રાજસ્થાન સરકારે લીધેલા નિર્ણયના પડઘા ગુજરાતમાં સંભળાયા


  • Published By :
  • Published Date : 2022-10-23 11:27:52

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાત મોડલ બતાવી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે તો આમ આદમી પાર્ટી પંજાબ અને દિલ્હી મોડલ બતાવી પ્રચાર કરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ અનેક વખત રાજસ્થાન મોડલ બતાવવાની કોશિશ કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં આવી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પોતાની માગને લઈ VCE કર્મચારી આંદોલન કરી રહ્યા છે પરંતુ તેમનો અવાજ સરકાર નથી સાંભળી રહી. એવામાં રાજસ્થાન સરકારે પંચાયત સહાયકને કાયમી કરવાનો નિર્ણય કર્યો છે. આ વાતને લઈ ગુજરાતના VCE કર્મચારીઓએ ભાજપ સરકારને પગાર આપવાનો આગ્રહ કર્યો છે. 

ગુજરાતમાં અશોક ગેહલોતે સ્વીકાર્યું, 'અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી એ મારી સૌથી  મોટી ભૂલ હતી'

VCEને પગાર કરવાની ઉઠી માગ

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણીને લઈ પાર્ટી સજ્જ થઈ ગઈ છે. ભાજપ, આપ તેમજ કોંગ્રેસ પ્રચાર કરી રહી છે. ચૂંટણી નજીક આવતા પોતાની પડતર માગણીને લઈ ગુજરાતમાં અનેક આંદોલન ચાલ્યા હતા. એક બાદ એક આંદોલનો સમેટાઈ ગયા. પરંતુ VCE કર્મચારી પોતાની લડાઈ લડી રહ્યા છે. એવામાં રાજસ્થાનમાં અશોક ગેહલોતની એટલે કે કોંગ્રેસ સરકારે પંચાયત સહાયકને કાયમી કરી દીધા છે. જેને લઈ ગુજરાતના VCE કર્મચારીઓ પણ ડબલ એન્જીન સરકાર પાસેથી ન્યાયની આશા રાખી રહ્યા છે.

  

ટ્વિટ કરી ડબલ એન્જીન સરકાર પર કર્યા પ્રહાર 

ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વીસીઈ મંડળે ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું કે રાજસ્થાનમાં અશોક ગેહલોત, કોંગ્રેસ સરકારે પંચાયત સહાયકને કાયમી કરીને ન્યાય આપ્યો તો, ગુજરાતની ડબલ એન્જીન સરકાર ગ્રામ પંચાયત વીસીઈને પગાર આપી ન્યાય આપે.               



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.