Himmatnagarની હૃદયમ હોસ્પિટલ બહાર મૃતક દર્દીના પરિવારજનોએ કર્યો હલ્લાબોલ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-03 17:07:11

જેને હૃદયની બિમારી હોય છે તેવા લોકોને અનેક વખત હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવતા હોય છે. હૃદય સારી રીતે ચાલે અને લોકો લાબું જીવે તે માટે સારવાર કરાવતા હોય છે. લાખો રુપિયા આ સારવાર પાછળ ખર્ચવામાં આવે છે. સારવાર બાદ અનેક લોકો સારી રીતે જીવી શકે છે કોઈ પણ તકલીફ વગર.. પરંતુ કોઈ વખત સ્ટેન્ડ મૂકાયા બાદ પણ દર્દીનું મોત થઈ જતું હોય છે. ત્યારે હિંમતનગરથી આવા સમાચાર સામે આવ્યા છે.     


દર્દીએ સ્ટેન્ડ મૂકાવ્યું પરંતુ થોડા સમયની અંદર થઈ ગયું મોત

હાર્ટની પ્રોબ્લેમ અનેક લોકોને આજ કાલ થઈ રહી છે. નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સો સતત વધી રહ્યા છે. જો દિલ નબળું હોય અને સારી રીતે કામ ન કરતું હોય તો હૃદયમાં સ્ટેન્ડ લગાવવામાં આવે છે. સ્ટેન્ડ મૂકાયા બાદ તકલીફ ઓછી પડે છે અને સારી રીતે દર્દી પોતાનું જીવન ગાળી શકે છે. પરંતુ અનેક કેસો એવા હોય છે જેમાં સ્ટેન્ડ મૂકાયાના થોડા સમય બાદ તકલીફ થવા લાગે છે. ત્યારે હિંમતનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દર્દીએ સ્ટેન્ડ મૂકાવ્યું પરંતુ થોડા સમય બાદ દર્દીનું મોત થઈ ગયું. સ્ટેન્ડ મૂકાવ્યા બાદ દર્દીનું મોત થતા પરિવારજનોએ હૃદયમ હોસ્પિટલ બહાર હોબાળો કર્યો હતો. 


ડોક્ટરની ભૂલને કારણે થયું દર્દીનું મોત - પરિવારજનોનો આક્ષેપ

હોસ્પિટલની બહાર પરિવારજનોએ હલ્લાબોલ કર્યો હતો. હોબાળોને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટરની ભૂલને કારણે દર્દીનો જીવ ગયો છે. પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વાત વધારે વધે તે પહેલા સમગ્ર મામલે સમાધાન થઈ ગયું છે. મહત્વનું છે કે હોસ્પિટલમાં આવું હલ્લાબોલ કરાતા બીજા દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.      


 સમગ્ર મામલે કરાયું સમાધાન 

હિંમતનગરની હૃદયમ હોસ્પિટલમાં દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂક્યા બાદ થોડાક જ સમયમાં દર્દીનું મોત થતાં હોબાળો થયો હતો.... આ હોબાળા ના પગલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી..દર્દીનું ડોક્ટરની ભૂલથી મોત થયું હોવાનું ત્યાં હાજર લોકોમાં આક્રોશ હતો... જો કે બાદમાં સમગ્ર મામલે સમાધાન થયું હતું...




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.