ચૂંટણી પ્રચાર પાછળ વપરાતા નાણાં પર રહેશે ચૂંટણી પંચની નજર, ચા-ભજીયા તેમજ નાસ્તાના ભાવ નક્કી કરાયા


  • Published By :
  • Published Date : 2022-11-13 11:28:11

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ ઉમેદવારો પોતાના પ્રચાર માટે લાગી ગયા છે. ચૂંટણી પ્રચાર પાછળ એટલો બધો ખર્ચ થઈ જતો હોય છે જેટલો ખર્ચતો ચૂંટણી માટે પણ નથી થતો. પ્રચાર પાછળ પાણીને જેમ પાર્ટી પૈસા વાપરી કાઢતી હોય છે. ત્યારે ખર્ચા પર નિયંત્રણ લાવવા ચૂંટણી પંચે પ્રચાર પાછળ વપરાતા ખર્ચ પર નિયંત્રણ મૂકી દીધો છે. જે અંતર્ગત ચા-કોફીના 15 રૂપિયા નક્કી કરાયા છે જ્યારે 100 ગ્રામ ભજીયાના 30 રૂપિયા નક્કી કરાયા છે. આવી અનેક વસ્તુઓ છે જેના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. 

assembly elections exit polls: No exit polls allowed until elections are  over: Election Commission - The Economic Times

પ્રચાર પાછળ વપરાતા નાણાં પર રખાશે નજર

ઉમેદવારો ચૂંટણી પ્રચાર પાછળ કેટલો ખર્ચ કરે છે તેની દેખરેખ રાખવા વરિષ્ઠ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે. જે  અંતર્ગત ઉમેદવારે રજાસ્ટર્ડ બનાવવાનું રહેશે જેમાં પ્રચાર દરમિયાન કરવામાં  આવેલા ખર્ચાઓ લખવાના રહેશે. ચૂંટણી પંચે વિધાનસભા બેઠકના પ્રત્યેક ઉમેદવાર માટે 40 લાખના મહત્તમ ચૂંટણી પ્રચાર ખર્ચની સીમા નક્કી કરી છે. જેમાં સભા-મંડપ, ફર્નિચર, પોસ્ટર તેમજ પ્રચાર દરમિયાન ઉપયોગ કરાતા તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ભાવમાં ગોટાળા ન થાય તે માટે કિંમતો પણ બહાર પાડી છે. 

ભજીયાઅનેગોટા_215b783a_1656760802341_sc_cmprsd_75.jpg

ભાવમાં ગોટાળો ન થાય તે માટે કિંમતો નક્કી કરાઈ  

પંચની નજર ઉમેદવારો દ્વારા કરાતા ખર્ચા પર પણ રહેશે. સાઉન્ડ સિસ્ટમ, મંડપ, ડેકોરેશન સહિતની તમામ વસ્તુઓ પર તેમની નજર રહેશે. ઉપરાંત ભોજનના ભાવમાં ગડબડ ન થાય તે માટે ભાવ પહેલેથી જ નક્કી કરી દેવામાં આવ્યા છે. જે અંતર્ગત એક કપ ચા-કોફી 15 રૂપિયામાં મળશે, કટિંગ ચા-કોફી 10મા મળશે. રૂ.20માં બિસ્કીટનું પેકેટ મળશે, બ્રેડ-બટર એક પ્લેટના 25 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે જ્યારે બટાકાપૌઆ, ઉપમા 20 રૂપિયામાં એક પ્લેટ મળશે જ્યારે 100 ગ્રામ ભજીયા માટે 30 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

બ્રેડબટરના 25 રૂપિયા, એક ગ્લાસ લીંબુ પાણીના 10 રૂપિયા જ્યારે 2 મોટા સમોસાના 40 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. પૂરી અથવા રોટલી,બે શાક દાળ,ભાત, પાપડ, સલાડના 90 રૂપિયા, 150 મિલી દહીં છાશના 15 રૂપિયા, પુરી શાકના 40 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.      




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"