ઇલેક્શન ઇફેક્ટ! પેટ્રોલ-ડીઝલના ભાવ 5-10 રૂપિયા ઘટી શકે છે, આગામી મહિને થઈ શકે છે જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-01-17 14:27:22

પેટ્રોલ-ડીઝલની ઉંચી કિંમતોથી ચિંતિત લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આગામી મહિને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રાહત મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ 5થી 10 રૂપિયા સુધી ઘટી શકે છે. સરકારી તેલ કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા બાદ આગામી મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવા માટે વિચાર કરી શકે છે. પેટ્રોલ અને ડીઝવાની કિંમતોમાં ઘટાડો કરવાનું મુખ્ય કારણ કંપનીઓનો રેકોર્ડ નફો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કેન્દ્ર સરકાર માટે પણ આગામી લોકસભાની ચૂંટણીઓમાં માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે. 


નફો વધતા સરકારી કંપનીઓ કરશે ભાવ ઘટાડો


કેન્દ્ર સરકાર હસ્તકની કંપનીઓનો નેટ પ્રોફિટ રેકોર્ડ 75 હજાર કરોડથી પણ વધે તેવી સંભાવના છે. વળી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘણો ઘટાડો આવ્યો છે. સરકારી તેલ કંપનીઓને ક્રૂડ ઓઈલ સસ્તા દરે મળી રહ્યું છે. તેથી કંપનીઓનો નફો ઘણો વધી ગયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભાવ નિર્ધારણ માટે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. સરકારી ઓઈલ માર્કેટીગ કંપનીઓ હાલ લગભગ 10 રૂપિયા પ્રતિ લીટરના માર્જીન પર છે. આ ફાયદો જ ગ્રાહકોને આપી શકે છે. એક રિપોર્ટ મુજબ અત્યાર સુધી વર્ષ 2023-24ના પહેલા છમાસિકમાં ત્રણેય સરકારી કંપનીઓના કુલ નેટ પ્રોફિટની વાત કરીએ તો રૂ.57,091.87 કરોડ હતો. આ વર્ષ 2022-23ના  સમગ્ર વર્ષ માટે રૂ. 1,137.89ના કુલ નફાના પ્રમાણમાં  4,917 ટકા વધુ છે. 


વધતી મોંઘવારીથી સરકાર ચિતિંત


દેશમાં હત મહિનાઓમાં મોંઘવારી વધી છે, ચૂંટણીઓમાં આ મુદ્દો સરકાર માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે. ડિસેમ્બર 2023માં દેશમાં રિટેલ મોંઘવારી વધીને ચાકર મહિનાની ટોચ 5.69 ટકા પર પહોંચી ગઈ છે. જો કે ખાવા-પીવાના સામાનના ભાવ વધતા મોંઘવારી આસમાને પહોંચી છે.  કેન્દ્ર સરકારના પ્રયાસો છે કે મોંઘવારીને 6 ટકાથી નીચે સ્થિર રાખવામાં આવે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.