Jamnagarમાં થયેલી ધારાસભ્ય,સાંસદ અને મેયરની બબાલમાં થઈ મેયરના પરિવારની એન્ટ્રી! જાણો શું કરી પરિવારે માગ


  • Published By :
  • Published Date : 2023-08-19 15:17:20

જામનગરમાં ભાજપના નેતાઓ વચ્ચેનો આંતરિક ઝઘડો શાંત થવાનું નામ જ નથી લઇ રહ્યો.બે દિવસ પહેલા જામનગર શહેરમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં જાહેરમાં ભાજપના ત્રણ મહિલા વચ્ચે વાકયુદ્ધ થયું હતું.જેમાં સાંસદ પુનમબેન માડમ, MLA રિવાબા જાડેજા અને મેયર બીનાબેન વચ્ચે તું..તું..મે…મેં.. થઇ હતી. જે બાદ એક પછી એક સામે આવીને પોતાનો પક્ષ મૂકી રહ્યા છે. આ મામલે હવે અપડેટ એ આવી છે કે જામનગરના પ્રથમ નાગરિક બીનાબેન કોઠારીના પરિજનોએ ભાજપના શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખને ફરિયાદ કરી હતી કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા ઉચ્ચારેલા શબ્દો યોગ્ય નથી. 

મેયરના પરિવારે કરી આ માગ

થોડા દિવસ પહેલા જામનગરથી એક ઘટના બની હતી જેમાં ધારાસભ્ય, મેયર અને સાંસદ વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ વધારે વધતા પહેલા ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાનો પક્ષ મુક્યો હતો જે બાદ મેયર બીનાબેન કોઠારીએ મીડિયા સામે પોતાનો પક્ષ મુક્યો હતો. તેમ છતાં આ મામલો શાંત થયો નહીં તો સાંસદ પૂનમ માડમે પોતાનો પક્ષ મૂકવા સામે આવ્યા હતા. સાંસદે જે ભડકો થયો હતો તેના પર પાણી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પણ હજું પણ જાણે માહોલ શાંત નથી થયો. મામલો શાંત એટલા માટે નથી થયો કારણ કે હવે મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપ કાર્યાલય રજુઆત કરવા પહોંચ્યા હતા. મેયર બીનાબેનના પરિવારજનોએ ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો હતો.


ધારાસભ્ય, સાંસદ અને મેયર આવી ગયા હતા આમને-સામને 

મેયરના પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે, આ પ્રકારનું અપમાન અસહ્ય છે, રિવાબા શબ્દો પાછા ખેંચે, જો કે, શહેર પ્રમુખે મેયરના પરિવારજનોને કહ્યું કે, આગામી દિવસોમાં એવું નહિ થાય એવી હૈયા ધારણા આપી છે. આ ઘટના થોડા દિવસ પહેલા બની હતી જેમાં જામનગરના લાખોટા તળાવ નજીક ભાજપના મેરી માટી મેરા દેશ કાર્યક્મમાં ભાજપનો આંતરિક કલહ સામે આવ્યો હતો. જેના કારણે માટી અને દેશ સાઈડમાં જતા રહ્યા હતા અને સાંસદ અને ધારાસભ્ય સામ-સામે આવી ગયા હતા.

રિવાબાએ, પૂનમબેને આ મુદ્દે આપી હતી પ્રતિક્રિયા 

મામલો વધારે ગરમ થતાં રિવાબા મીડિયા સમક્ષ આવ્યા હતા અને કહ્યું હતું કે કાર્યક્રમમાં ચપ્પલ ઉતારવાની વાતમાંથી સાંસદ પૂનમ માડમે વાંકુ બોલ્યું અને ત્યાંથી બબાલ શરૂ થઈ હતી. જેમાં રિવાબાના કથન મુજબ પૂનમબેને કહ્યું હતું કે કેટલાક ભાન વગરના લોકો ઓવર સ્માર્ટ બની રહ્યા છે. જેના કારણે રિવાબાએ પણ રોકડું પરખાવી દીધું હતું. આ બબાલમાં વચ્ચે પડેલા મેયર બિનાબેન કોઠારીને પણ રિવાબાએ આડેહાથ લઈ લીધા હતા. રિવાબાના કહેવા મુજબ આ લડાઈ સ્વાભિમાનની હતી પરંતુ, જો તાજો ભૂતકાળ અને આગામી લોકસભાની ચૂંટણી તરફ ધ્યાન કરીએ તો લડાઈ સ્વાભિમાન કરતા અસ્તિત્વની વધારે જણાય છે. મીડિયાના અહેવાલ પરથી માહિતી મળે છે કે રિવાબાના નણંદ નયનાબા જાડેજાએ પણ આ લડાઈને અસ્તિત્વની લડાઈ હોવાનું કથન કર્યું છે.


બનાવની અસર આગામી દિવસોમાં શું થશે તે જોવું રહ્યું.

આ બબાલ બાદ રિવાબાએ તો ખુલીને મીડિયા સમક્ષ ચર્ચા કરી પણ રાજકારણમાં પીઢ બની ગયેલા પૂનમ માડમે આગથી રમવાના બદલે દૂર રહેવું પસંદ કર્યું હતું જો કે લંકામાં આગ લાગી ગઈ એટલે રાતના સમયે પત્રકાર મિત્રો સામે આવીને સિફત પૂર્વક જવાબ આપ્યા હતા… ત્યાં સુધી કે તેમણે બીનાબેનને વડીલ અને રિવાબા મારા નાના બહેન કહ્યા હતા… આમ પૂનમ માડમે સમગ્ર મામલાના કારણે મચેલા હંગામાથી પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ હવે આવા બનાવોની અસર આગળ શું થશે એ તો જોવાની રહેશે કારણ કે આ તો નારાજગી સામે આવી છે હજુ ઘણી નારાજગી એવી હોય શકે છે જે છૂપી છે પણ બહાર નથી આવી શકી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.