Himmatnagarની હૃદયમ હોસ્પિટલ બહાર મૃતક દર્દીના પરિવારજનોએ કર્યો હલ્લાબોલ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-03 17:07:11

જેને હૃદયની બિમારી હોય છે તેવા લોકોને અનેક વખત હૃદયમાં સ્ટેન્ડ મૂકવામાં આવતા હોય છે. હૃદય સારી રીતે ચાલે અને લોકો લાબું જીવે તે માટે સારવાર કરાવતા હોય છે. લાખો રુપિયા આ સારવાર પાછળ ખર્ચવામાં આવે છે. સારવાર બાદ અનેક લોકો સારી રીતે જીવી શકે છે કોઈ પણ તકલીફ વગર.. પરંતુ કોઈ વખત સ્ટેન્ડ મૂકાયા બાદ પણ દર્દીનું મોત થઈ જતું હોય છે. ત્યારે હિંમતનગરથી આવા સમાચાર સામે આવ્યા છે.     


દર્દીએ સ્ટેન્ડ મૂકાવ્યું પરંતુ થોડા સમયની અંદર થઈ ગયું મોત

હાર્ટની પ્રોબ્લેમ અનેક લોકોને આજ કાલ થઈ રહી છે. નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સો સતત વધી રહ્યા છે. જો દિલ નબળું હોય અને સારી રીતે કામ ન કરતું હોય તો હૃદયમાં સ્ટેન્ડ લગાવવામાં આવે છે. સ્ટેન્ડ મૂકાયા બાદ તકલીફ ઓછી પડે છે અને સારી રીતે દર્દી પોતાનું જીવન ગાળી શકે છે. પરંતુ અનેક કેસો એવા હોય છે જેમાં સ્ટેન્ડ મૂકાયાના થોડા સમય બાદ તકલીફ થવા લાગે છે. ત્યારે હિંમતનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દર્દીએ સ્ટેન્ડ મૂકાવ્યું પરંતુ થોડા સમય બાદ દર્દીનું મોત થઈ ગયું. સ્ટેન્ડ મૂકાવ્યા બાદ દર્દીનું મોત થતા પરિવારજનોએ હૃદયમ હોસ્પિટલ બહાર હોબાળો કર્યો હતો. 


ડોક્ટરની ભૂલને કારણે થયું દર્દીનું મોત - પરિવારજનોનો આક્ષેપ

હોસ્પિટલની બહાર પરિવારજનોએ હલ્લાબોલ કર્યો હતો. હોબાળોને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટરની ભૂલને કારણે દર્દીનો જીવ ગયો છે. પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વાત વધારે વધે તે પહેલા સમગ્ર મામલે સમાધાન થઈ ગયું છે. મહત્વનું છે કે હોસ્પિટલમાં આવું હલ્લાબોલ કરાતા બીજા દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.      


 સમગ્ર મામલે કરાયું સમાધાન 

હિંમતનગરની હૃદયમ હોસ્પિટલમાં દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂક્યા બાદ થોડાક જ સમયમાં દર્દીનું મોત થતાં હોબાળો થયો હતો.... આ હોબાળા ના પગલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી..દર્દીનું ડોક્ટરની ભૂલથી મોત થયું હોવાનું ત્યાં હાજર લોકોમાં આક્રોશ હતો... જો કે બાદમાં સમગ્ર મામલે સમાધાન થયું હતું...




આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.