દેવાંશી જોષીની શાળાએ પહોંચ્યા શિક્ષણમંત્રી, વિદ્યાર્થીના જીવનમાં શાળાનું શું હોય છે મહત્વ તે સમજાવ્યું. જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-25 09:59:53

કહેવાય છે કે રાજ્યના બાળકોનું ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ થાય જ્યારે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા સારી હોય. શાળામાં દેશના ભવિષ્યનું ઘડતર થાય છે, દેશના ભાવિ નાગરિકોને સંસ્કાર મળે છે. શાળા એ હોય છે જ્યાં વિદ્યાર્થીના સપનાને આકાર મળે છે, ભવિષ્યમાં વિદ્યાર્થી શું બનશે તેના સપનાનું સિંચન શાળામાં થાય છે. પરંતુ દુર્ભાગ્ય એ છે કે શાળાની પરિસ્થિતિ તેમજ શિક્ષણ વિભાગની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. 

શાળામાં મળેલા ભણતરનું ઘડતરમાં હોય છે વિશેષ સ્થાન     

શહેરમાં રહેતા લોકોને કદાચ જીવનના ઘડતરમાં શાળાની શું કિંમત છે તેનો કદાચ ખ્યાલ નહીં હોય, કારણ કે તેમને ત્યાં શાળાઓના અનેક ઓપ્શન ઉપલ્બધ હશે. આ સ્કૂલ નહીં તો બીજી સ્કૂલ પરંતુ જ્યારે ગામડામાં રહેતા વિદ્યાર્થીના જીવનમાં શાળાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ગામડામાં અથવા નાના શહેરમાં આવેલી સરકારી શાળામાં પેઢીઓની પેઢીઓ અભ્યાસ કરતી હોય છે. તમે પણ કદાચ એ જ શાળામાં ભણ્યા હશો ત્યાં તમારા પિતાએ અભ્યાસ કર્યો હશે. અને તમે એવું પણ ઈચ્છતા હશો કે તમારી આવનારી પેઢી પણ એ શાળામાં ભણે. પરંતુ અનેક સરકારી શાળાઓ એવી છે જેની ઈમારતો જૂની થઈ ગઈ છે. જૂની ઈમારતો હોવાને કારણે લોકોને પોતાના સંતાનોને અનેક કિલોમીટરો દૂર અને અનેક વખત સંઘર્ષ કરી અભ્યાસ માટે મોકલવા પડે છે.

લુણાવાડા પ્રાથમિક શાળાની શિક્ષણમંત્રીએ લીધી મુલાકાત

ગામમાં શાળાનું પ્રાંગણ હોવા છતાંય જો ગામના વિદ્યાર્થીઓને ભણવા માટે ક્યાંય બીજી જગ્યાએ જવું પડે તો તે પીડા કષ્ટદાયક હોય છે. શિક્ષણ મુદ્દે ગંભીર બની શિક્ષણમંત્રી કોઈ પગલાં તેવી રજૂઆત અનેક વખત કરવામાં આવતી હોય છે. સરકારી શાળાઓમાં જઈ વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવે તે માટે પણ અનેક વખત અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે મહિસાગરથી નાતો રાખનાર શિક્ષણમંત્રીએ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલી વડાગામ પ્રાથમિક શાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. 


ગામના લોકો માટે શાળાનું શું હોય છે મહત્વ તે સમજાવ્યું! 

જે શાળાની મુલાકાત શિક્ષણમંત્રીએ લીધી હતી તે શાળામાં દેવાંશી જોષી ભણ્યા છે. પોતાની શાળા હોવાને કારણે ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ અંગે દેવાંશી જોષીએ સમજાવ્યું હતું. ગામડાના લોકો માટે તે શાળાની, શાળાના ઈમારતની શું કિંમત હોય તે તેમણે સમજાવ્યું હતું. ગામડાના વિદ્યાર્થીઓમાં રહેલા પોટેન્શિયલ વિશે પણ તેમણે જણાવ્યું હતું.     



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે