રાજસ્થાન સરકારે લીધેલા નિર્ણયના પડઘા ગુજરાતમાં સંભળાયા


  • Published By :
  • Published Date : 2022-10-23 11:27:52

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાત મોડલ બતાવી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે તો આમ આદમી પાર્ટી પંજાબ અને દિલ્હી મોડલ બતાવી પ્રચાર કરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ અનેક વખત રાજસ્થાન મોડલ બતાવવાની કોશિશ કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં આવી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પોતાની માગને લઈ VCE કર્મચારી આંદોલન કરી રહ્યા છે પરંતુ તેમનો અવાજ સરકાર નથી સાંભળી રહી. એવામાં રાજસ્થાન સરકારે પંચાયત સહાયકને કાયમી કરવાનો નિર્ણય કર્યો છે. આ વાતને લઈ ગુજરાતના VCE કર્મચારીઓએ ભાજપ સરકારને પગાર આપવાનો આગ્રહ કર્યો છે. 

ગુજરાતમાં અશોક ગેહલોતે સ્વીકાર્યું, 'અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી એ મારી સૌથી  મોટી ભૂલ હતી'

VCEને પગાર કરવાની ઉઠી માગ

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણીને લઈ પાર્ટી સજ્જ થઈ ગઈ છે. ભાજપ, આપ તેમજ કોંગ્રેસ પ્રચાર કરી રહી છે. ચૂંટણી નજીક આવતા પોતાની પડતર માગણીને લઈ ગુજરાતમાં અનેક આંદોલન ચાલ્યા હતા. એક બાદ એક આંદોલનો સમેટાઈ ગયા. પરંતુ VCE કર્મચારી પોતાની લડાઈ લડી રહ્યા છે. એવામાં રાજસ્થાનમાં અશોક ગેહલોતની એટલે કે કોંગ્રેસ સરકારે પંચાયત સહાયકને કાયમી કરી દીધા છે. જેને લઈ ગુજરાતના VCE કર્મચારીઓ પણ ડબલ એન્જીન સરકાર પાસેથી ન્યાયની આશા રાખી રહ્યા છે.

  

ટ્વિટ કરી ડબલ એન્જીન સરકાર પર કર્યા પ્રહાર 

ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વીસીઈ મંડળે ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું કે રાજસ્થાનમાં અશોક ગેહલોત, કોંગ્રેસ સરકારે પંચાયત સહાયકને કાયમી કરીને ન્યાય આપ્યો તો, ગુજરાતની ડબલ એન્જીન સરકાર ગ્રામ પંચાયત વીસીઈને પગાર આપી ન્યાય આપે.               



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.