ચૂંટણી પ્રચાર પાછળ વપરાતા નાણાં પર રહેશે ચૂંટણી પંચની નજર, ચા-ભજીયા તેમજ નાસ્તાના ભાવ નક્કી કરાયા


  • Published By :
  • Published Date : 2022-11-13 11:28:11

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ ઉમેદવારો પોતાના પ્રચાર માટે લાગી ગયા છે. ચૂંટણી પ્રચાર પાછળ એટલો બધો ખર્ચ થઈ જતો હોય છે જેટલો ખર્ચતો ચૂંટણી માટે પણ નથી થતો. પ્રચાર પાછળ પાણીને જેમ પાર્ટી પૈસા વાપરી કાઢતી હોય છે. ત્યારે ખર્ચા પર નિયંત્રણ લાવવા ચૂંટણી પંચે પ્રચાર પાછળ વપરાતા ખર્ચ પર નિયંત્રણ મૂકી દીધો છે. જે અંતર્ગત ચા-કોફીના 15 રૂપિયા નક્કી કરાયા છે જ્યારે 100 ગ્રામ ભજીયાના 30 રૂપિયા નક્કી કરાયા છે. આવી અનેક વસ્તુઓ છે જેના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. 

assembly elections exit polls: No exit polls allowed until elections are  over: Election Commission - The Economic Times

પ્રચાર પાછળ વપરાતા નાણાં પર રખાશે નજર

ઉમેદવારો ચૂંટણી પ્રચાર પાછળ કેટલો ખર્ચ કરે છે તેની દેખરેખ રાખવા વરિષ્ઠ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે. જે  અંતર્ગત ઉમેદવારે રજાસ્ટર્ડ બનાવવાનું રહેશે જેમાં પ્રચાર દરમિયાન કરવામાં  આવેલા ખર્ચાઓ લખવાના રહેશે. ચૂંટણી પંચે વિધાનસભા બેઠકના પ્રત્યેક ઉમેદવાર માટે 40 લાખના મહત્તમ ચૂંટણી પ્રચાર ખર્ચની સીમા નક્કી કરી છે. જેમાં સભા-મંડપ, ફર્નિચર, પોસ્ટર તેમજ પ્રચાર દરમિયાન ઉપયોગ કરાતા તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ભાવમાં ગોટાળા ન થાય તે માટે કિંમતો પણ બહાર પાડી છે. 

ભજીયાઅનેગોટા_215b783a_1656760802341_sc_cmprsd_75.jpg

ભાવમાં ગોટાળો ન થાય તે માટે કિંમતો નક્કી કરાઈ  

પંચની નજર ઉમેદવારો દ્વારા કરાતા ખર્ચા પર પણ રહેશે. સાઉન્ડ સિસ્ટમ, મંડપ, ડેકોરેશન સહિતની તમામ વસ્તુઓ પર તેમની નજર રહેશે. ઉપરાંત ભોજનના ભાવમાં ગડબડ ન થાય તે માટે ભાવ પહેલેથી જ નક્કી કરી દેવામાં આવ્યા છે. જે અંતર્ગત એક કપ ચા-કોફી 15 રૂપિયામાં મળશે, કટિંગ ચા-કોફી 10મા મળશે. રૂ.20માં બિસ્કીટનું પેકેટ મળશે, બ્રેડ-બટર એક પ્લેટના 25 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે જ્યારે બટાકાપૌઆ, ઉપમા 20 રૂપિયામાં એક પ્લેટ મળશે જ્યારે 100 ગ્રામ ભજીયા માટે 30 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

બ્રેડબટરના 25 રૂપિયા, એક ગ્લાસ લીંબુ પાણીના 10 રૂપિયા જ્યારે 2 મોટા સમોસાના 40 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. પૂરી અથવા રોટલી,બે શાક દાળ,ભાત, પાપડ, સલાડના 90 રૂપિયા, 150 મિલી દહીં છાશના 15 રૂપિયા, પુરી શાકના 40 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.