શિક્ષણ મંત્રીના વિસ્તારમાં શિક્ષણ અધિકારીએ કરી શાળાની સરપ્રાઈઝ વિઝીટ, જાણો આ વખતે અધિકારીએ શિક્ષણની કઈ પોલ ખોલી!


  • Published By :
  • Published Date : 2023-07-01 18:38:13

શિક્ષણ દેશ અને રાજ્યનો એક અતિ મહત્વનો મુદ્દો છે તેની વચ્ચે એક બાજુ IASના પત્રથી બોમ્બ ફૂટ્યો, શિક્ષણ મામલે મીડિયામાં ચર્ચા થઈ રહી છે તે સારી વાત છે પણ આ બધી પરિસ્થિતિની વચ્ચે મહીસાગરમાં પણ એવી જ એક ઘટના ઘટી છે. આમ પણ કોઈ એક વ્યક્તિ આગળ આવીને અવાજ ઉઠાવે છે તો પછી પાછળના લોકો પડકારને જીલવા પહોંચી જાય છે અને તે પણ મુદ્દો ઉઠાવવા લાગે છે. આજ કાલ ગુજરાતના અધિકારીઓ હાલ ક્રાંતિ કરવાના મૂડમાં છે. ધવલ પટેલ દ્વારા લખવામાં આવેલો પત્ર હાલ ચર્ચામાં છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ એક શાળાની મુલાકાત લીધી હતી. ત્યાં અધિકારીએ જે જોયું એ કદાચ ત્યાંના સ્થાનિક લોકો માટે સામાન્ય હોઈ શકે છે પરંતુ શહેરના લોકો માટે તે એકદમ અલગ હતું.      

વાછલાવાડાની પ્રાથમિક શાળાના આચાર્ય નશાની હાલતમાં!

આદિવાસી બાહુલ્ય વિસ્તાર મહીસાગરના શિક્ષણ બાબતનો મુદ્દો હવે ઉઠ્યો છે. જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સરપ્રાઈઝ ચેકિંગ માટે શિક્ષણ મંત્રીનો વિસ્તાર મહીસાગર પસંદ કર્યો હતો. જિલ્લાના શિક્ષણાધિકારી ડૉક્ટર અવની બા મોરીએ પણ જિલ્લાની શાળાઓમાં અચાનક મુલાકાત કરી તો શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે. આ વખતે બાળકોની, શિક્ષકોની કે શાળાની ફજેતી નથી થઈ પરંતુ શાળાના આચાર્ય વિવાદમાં આવ્યા છે. મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારી કોઈ જાણ કર્યા વગર કડાણા તાલુકાના વાછલાવાડાની પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા. જ્યાં તેમને શાળાના આચાર્ય સરદાર માલિવાડ નશાની હાલતમાં લથડિયા મારતા દેખાયા હતા. આવા  સમાચાર શહેરના લોકો માટે નવા હોઈ શકે છે પરંતુ ત્યાંના સ્થાનિક લોકો માટે આ વાત તો સામાન્ય છે. 


શિક્ષણ અંગે, બાળકના ભવિષ્ય માટે ક્યારે થશે વાત? 

ધવલ પટેલનો પત્ર સામે આવતા વિવાદ છેડાયો હતો પરંતુ જે પરિસ્થિતિ દર્શાવી છે તે સાચી છે, તે પરિસ્થિતિ સત્ય છે. શાળામાં જઈને જો સરકારી અધિકારીઓ તપાસ કરશે તો તેમને વાસ્તવિક્તાનો ખ્યાલ આવશે. અંતરિયાળ વિસ્તારમાં શાળાઓની આવી જ હાલત છે. જ્યારે આચાર્યોની વાત થાય ત્યારે તેમનું સંગઠન પોતાની વાત રજૂ કરે છે , શિક્ષકોની વાત આવે ત્યારે શિક્ષક સંઘ આવીને પોતાની વાત રજૂ કરે પરંતુ વિદ્યાર્થીઓ માટે તેમના શિક્ષણ માટે કોઈ વાત નથી કરતા. ત્યારે આવા અધિકારીઓની સિસ્ટમને જરૂર છે.         




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.