One Nation One Election કમિટીની આજે મળશે પ્રથમ બેઠક, પૂર્વ President Ramnath Kovind છે કમિટીના અધ્યક્ષ


  • Published By :
  • Published Date : 2023-09-06 13:40:41

જ્યારથી કેન્દ્ર સરકારે વિશેષ સત્રની જાહેરાત કરી છે ત્યારથી દેશમાં એક મુદ્દાને લઈ ચર્ચા થઈ રહી છે. તે વિષય છે 'એક રાષ્ટ્ર એક ચૂંટણી'નો. વિશેષ સત્રને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી હતી. એક તરફ 'એક દેશ એક ચૂંટણી'ને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતા  કેન્દ્ર સરકારે એક કમિટીની રચના કરી હતી. આજે કમિટીની પ્રથમ બેઠક મળવાની છે. આ કમિટીમાં 8 લોકોને મેમ્બર બનાવમાં આવ્યા છે. જે વખતે કમિટીને લઈ જાહેરાત કરવામાં આવી હતી તે વખતે અનેક રાજનેતાઓએ વિરોધ પણ કર્યો હતો.


સોનિયા ગાંધી પીએમ મોદીને લખવાના છે પત્ર 

18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદમાં વિશેષ સત્ર બોલાવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે વિશેષ સત્રનું આયોજન કર્યું છે. વિશેષ સત્રની જાણકારી સામે આવતા જ અલગ અલગ તર્ક વિતર્કો સર્જાયા હતા અને આ સત્ર શા માટે બોલાવવામાં આવ્યું છે તેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. આ બધા વચ્ચે ગઈ કાલે વિપક્ષી નેતાઓની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવાયો કે સોનિયા ગાંધી INDIA વતી પીએમ મોદીને પત્ર લખવાના છે. 


રામનાથ કોવિંદની આગેવાનીમાં બનાવાઈ કમિટી 

એક દેશ એક ચૂંટણીને લઈ આ વિશેષ સત્રમાં કોઈ નિર્ણય આવી શકે છે તેવું નિષ્ણાતો માની રહ્યા હતા. એક તરફ આ ચર્ચાઓ ચાલી રહી હતી તો બીજી તરફ કેન્દ્ર સરકારે વન નેશન વન ઈલેક્શન માટે એક કમિટીની રચના કરી જેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવાયા છે. ત્યારે આજે કમિટીની પહેલી બેઠક મળવા જઈ રહી છે. સમિતીમાં કુલ આઠ લોકો છે. અમિત શાહ, અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારી. દિલ્હી ખાતે આજે આ બેઠક મળવાની છે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ નામ પાછું ખેંચવાની માગ કરી છે.       



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .