ચૂંટણી પ્રચાર પાછળ વપરાતા નાણાં પર રહેશે ચૂંટણી પંચની નજર, ચા-ભજીયા તેમજ નાસ્તાના ભાવ નક્કી કરાયા


  • Published By :
  • Published Date : 2022-11-13 11:28:11

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ ઉમેદવારો પોતાના પ્રચાર માટે લાગી ગયા છે. ચૂંટણી પ્રચાર પાછળ એટલો બધો ખર્ચ થઈ જતો હોય છે જેટલો ખર્ચતો ચૂંટણી માટે પણ નથી થતો. પ્રચાર પાછળ પાણીને જેમ પાર્ટી પૈસા વાપરી કાઢતી હોય છે. ત્યારે ખર્ચા પર નિયંત્રણ લાવવા ચૂંટણી પંચે પ્રચાર પાછળ વપરાતા ખર્ચ પર નિયંત્રણ મૂકી દીધો છે. જે અંતર્ગત ચા-કોફીના 15 રૂપિયા નક્કી કરાયા છે જ્યારે 100 ગ્રામ ભજીયાના 30 રૂપિયા નક્કી કરાયા છે. આવી અનેક વસ્તુઓ છે જેના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. 

assembly elections exit polls: No exit polls allowed until elections are  over: Election Commission - The Economic Times

પ્રચાર પાછળ વપરાતા નાણાં પર રખાશે નજર

ઉમેદવારો ચૂંટણી પ્રચાર પાછળ કેટલો ખર્ચ કરે છે તેની દેખરેખ રાખવા વરિષ્ઠ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે. જે  અંતર્ગત ઉમેદવારે રજાસ્ટર્ડ બનાવવાનું રહેશે જેમાં પ્રચાર દરમિયાન કરવામાં  આવેલા ખર્ચાઓ લખવાના રહેશે. ચૂંટણી પંચે વિધાનસભા બેઠકના પ્રત્યેક ઉમેદવાર માટે 40 લાખના મહત્તમ ચૂંટણી પ્રચાર ખર્ચની સીમા નક્કી કરી છે. જેમાં સભા-મંડપ, ફર્નિચર, પોસ્ટર તેમજ પ્રચાર દરમિયાન ઉપયોગ કરાતા તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ભાવમાં ગોટાળા ન થાય તે માટે કિંમતો પણ બહાર પાડી છે. 

ભજીયાઅનેગોટા_215b783a_1656760802341_sc_cmprsd_75.jpg

ભાવમાં ગોટાળો ન થાય તે માટે કિંમતો નક્કી કરાઈ  

પંચની નજર ઉમેદવારો દ્વારા કરાતા ખર્ચા પર પણ રહેશે. સાઉન્ડ સિસ્ટમ, મંડપ, ડેકોરેશન સહિતની તમામ વસ્તુઓ પર તેમની નજર રહેશે. ઉપરાંત ભોજનના ભાવમાં ગડબડ ન થાય તે માટે ભાવ પહેલેથી જ નક્કી કરી દેવામાં આવ્યા છે. જે અંતર્ગત એક કપ ચા-કોફી 15 રૂપિયામાં મળશે, કટિંગ ચા-કોફી 10મા મળશે. રૂ.20માં બિસ્કીટનું પેકેટ મળશે, બ્રેડ-બટર એક પ્લેટના 25 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે જ્યારે બટાકાપૌઆ, ઉપમા 20 રૂપિયામાં એક પ્લેટ મળશે જ્યારે 100 ગ્રામ ભજીયા માટે 30 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

બ્રેડબટરના 25 રૂપિયા, એક ગ્લાસ લીંબુ પાણીના 10 રૂપિયા જ્યારે 2 મોટા સમોસાના 40 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. પૂરી અથવા રોટલી,બે શાક દાળ,ભાત, પાપડ, સલાડના 90 રૂપિયા, 150 મિલી દહીં છાશના 15 રૂપિયા, પુરી શાકના 40 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.      




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.