Rajkot આગકાંડમાં હોમાય ગયેલા પિતાનો દિકરી સાથેનો અંતિમ વીડિયો સામે આવ્યો, આ દ્રશ્યો ભાવુક કરી શકે છે...! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-03 14:44:46

રાજકોટ અગ્નિકાંડને ભલે એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો હોય પણ પોતાના સ્વજનોને ખોયેલા લોકોના હૈયામાં લાગેલી આગ હજુ હોલવાતી નથી આ ગોઝારી દુર્ઘટનાએ 28 લોકોના જીવ લઈ લીધા અને આ TRP ગેમઝોન લોકો સાથે રમત રમી ગયુ. ત્યારે આ અગ્નિકાંડમાં મોતને ભેટનાર ગેમઝોનના એક કર્મચારીનો તેની પુત્રી સાથેનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે. પિતા અને પુત્રી મોજે રમી રહ્યા છે પણ પિતા કે પુત્રીને શું ખબર હતી કે આ જ ગેમઝોન બન્નેને હવે ક્યારે ફરી નહીં મળવા દે, ક્યારેય એકબીજાને નહી ભેટવા દે કે નહી એક બીજાને ફરી આવી રીતે મોજ કરવા દે.

15 દિવસ પહેલા જ સુનિલ સિધ્ધપરાએ નોકરી જોઈન કરી હતી

રાજકોટ TRP અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા..અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં આ ઘટના બની તેની પહેલા શું માહોલ હતો તે જાણી શકાય છે.. ત્યારે વધુ એક વીડિયો ગેમઝોનની અંદરનો સામે આવ્યો છે જેમાં પિતા પુત્રી સાથે ગેમ ઝોનની મજા લઈ રહ્યા છે. અગ્નિકાંડમાં મોતને ભેટનાર સુનિલ સિધ્ધપુરાનો દીકરી યામી સાથે છેલ્લો વીડિયો સામે આવ્યો છે. શુક્રવારે સાંજે સિધ્ધપુરા પરિવાર સાથે TRP ગેમઝોનમાં ગયો હતો. સુનિલ સિધ્ધપુરા 15 દિવસથી જ ગેમઝોનમાં નોકરી પર લાગ્યો હતો. જ્યાં તેને મોત મળ્યું હતું. 


બંનેને ક્યાં ખબર હતી કે તે હવે કોઈ દિવસ એક બીજાને નહીં મળી શકે.. 

અગ્નિકાંડની આ ઘટનામાં 28 લોકોના જીવ ગયા જેમાંથી જ એક ગેમઝોનમાં કામ કરતા કર્મચારી સુનિલ સિધ્ધપુરા તેમની દિકરી યામીને ઘટનાના એક દિવસ પહેલા ગેમઝોનમાં રમવા લઈ ગયા હતા. આ દરમિયાન તે બન્ને ગેમઝોનમાં રમતા અને મજા કરતા જોવા મળી રહ્યા છે એક પિતા પોતાની દીકરીને ત્યાં દરેક ગેમ બતાવી અને રમતા શીખવી રહ્યા છે. પુત્રી પણ આ દરમિયાન ખુબ ખુશ દેખાઈ રહી હતી પણ બન્ને માંથી કોને ખબર હતી કે આવતી કાલે તે એકબીજાને ફરી ક્યારેય નહી મળી શકે


આગ લાગી તેના એક દિવસ પહેલા બાળકી ગઈ હતી ગેમઝોનમાં રમવા 

તમને જણાવી દઈએ કે સુનિલ સિધ્ધપુરા દુર્ઘટનાના 15 દિવસ પહેલા જ ગેમઝોનમાં નોકરી પર લાગ્યા હતા. 40 વર્ષના સુનિલભાઈ પોતાની દીકરીને આગલા દિવસે ગેમઝોનમાં રમવા પણ લઈ ગયા આ દરમિયાન દીકરીએ પિતાને એમ પણ કહ્યું કે “પપ્પા કાલે હું નહીં હોઉં”. કહેવાયને કે નાના બાળક તો ભગવાનનું રુપ છે ત્યારે આ દીકરીએ પિતાને સંકેત પણ આપી દિધો પણ થવાનું હતુ તે થઈને જ રહ્યું અને આ બાળકીના માંથેથી તેના પિતાની છત્રછાયા હમેશા માટે જતી રહી.


અનેક પરિવારોનો માળો વિખેરાયો

આ ગોઝારી ઘટનાએ એક પુત્રી પાસેથી તેના પિતા છીનવી લીધા. આ ઘટના પહેલાનો બન્નેનો સાથે વીડિયો હાલ સામે આવી રહ્યો છે જેને જોવાની હિંમત હવે આ દિકરી કદાચ ફરી ક્યારેય નહીં કરી શકે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.