Rajkot આગકાંડમાં હોમાય ગયેલા પિતાનો દિકરી સાથેનો અંતિમ વીડિયો સામે આવ્યો, આ દ્રશ્યો ભાવુક કરી શકે છે...! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-03 14:44:46

રાજકોટ અગ્નિકાંડને ભલે એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો હોય પણ પોતાના સ્વજનોને ખોયેલા લોકોના હૈયામાં લાગેલી આગ હજુ હોલવાતી નથી આ ગોઝારી દુર્ઘટનાએ 28 લોકોના જીવ લઈ લીધા અને આ TRP ગેમઝોન લોકો સાથે રમત રમી ગયુ. ત્યારે આ અગ્નિકાંડમાં મોતને ભેટનાર ગેમઝોનના એક કર્મચારીનો તેની પુત્રી સાથેનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે. પિતા અને પુત્રી મોજે રમી રહ્યા છે પણ પિતા કે પુત્રીને શું ખબર હતી કે આ જ ગેમઝોન બન્નેને હવે ક્યારે ફરી નહીં મળવા દે, ક્યારેય એકબીજાને નહી ભેટવા દે કે નહી એક બીજાને ફરી આવી રીતે મોજ કરવા દે.

15 દિવસ પહેલા જ સુનિલ સિધ્ધપરાએ નોકરી જોઈન કરી હતી

રાજકોટ TRP અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા..અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં આ ઘટના બની તેની પહેલા શું માહોલ હતો તે જાણી શકાય છે.. ત્યારે વધુ એક વીડિયો ગેમઝોનની અંદરનો સામે આવ્યો છે જેમાં પિતા પુત્રી સાથે ગેમ ઝોનની મજા લઈ રહ્યા છે. અગ્નિકાંડમાં મોતને ભેટનાર સુનિલ સિધ્ધપુરાનો દીકરી યામી સાથે છેલ્લો વીડિયો સામે આવ્યો છે. શુક્રવારે સાંજે સિધ્ધપુરા પરિવાર સાથે TRP ગેમઝોનમાં ગયો હતો. સુનિલ સિધ્ધપુરા 15 દિવસથી જ ગેમઝોનમાં નોકરી પર લાગ્યો હતો. જ્યાં તેને મોત મળ્યું હતું. 


બંનેને ક્યાં ખબર હતી કે તે હવે કોઈ દિવસ એક બીજાને નહીં મળી શકે.. 

અગ્નિકાંડની આ ઘટનામાં 28 લોકોના જીવ ગયા જેમાંથી જ એક ગેમઝોનમાં કામ કરતા કર્મચારી સુનિલ સિધ્ધપુરા તેમની દિકરી યામીને ઘટનાના એક દિવસ પહેલા ગેમઝોનમાં રમવા લઈ ગયા હતા. આ દરમિયાન તે બન્ને ગેમઝોનમાં રમતા અને મજા કરતા જોવા મળી રહ્યા છે એક પિતા પોતાની દીકરીને ત્યાં દરેક ગેમ બતાવી અને રમતા શીખવી રહ્યા છે. પુત્રી પણ આ દરમિયાન ખુબ ખુશ દેખાઈ રહી હતી પણ બન્ને માંથી કોને ખબર હતી કે આવતી કાલે તે એકબીજાને ફરી ક્યારેય નહી મળી શકે


આગ લાગી તેના એક દિવસ પહેલા બાળકી ગઈ હતી ગેમઝોનમાં રમવા 

તમને જણાવી દઈએ કે સુનિલ સિધ્ધપુરા દુર્ઘટનાના 15 દિવસ પહેલા જ ગેમઝોનમાં નોકરી પર લાગ્યા હતા. 40 વર્ષના સુનિલભાઈ પોતાની દીકરીને આગલા દિવસે ગેમઝોનમાં રમવા પણ લઈ ગયા આ દરમિયાન દીકરીએ પિતાને એમ પણ કહ્યું કે “પપ્પા કાલે હું નહીં હોઉં”. કહેવાયને કે નાના બાળક તો ભગવાનનું રુપ છે ત્યારે આ દીકરીએ પિતાને સંકેત પણ આપી દિધો પણ થવાનું હતુ તે થઈને જ રહ્યું અને આ બાળકીના માંથેથી તેના પિતાની છત્રછાયા હમેશા માટે જતી રહી.


અનેક પરિવારોનો માળો વિખેરાયો

આ ગોઝારી ઘટનાએ એક પુત્રી પાસેથી તેના પિતા છીનવી લીધા. આ ઘટના પહેલાનો બન્નેનો સાથે વીડિયો હાલ સામે આવી રહ્યો છે જેને જોવાની હિંમત હવે આ દિકરી કદાચ ફરી ક્યારેય નહીં કરી શકે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.