Gujaratમાં શિક્ષણ વિભાગ ફરી થયું શર્મસાર! Banaskanthaના ચીખલા પ્રાથમિક શાળામાં દારૂ પીને આવ્યા શિક્ષક, ગ્રામજનોએ બતાવી હિંમત અને લીધું આ પગલું!


  • Published By :
  • Published Date : 2023-08-04 10:31:14

ગુજરાતમાં કહેવા માટે તો દારૂ બંધી છે. ગુજરાતને ડ્રાયસ્ટેટ કહેવામાં આવે છે પરંતુ તે વાત માત્ર  પેપર પૂરતી જ સિમીત છે. આ વાત આપણે સૌ જાણીએ છીએ. અનેક એવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં આ વાત સાચી પૂરવાર થાય છે. સામાન્ય લોકો તો દારૂના નશામાં અનેક વખત જોવા મળતા હોય છે પરંતુ એવા અનેક વીડિયો પણ સામે આવતા હોય છે જેમાં પોલીસ વાળા, શિક્ષકો, બસ ડ્રાઈવર નશાની હાલતમાં દેખાતા હોય છે. ત્યારે બનાસકાંઠાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં શાળામાં ભણાવતા શિક્ષક નશાની હાલતમાં દેખાયા હતા. શાળામાં નશાની હાલતમાં શાળામાં પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ તેને શાળાની બહાર કાઢી મૂક્યા હતા. 


અનેક શાળાની બિલ્ડિંગ હશે જે જર્જરિત હાલતમાં જોવા મળે છે...

શિક્ષણ વિભાગની હાલત એકદમ કફોડી બની રહી છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે જેમાં શાળાની હાલત એકદમ બિસ્માર દેખાતી હોય છે. શાળાની બિલ્ડિંગ જર્જરિત જોવા મળતી હોય છે. કોઈ વખત શિક્ષકોની ઘટ હોય તો કોઈ વખત એવી સુવિધાઓ ન મળતી હોય જેને લઈ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે. એક તરફ કાયમી શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ કાયમી ભરતી શિક્ષકોની કરવામાં આવે તેવી શિક્ષકોની માગ છે.  


નશાની હાલતમાં શિક્ષક આવ્યો શાળાએ!

ત્યારે બનાસકાંઠાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં શિક્ષક વિદ્યાર્થીને ભણાવવા તો આવે છે પરંતુ નશાની હાલતમાં. મળતી માહિતી અનુસાર બનાસકાંઠાની ચીખલા સરકારી પ્રાથમિક શાળામાં નશાની હાલત, દારૂ પીને ટલ્લી થયેલા શિક્ષક આવે છે. આ વાતની જાણ ગ્રામજનો તેમજ વિદ્યાર્થીના વાલીઓ થતા તેઓ શાળાએ આવી જાય છે અને શિક્ષકને શાળાની બહાર કાઢી મૂકે છે. આ એ શાળા છે જ્યાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોના છોકરાઓ અભ્યાસ કરે છે. તેમના માટે વિદ્યાભ્યાસ કરવો ખૂબ જરૂરી હોય છે. નશાની હાલતમાં આવેલા શિક્ષકનો વાલીઓએ વીડિયો બનાવ્યો અને તે હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શાળામાં આની પહેલા પણ થોડા દિવસ પૂર્વે આવો જ કિસ્સો દાંતાથી સામે આવ્યો હતો. 


શાળામાં દેશના ભાવિના ભવિષ્યનું થાય છે ઘડતર 

જે શિક્ષકના ભરોસે ગુજરાતનું અને દેશનું ભાવિ છે તે જ નશાની હાલતમાં દેખાશે તો આપણા દેશનું ભાવિ કેવું હશે? દેશના ઘડતરમાં તેમજ સમાજના ઘડતરમાં શિક્ષકની મહત્વની ભૂમિકા હોય છે અને જો શિક્ષક જ પોતાની ભૂમિકાને સારી રીતે નહીં ભજવે તો દેશનું ભાવિ ખતરામાં છે... આચાર્ય ચાણક્ય એટલે કહેતા હતા કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદમે પલતે હેં.. ખેર દારૂબંધીની વાત માત્ર કહેવા પૂરતી જ સીમિત છે તે આપણે જાણીએ છીએ. કારણ કે ગુજરાત પોલીસ દ્વારા જે મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તેમાં સામે આવ્યું છે કે અનેક લોકોને પોલીસે પકડ્યા છે જે નશાની હાલતમાં ગાડી ચલાવે છે.આ મામલે કોઈ કડક પગલા લેવા પડશે કારણ કે શાળામાં ન માત્ર બાળક ભણે છે પરંતુ દેશનું ભાવિ ભણતું હોય છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.