રાજસ્થાન સરકારે લીધેલા નિર્ણયના પડઘા ગુજરાતમાં સંભળાયા


  • Published By :
  • Published Date : 2022-10-23 11:27:52

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાત મોડલ બતાવી ભાજપ પોતાનો પ્રચાર કરી રહી છે તો આમ આદમી પાર્ટી પંજાબ અને દિલ્હી મોડલ બતાવી પ્રચાર કરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ અનેક વખત રાજસ્થાન મોડલ બતાવવાની કોશિશ કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતમાં આવી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પોતાની માગને લઈ VCE કર્મચારી આંદોલન કરી રહ્યા છે પરંતુ તેમનો અવાજ સરકાર નથી સાંભળી રહી. એવામાં રાજસ્થાન સરકારે પંચાયત સહાયકને કાયમી કરવાનો નિર્ણય કર્યો છે. આ વાતને લઈ ગુજરાતના VCE કર્મચારીઓએ ભાજપ સરકારને પગાર આપવાનો આગ્રહ કર્યો છે. 

ગુજરાતમાં અશોક ગેહલોતે સ્વીકાર્યું, 'અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી એ મારી સૌથી  મોટી ભૂલ હતી'

VCEને પગાર કરવાની ઉઠી માગ

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણીને લઈ પાર્ટી સજ્જ થઈ ગઈ છે. ભાજપ, આપ તેમજ કોંગ્રેસ પ્રચાર કરી રહી છે. ચૂંટણી નજીક આવતા પોતાની પડતર માગણીને લઈ ગુજરાતમાં અનેક આંદોલન ચાલ્યા હતા. એક બાદ એક આંદોલનો સમેટાઈ ગયા. પરંતુ VCE કર્મચારી પોતાની લડાઈ લડી રહ્યા છે. એવામાં રાજસ્થાનમાં અશોક ગેહલોતની એટલે કે કોંગ્રેસ સરકારે પંચાયત સહાયકને કાયમી કરી દીધા છે. જેને લઈ ગુજરાતના VCE કર્મચારીઓ પણ ડબલ એન્જીન સરકાર પાસેથી ન્યાયની આશા રાખી રહ્યા છે.

  

ટ્વિટ કરી ડબલ એન્જીન સરકાર પર કર્યા પ્રહાર 

ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત વીસીઈ મંડળે ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું કે રાજસ્થાનમાં અશોક ગેહલોત, કોંગ્રેસ સરકારે પંચાયત સહાયકને કાયમી કરીને ન્યાય આપ્યો તો, ગુજરાતની ડબલ એન્જીન સરકાર ગ્રામ પંચાયત વીસીઈને પગાર આપી ન્યાય આપે.               



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.