ઇલેક્શન ઇફેક્ટ! પેટ્રોલ-ડીઝલના ભાવ 5-10 રૂપિયા ઘટી શકે છે, આગામી મહિને થઈ શકે છે જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-01-17 14:27:22

પેટ્રોલ-ડીઝલની ઉંચી કિંમતોથી ચિંતિત લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આગામી મહિને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં રાહત મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ 5થી 10 રૂપિયા સુધી ઘટી શકે છે. સરકારી તેલ કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા બાદ આગામી મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવા માટે વિચાર કરી શકે છે. પેટ્રોલ અને ડીઝવાની કિંમતોમાં ઘટાડો કરવાનું મુખ્ય કારણ કંપનીઓનો રેકોર્ડ નફો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કેન્દ્ર સરકાર માટે પણ આગામી લોકસભાની ચૂંટણીઓમાં માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે. 


નફો વધતા સરકારી કંપનીઓ કરશે ભાવ ઘટાડો


કેન્દ્ર સરકાર હસ્તકની કંપનીઓનો નેટ પ્રોફિટ રેકોર્ડ 75 હજાર કરોડથી પણ વધે તેવી સંભાવના છે. વળી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘણો ઘટાડો આવ્યો છે. સરકારી તેલ કંપનીઓને ક્રૂડ ઓઈલ સસ્તા દરે મળી રહ્યું છે. તેથી કંપનીઓનો નફો ઘણો વધી ગયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભાવ નિર્ધારણ માટે ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. સરકારી ઓઈલ માર્કેટીગ કંપનીઓ હાલ લગભગ 10 રૂપિયા પ્રતિ લીટરના માર્જીન પર છે. આ ફાયદો જ ગ્રાહકોને આપી શકે છે. એક રિપોર્ટ મુજબ અત્યાર સુધી વર્ષ 2023-24ના પહેલા છમાસિકમાં ત્રણેય સરકારી કંપનીઓના કુલ નેટ પ્રોફિટની વાત કરીએ તો રૂ.57,091.87 કરોડ હતો. આ વર્ષ 2022-23ના  સમગ્ર વર્ષ માટે રૂ. 1,137.89ના કુલ નફાના પ્રમાણમાં  4,917 ટકા વધુ છે. 


વધતી મોંઘવારીથી સરકાર ચિતિંત


દેશમાં હત મહિનાઓમાં મોંઘવારી વધી છે, ચૂંટણીઓમાં આ મુદ્દો સરકાર માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે. ડિસેમ્બર 2023માં દેશમાં રિટેલ મોંઘવારી વધીને ચાકર મહિનાની ટોચ 5.69 ટકા પર પહોંચી ગઈ છે. જો કે ખાવા-પીવાના સામાનના ભાવ વધતા મોંઘવારી આસમાને પહોંચી છે.  કેન્દ્ર સરકારના પ્રયાસો છે કે મોંઘવારીને 6 ટકાથી નીચે સ્થિર રાખવામાં આવે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.