ઇલેક્શન ઇફેક્ટ! પેટ્રોલ-ડીઝલના ભાવ 5-10 રૂપિયા ઘટી શકે છે, આગામી મહિને થઈ શકે છે જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-01-17 14:27:22

પેટ્રોલ-ડીઝલની ઉંચી કિંમતોથી ચિંતિત લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આગામી મહિને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રાહત મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ 5થી 10 રૂપિયા સુધી ઘટી શકે છે. સરકારી તેલ કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા બાદ આગામી મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવા માટે વિચાર કરી શકે છે. પેટ્રોલ અને ડીઝવાની કિંમતોમાં ઘટાડો કરવાનું મુખ્ય કારણ કંપનીઓનો રેકોર્ડ નફો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કેન્દ્ર સરકાર માટે પણ આગામી લોકસભાની ચૂંટણીઓમાં માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે. 


નફો વધતા સરકારી કંપનીઓ કરશે ભાવ ઘટાડો


કેન્દ્ર સરકાર હસ્તકની કંપનીઓનો નેટ પ્રોફિટ રેકોર્ડ 75 હજાર કરોડથી પણ વધે તેવી સંભાવના છે. વળી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘણો ઘટાડો આવ્યો છે. સરકારી તેલ કંપનીઓને ક્રૂડ ઓઈલ સસ્તા દરે મળી રહ્યું છે. તેથી કંપનીઓનો નફો ઘણો વધી ગયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભાવ નિર્ધારણ માટે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. સરકારી ઓઈલ માર્કેટીગ કંપનીઓ હાલ લગભગ 10 રૂપિયા પ્રતિ લીટરના માર્જીન પર છે. આ ફાયદો જ ગ્રાહકોને આપી શકે છે. એક રિપોર્ટ મુજબ અત્યાર સુધી વર્ષ 2023-24ના પહેલા છમાસિકમાં ત્રણેય સરકારી કંપનીઓના કુલ નેટ પ્રોફિટની વાત કરીએ તો રૂ.57,091.87 કરોડ હતો. આ વર્ષ 2022-23ના  સમગ્ર વર્ષ માટે રૂ. 1,137.89ના કુલ નફાના પ્રમાણમાં  4,917 ટકા વધુ છે. 


વધતી મોંઘવારીથી સરકાર ચિતિંત


દેશમાં હત મહિનાઓમાં મોંઘવારી વધી છે, ચૂંટણીઓમાં આ મુદ્દો સરકાર માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે. ડિસેમ્બર 2023માં દેશમાં રિટેલ મોંઘવારી વધીને ચાકર મહિનાની ટોચ 5.69 ટકા પર પહોંચી ગઈ છે. જો કે ખાવા-પીવાના સામાનના ભાવ વધતા મોંઘવારી આસમાને પહોંચી છે.  કેન્દ્ર સરકારના પ્રયાસો છે કે મોંઘવારીને 6 ટકાથી નીચે સ્થિર રાખવામાં આવે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે