ગાંધીનગરમાં બની ફાયરિંગની ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 13:47:39

સુરક્ષિત ગણાતા ગુજરાતમાં આજકાલ અનેક વખત ફાયરિંગની ઘટના બની રહી છે. ફાયરિંગને કારણે નિર્દોષ વ્યક્તિને જીવ ઘૂમાવવાનો વારો આવે છે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ફાયરિંગની ઘટના બની છે. ગાંધીનગરના સેક્ટર 10 ખાતે ખાનગી ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. ગાંધીનગરમાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં બીજ નિગમની બહાર ફાયરિંગ થયું છે. જેમાં ઈંદ્રોડાના કિરણ મકવાણાનું નિધન થયું છે. મળતી માહિતી પ્રમાણે તેઓ બીજ નિગમની બહારથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક પરથી પસાર થતા વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે