સસ્તા અનાજ દુકાનદારોની હડતાળ અંતે સમેટાઈ, સરકારે વૈકલ્પિક વ્યવસ્થાની આપી હતી ચીમકી


  • Published By :
  • Published Date : 2023-11-02 22:46:42

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વિવિધ પડતર માંગોને લઈને સસ્તા અનાજના 17 હજાર દુકાનદારો હડતાળ પર ઉતર્યા છે ત્યારે આજે સતત બીજા દિવસે સસ્તા અનાજ દુકાનદારોના સંચાલકોની મંત્રી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં દિવાળી તહેવાર બાદ બેઠક કરીને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે તેવી હૈયાધારણા સરકાર દ્વારા આપવામાં આવતા બંને એસોસિએશન ચર્ચા કરીને હડતાળ સમેટી લીધી છે. આજે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે દિવાળીના તહેવારો બાદ એસોશિએશનની માંગણી પરત્વે સરકાર હકારાત્મક વિચારણા સાથે બેઠક કરીને યોગ્ય નિર્ણય કરશે જેના પગલે કાલથી રાજ્યની સસ્તા અનાજની દુકાનો ખુલ્લી રહેશે. રેશનિંગની દુકાન એસોશિએસનના આગેવાન પ્રહલાદ મોદીએ પણ કહ્યું હતું કે, આંદોલન સ્થગિત કરીએ છીએ. સરકાર આમાં કાચું કાપશે તો અમે ફરી હડતાળ કરીશું. ઉલ્લેખનિય છે કે તહેવારની સીઝનમાં જ રાજ્યના સસ્તા રેશનિંગના દુકાનદારો રાજ્યવ્યાપી હડતાલ પર ઉતરતા સરકાર પણ ભીંસમાં આવી હતી.


બુધવારે બેઠક રહી હતી નિષ્ફળ


રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારોની અચોક્કસ મુદ્દતની હડતાળના કારણે દિવાળી સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાશનથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે બુધવારે વાજબી ભાવની દુકાનના એસોસિએશન સાથે સરકારની બેઠક યોજાઈ હતી. એસોસિએશનના હોદ્દેદારો પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને મળ્યા હતાં.આ બેઠક બાદ રેશનિંગની દુકાનના એસોસિએસનના આગેવાન પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે, બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નથી જેથી હડતાળ યથાવત રહેશે.


સરકારની વૈકલ્પિક વ્યવસ્થા શું હતી? 


આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, જો દુકાનદારો હડતાળ નહીં સમેટે તો વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. ગામની દૂધ મંડળીઓ થકી વ્યવસ્થા કરીને લોકોને અનાજનો જથ્થો આપવામાં આવશે. 


શા માટે ફરી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું?


ફેર પ્રાઈઝ શોપ એસો.ના પ્રમુખ જીતેન્દ્ર નંદાએ નિવેદન આપ્યું હતું કે સપ્ટેમ્બર માસમાં સરકારે અમારી સાથે બેઠક કરી હતી. બાદમાં 300 થી ઓછા રાશન કાર્ડ ધરાવનારને જ 20000 કમિશન અપાયું હતું. 500 થી વધુ રાશન કાર્ડ ધરાવનારનું કમિશન વધારવાની કોઈ જાહેરાત થઇ નથી. સસ્તા અનાજની દુકાનોના પરવાનેદારોએ મહિના પહેલાં અચોક્કસ મુદ્દતની હડતાળ કરી હતી ત્યારે પુરવઠા વિભાગે રૂ.20 હજાર કમિશન, અનાજના ઘટ અને સર્વરની સમસ્યાના નિકાલ માટે બાંહેધરી આપી હતી, પરંતુ શરત મુજબ કમિશન ન મળતા અમદાવાદના 800 સહિત રાજ્યના સસ્તા અનાજના 17 હજાર દુકાનદારો આજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. જ્યાં સુધી 20 હજાર કમિશન નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશને નિર્ણય કર્યો હતો.


મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આપી હતી ચેતવણી 


અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળિયાએ સસ્તા અનાજ દુકાનદારોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે વાજબી માંગ હશે તો જ સ્વીકારાશે. દિવાળીના તહેવારમાં કાર્ડધારકોને મુશ્કેલી પડશે નહીં. દરેક દુકાનો પર અનાજનો પુરતો જથ્થો છે. ઓક્ટોબર મહિનામાં રાબેતા મુજબ અનાજનું વિતરણ થયું છે. નવેમ્બર મહિનાના વિતરણનું આગોતરૂ આયોજન છે. દુકાનદારો અમારા પરિવારના સભ્ય સમાન છે. દુકાનદારોની જે પણ માંગ હશે તેની ચર્ચા કરીશું. ઘટતી કમિશનની રકમ આપી દેવામાં આવી છે. કોઈને ગેરસમજણ હશે તો તેને દૂર કરાશે. દુકાનદારોની વાજબી વાતને સરકાર ખુલ્લા મને સ્વીકારશે. સમાધાન થયું ત્યારે 300 કાર્ડની જ વાત થઈ હતી. કાર્ડની સંખ્યામાં કોઈ પણ સુધારો વધારો થયો નથી. દુકાનદારો સાથે સરકાર બેસવા માટે તૈયાર છે. વાજબી માંગો હશે તે સ્વીકારવામાં આવશે. સરકારને દબાવવાનો પ્રયાસ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. ગરીબોને અનાજ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે બેઠક પણ કરી લીધી છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી