દેવાંશી જોષીની શાળાએ પહોંચ્યા શિક્ષણમંત્રી, વિદ્યાર્થીના જીવનમાં શાળાનું શું હોય છે મહત્વ તે સમજાવ્યું. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-25 09:59:53

કહેવાય છે કે રાજ્યના બાળકોનું ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ થાય જ્યારે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા સારી હોય. શાળામાં દેશના ભવિષ્યનું ઘડતર થાય છે, દેશના ભાવિ નાગરિકોને સંસ્કાર મળે છે. શાળા એ હોય છે જ્યાં વિદ્યાર્થીના સપનાને આકાર મળે છે, ભવિષ્યમાં વિદ્યાર્થી શું બનશે તેના સપનાનું સિંચન શાળામાં થાય છે. પરંતુ દુર્ભાગ્ય એ છે કે શાળાની પરિસ્થિતિ તેમજ શિક્ષણ વિભાગની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. 

શાળામાં મળેલા ભણતરનું ઘડતરમાં હોય છે વિશેષ સ્થાન     

શહેરમાં રહેતા લોકોને કદાચ જીવનના ઘડતરમાં શાળાની શું કિંમત છે તેનો કદાચ ખ્યાલ નહીં હોય, કારણ કે તેમને ત્યાં શાળાઓના અનેક ઓપ્શન ઉપલ્બધ હશે. આ સ્કૂલ નહીં તો બીજી સ્કૂલ પરંતુ જ્યારે ગામડામાં રહેતા વિદ્યાર્થીના જીવનમાં શાળાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ગામડામાં અથવા નાના શહેરમાં આવેલી સરકારી શાળામાં પેઢીઓની પેઢીઓ અભ્યાસ કરતી હોય છે. તમે પણ કદાચ એ જ શાળામાં ભણ્યા હશો ત્યાં તમારા પિતાએ અભ્યાસ કર્યો હશે. અને તમે એવું પણ ઈચ્છતા હશો કે તમારી આવનારી પેઢી પણ એ શાળામાં ભણે. પરંતુ અનેક સરકારી શાળાઓ એવી છે જેની ઈમારતો જૂની થઈ ગઈ છે. જૂની ઈમારતો હોવાને કારણે લોકોને પોતાના સંતાનોને અનેક કિલોમીટરો દૂર અને અનેક વખત સંઘર્ષ કરી અભ્યાસ માટે મોકલવા પડે છે.

લુણાવાડા પ્રાથમિક શાળાની શિક્ષણમંત્રીએ લીધી મુલાકાત

ગામમાં શાળાનું પ્રાંગણ હોવા છતાંય જો ગામના વિદ્યાર્થીઓને ભણવા માટે ક્યાંય બીજી જગ્યાએ જવું પડે તો તે પીડા કષ્ટદાયક હોય છે. શિક્ષણ મુદ્દે ગંભીર બની શિક્ષણમંત્રી કોઈ પગલાં તેવી રજૂઆત અનેક વખત કરવામાં આવતી હોય છે. સરકારી શાળાઓમાં જઈ વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવે તે માટે પણ અનેક વખત અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે મહિસાગરથી નાતો રાખનાર શિક્ષણમંત્રીએ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલી વડાગામ પ્રાથમિક શાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. 


ગામના લોકો માટે શાળાનું શું હોય છે મહત્વ તે સમજાવ્યું! 

જે શાળાની મુલાકાત શિક્ષણમંત્રીએ લીધી હતી તે શાળામાં દેવાંશી જોષી ભણ્યા છે. પોતાની શાળા હોવાને કારણે ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ અંગે દેવાંશી જોષીએ સમજાવ્યું હતું. ગામડાના લોકો માટે તે શાળાની, શાળાના ઈમારતની શું કિંમત હોય તે તેમણે સમજાવ્યું હતું. ગામડાના વિદ્યાર્થીઓમાં રહેલા પોટેન્શિયલ વિશે પણ તેમણે જણાવ્યું હતું.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.