દેવાંશી જોષીની શાળાએ પહોંચ્યા શિક્ષણમંત્રી, વિદ્યાર્થીના જીવનમાં શાળાનું શું હોય છે મહત્વ તે સમજાવ્યું. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-25 09:59:53

કહેવાય છે કે રાજ્યના બાળકોનું ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ થાય જ્યારે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા સારી હોય. શાળામાં દેશના ભવિષ્યનું ઘડતર થાય છે, દેશના ભાવિ નાગરિકોને સંસ્કાર મળે છે. શાળા એ હોય છે જ્યાં વિદ્યાર્થીના સપનાને આકાર મળે છે, ભવિષ્યમાં વિદ્યાર્થી શું બનશે તેના સપનાનું સિંચન શાળામાં થાય છે. પરંતુ દુર્ભાગ્ય એ છે કે શાળાની પરિસ્થિતિ તેમજ શિક્ષણ વિભાગની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. 

શાળામાં મળેલા ભણતરનું ઘડતરમાં હોય છે વિશેષ સ્થાન     

શહેરમાં રહેતા લોકોને કદાચ જીવનના ઘડતરમાં શાળાની શું કિંમત છે તેનો કદાચ ખ્યાલ નહીં હોય, કારણ કે તેમને ત્યાં શાળાઓના અનેક ઓપ્શન ઉપલ્બધ હશે. આ સ્કૂલ નહીં તો બીજી સ્કૂલ પરંતુ જ્યારે ગામડામાં રહેતા વિદ્યાર્થીના જીવનમાં શાળાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ગામડામાં અથવા નાના શહેરમાં આવેલી સરકારી શાળામાં પેઢીઓની પેઢીઓ અભ્યાસ કરતી હોય છે. તમે પણ કદાચ એ જ શાળામાં ભણ્યા હશો ત્યાં તમારા પિતાએ અભ્યાસ કર્યો હશે. અને તમે એવું પણ ઈચ્છતા હશો કે તમારી આવનારી પેઢી પણ એ શાળામાં ભણે. પરંતુ અનેક સરકારી શાળાઓ એવી છે જેની ઈમારતો જૂની થઈ ગઈ છે. જૂની ઈમારતો હોવાને કારણે લોકોને પોતાના સંતાનોને અનેક કિલોમીટરો દૂર અને અનેક વખત સંઘર્ષ કરી અભ્યાસ માટે મોકલવા પડે છે.

લુણાવાડા પ્રાથમિક શાળાની શિક્ષણમંત્રીએ લીધી મુલાકાત

ગામમાં શાળાનું પ્રાંગણ હોવા છતાંય જો ગામના વિદ્યાર્થીઓને ભણવા માટે ક્યાંય બીજી જગ્યાએ જવું પડે તો તે પીડા કષ્ટદાયક હોય છે. શિક્ષણ મુદ્દે ગંભીર બની શિક્ષણમંત્રી કોઈ પગલાં તેવી રજૂઆત અનેક વખત કરવામાં આવતી હોય છે. સરકારી શાળાઓમાં જઈ વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવે તે માટે પણ અનેક વખત અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે મહિસાગરથી નાતો રાખનાર શિક્ષણમંત્રીએ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલી વડાગામ પ્રાથમિક શાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. 


ગામના લોકો માટે શાળાનું શું હોય છે મહત્વ તે સમજાવ્યું! 

જે શાળાની મુલાકાત શિક્ષણમંત્રીએ લીધી હતી તે શાળામાં દેવાંશી જોષી ભણ્યા છે. પોતાની શાળા હોવાને કારણે ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ અંગે દેવાંશી જોષીએ સમજાવ્યું હતું. ગામડાના લોકો માટે તે શાળાની, શાળાના ઈમારતની શું કિંમત હોય તે તેમણે સમજાવ્યું હતું. ગામડાના વિદ્યાર્થીઓમાં રહેલા પોટેન્શિયલ વિશે પણ તેમણે જણાવ્યું હતું.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.