શિક્ષણ મંત્રીના વિસ્તારમાં શિક્ષણ અધિકારીએ કરી શાળાની સરપ્રાઈઝ વિઝીટ, જાણો આ વખતે અધિકારીએ શિક્ષણની કઈ પોલ ખોલી!


  • Published By :
  • Published Date : 2023-07-01 18:38:13

શિક્ષણ દેશ અને રાજ્યનો એક અતિ મહત્વનો મુદ્દો છે તેની વચ્ચે એક બાજુ IASના પત્રથી બોમ્બ ફૂટ્યો, શિક્ષણ મામલે મીડિયામાં ચર્ચા થઈ રહી છે તે સારી વાત છે પણ આ બધી પરિસ્થિતિની વચ્ચે મહીસાગરમાં પણ એવી જ એક ઘટના ઘટી છે. આમ પણ કોઈ એક વ્યક્તિ આગળ આવીને અવાજ ઉઠાવે છે તો પછી પાછળના લોકો પડકારને જીલવા પહોંચી જાય છે અને તે પણ મુદ્દો ઉઠાવવા લાગે છે. આજ કાલ ગુજરાતના અધિકારીઓ હાલ ક્રાંતિ કરવાના મૂડમાં છે. ધવલ પટેલ દ્વારા લખવામાં આવેલો પત્ર હાલ ચર્ચામાં છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ એક શાળાની મુલાકાત લીધી હતી. ત્યાં અધિકારીએ જે જોયું એ કદાચ ત્યાંના સ્થાનિક લોકો માટે સામાન્ય હોઈ શકે છે પરંતુ શહેરના લોકો માટે તે એકદમ અલગ હતું.      

વાછલાવાડાની પ્રાથમિક શાળાના આચાર્ય નશાની હાલતમાં!

આદિવાસી બાહુલ્ય વિસ્તાર મહીસાગરના શિક્ષણ બાબતનો મુદ્દો હવે ઉઠ્યો છે. જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સરપ્રાઈઝ ચેકિંગ માટે શિક્ષણ મંત્રીનો વિસ્તાર મહીસાગર પસંદ કર્યો હતો. જિલ્લાના શિક્ષણાધિકારી ડૉક્ટર અવની બા મોરીએ પણ જિલ્લાની શાળાઓમાં અચાનક મુલાકાત કરી તો શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે. આ વખતે બાળકોની, શિક્ષકોની કે શાળાની ફજેતી નથી થઈ પરંતુ શાળાના આચાર્ય વિવાદમાં આવ્યા છે. મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારી કોઈ જાણ કર્યા વગર કડાણા તાલુકાના વાછલાવાડાની પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા. જ્યાં તેમને શાળાના આચાર્ય સરદાર માલિવાડ નશાની હાલતમાં લથડિયા મારતા દેખાયા હતા. આવા  સમાચાર શહેરના લોકો માટે નવા હોઈ શકે છે પરંતુ ત્યાંના સ્થાનિક લોકો માટે આ વાત તો સામાન્ય છે. 


શિક્ષણ અંગે, બાળકના ભવિષ્ય માટે ક્યારે થશે વાત? 

ધવલ પટેલનો પત્ર સામે આવતા વિવાદ છેડાયો હતો પરંતુ જે પરિસ્થિતિ દર્શાવી છે તે સાચી છે, તે પરિસ્થિતિ સત્ય છે. શાળામાં જઈને જો સરકારી અધિકારીઓ તપાસ કરશે તો તેમને વાસ્તવિક્તાનો ખ્યાલ આવશે. અંતરિયાળ વિસ્તારમાં શાળાઓની આવી જ હાલત છે. જ્યારે આચાર્યોની વાત થાય ત્યારે તેમનું સંગઠન પોતાની વાત રજૂ કરે છે , શિક્ષકોની વાત આવે ત્યારે શિક્ષક સંઘ આવીને પોતાની વાત રજૂ કરે પરંતુ વિદ્યાર્થીઓ માટે તેમના શિક્ષણ માટે કોઈ વાત નથી કરતા. ત્યારે આવા અધિકારીઓની સિસ્ટમને જરૂર છે.         




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.