Gujaratમાં શિક્ષણ વિભાગ ફરી થયું શર્મસાર! Banaskanthaના ચીખલા પ્રાથમિક શાળામાં દારૂ પીને આવ્યા શિક્ષક, ગ્રામજનોએ બતાવી હિંમત અને લીધું આ પગલું!


  • Published By :
  • Published Date : 2023-08-04 10:31:14

ગુજરાતમાં કહેવા માટે તો દારૂ બંધી છે. ગુજરાતને ડ્રાયસ્ટેટ કહેવામાં આવે છે પરંતુ તે વાત માત્ર  પેપર પૂરતી જ સિમીત છે. આ વાત આપણે સૌ જાણીએ છીએ. અનેક એવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં આ વાત સાચી પૂરવાર થાય છે. સામાન્ય લોકો તો દારૂના નશામાં અનેક વખત જોવા મળતા હોય છે પરંતુ એવા અનેક વીડિયો પણ સામે આવતા હોય છે જેમાં પોલીસ વાળા, શિક્ષકો, બસ ડ્રાઈવર નશાની હાલતમાં દેખાતા હોય છે. ત્યારે બનાસકાંઠાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં શાળામાં ભણાવતા શિક્ષક નશાની હાલતમાં દેખાયા હતા. શાળામાં નશાની હાલતમાં શાળામાં પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ તેને શાળાની બહાર કાઢી મૂક્યા હતા. 


અનેક શાળાની બિલ્ડિંગ હશે જે જર્જરિત હાલતમાં જોવા મળે છે...

શિક્ષણ વિભાગની હાલત એકદમ કફોડી બની રહી છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે જેમાં શાળાની હાલત એકદમ બિસ્માર દેખાતી હોય છે. શાળાની બિલ્ડિંગ જર્જરિત જોવા મળતી હોય છે. કોઈ વખત શિક્ષકોની ઘટ હોય તો કોઈ વખત એવી સુવિધાઓ ન મળતી હોય જેને લઈ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે. એક તરફ કાયમી શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ કાયમી ભરતી શિક્ષકોની કરવામાં આવે તેવી શિક્ષકોની માગ છે.  


નશાની હાલતમાં શિક્ષક આવ્યો શાળાએ!

ત્યારે બનાસકાંઠાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં શિક્ષક વિદ્યાર્થીને ભણાવવા તો આવે છે પરંતુ નશાની હાલતમાં. મળતી માહિતી અનુસાર બનાસકાંઠાની ચીખલા સરકારી પ્રાથમિક શાળામાં નશાની હાલત, દારૂ પીને ટલ્લી થયેલા શિક્ષક આવે છે. આ વાતની જાણ ગ્રામજનો તેમજ વિદ્યાર્થીના વાલીઓ થતા તેઓ શાળાએ આવી જાય છે અને શિક્ષકને શાળાની બહાર કાઢી મૂકે છે. આ એ શાળા છે જ્યાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોના છોકરાઓ અભ્યાસ કરે છે. તેમના માટે વિદ્યાભ્યાસ કરવો ખૂબ જરૂરી હોય છે. નશાની હાલતમાં આવેલા શિક્ષકનો વાલીઓએ વીડિયો બનાવ્યો અને તે હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શાળામાં આની પહેલા પણ થોડા દિવસ પૂર્વે આવો જ કિસ્સો દાંતાથી સામે આવ્યો હતો. 


શાળામાં દેશના ભાવિના ભવિષ્યનું થાય છે ઘડતર 

જે શિક્ષકના ભરોસે ગુજરાતનું અને દેશનું ભાવિ છે તે જ નશાની હાલતમાં દેખાશે તો આપણા દેશનું ભાવિ કેવું હશે? દેશના ઘડતરમાં તેમજ સમાજના ઘડતરમાં શિક્ષકની મહત્વની ભૂમિકા હોય છે અને જો શિક્ષક જ પોતાની ભૂમિકાને સારી રીતે નહીં ભજવે તો દેશનું ભાવિ ખતરામાં છે... આચાર્ય ચાણક્ય એટલે કહેતા હતા કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદમે પલતે હેં.. ખેર દારૂબંધીની વાત માત્ર કહેવા પૂરતી જ સીમિત છે તે આપણે જાણીએ છીએ. કારણ કે ગુજરાત પોલીસ દ્વારા જે મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તેમાં સામે આવ્યું છે કે અનેક લોકોને પોલીસે પકડ્યા છે જે નશાની હાલતમાં ગાડી ચલાવે છે.આ મામલે કોઈ કડક પગલા લેવા પડશે કારણ કે શાળામાં ન માત્ર બાળક ભણે છે પરંતુ દેશનું ભાવિ ભણતું હોય છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.