અમેરિકાના આ રાજ્યમાં બની ફાયરિંગની ઘટના, 6 જેટલા લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-04-11 10:50:44

છેલ્લા ઘણા સમયથી વિદેશથી અંધાધૂધ ફાયરિંગ હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. અંધાધૂધ ફાયરિંગ થવાને કારણે અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે અમેરિકાના કેંટુકી રાજ્યમાં સોમવારે ફાયરિંગ થયું હતું જેમાં 5થી 6 જેટલા લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એક હમલાવરે અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. 


ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા  

અમેરિકાથી અનેક વખત ફાયરિંગ થયા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે ફરી એક વખત અમેરિકાથી ફાયરિંગની ઘટના સામે આવી છે. કેંટકીના સૌથી મોટા શહેર લુઈસવિલેમાં ફાયરિંગની ઘટના બની છે. અંધાધૂધ ફાયરિંગમાં અંદાજીત 5થી 6 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે કહ્યું કે એક અધિકારી સહિત ઓછામાં ઓછા 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.