-20 સમિટ માટે ભારત આવેલા Joe Biden Convoyમાં ડ્રાઈવરે કરી આ મોટી ભૂલ કે અધિકારીઓએ કરવી પડી પૂછપરછ! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-09-11 14:57:28

વધારે પૈસા કમાવાની આશા દરેક વ્યક્તિને હોય છે. Extra Income માટે લોકો વધારાનું કામ પણ કરતા હોય છે. ટાઈમ મળતા જ બીજી જગ્યા પર કામ કરવા માટે લોકો જતા હોય છે. ત્યારે આવું જ કંઈક જી-20 સમિટ માટે ભારત આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના કાફલાના એક ડ્રાઈવરે કર્યું છે. જી-20 સમિટની ભાગદોડમાંથી થોડો સમય ડ્રાઈવરને મળ્યો તો તે પેસેન્જરને લઈ ફેરો કરવા નીકળી ગયો. વધારાના પૈસા મળશે અને કોઈને ખબર નહીં પડે પરંતુ ડ્રાઈવરની ચોરી પકડાઈ ગઈ. 


બીજા પેસેન્જરને છોડવા ડ્રાઈવરે છોડી આ જવાબદારી!

જો બાઈડન તો ભારતથી પરત જતા રહ્યા પરંતુ હવે આ સમાચાર સામે આવ્યા છે. બાઈડનના કાફલામાં અધિકારીઓ માટે રાખવામાં આવેલા એક ડ્રાઈવર કોઈ બીજા પેસેન્જરને છોડવા માટે બીજા હોટલ પહોંચી ગયો. જેવી તેવી હોટલમાં નહીં પરંતુ યુએઈના ક્રાઉન પ્રિંસ જ્યાં રોકોયા હતા. ઘટનાની જાણ થતાં જ ડ્રાઈવરને પોલીસે હિરાસતમાં લઈ લીધા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.     



આ રીતે પકડાઈ ડ્રાઈવરની પોલ! 

આજતકના રિપોર્ટ અનુસાર આ ઘટના શનિવારે બની હતી. ડ્રાઈવર પોતાના કસ્ટમર એક કારોબારી હતી. લોધી સ્ટેટ વિસ્તારમાંથી ડ્રાઈવરે પેસેન્જરને બેસાડ્યા અને તાજ હોટલ લઈને ગયા. ત્યાં રહેલા સુરક્ષાકર્મીઓએ ગાડીને રોકી અને પૂછપરછ કરી. કાર પર અનેક સ્ટિકરો લાગેલા હતા. જેને કારણે અધિકારીઓને તરત ખબર પડી ગઈ અને પોલીસને જાણ કરવામાં આવી. 


પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે કહી આ વાત 

પકડાયા બાદ જ્યારે પોલીસ ડ્રાઈવરની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવરે કહ્યું કે યુએસ પ્રમુખ જો બિડેન આઈટીસી મૌર્યમાં રોકાયા છે. મારે ત્યાં 9.30 વાગ્યે પહોંચવાનું હતું. મારી પાસે સમય હતો. તેથી સવારે 8 વાગ્યે હું મારા એક જૂના ગ્રાહકને લોધી સ્ટેટથી હોટેલ તાજમાં લઈ ગયો. મને પ્રોટોકોલની ખબર નહોતી." પૂછપરછ બાદ ડ્રાઈવરને છોડી દેવામાં આવ્યો હતો. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.