One Nation One Election કમિટીની આજે મળશે પ્રથમ બેઠક, પૂર્વ President Ramnath Kovind છે કમિટીના અધ્યક્ષ


  • Published By :
  • Published Date : 2023-09-06 13:40:41

જ્યારથી કેન્દ્ર સરકારે વિશેષ સત્રની જાહેરાત કરી છે ત્યારથી દેશમાં એક મુદ્દાને લઈ ચર્ચા થઈ રહી છે. તે વિષય છે 'એક રાષ્ટ્ર એક ચૂંટણી'નો. વિશેષ સત્રને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી હતી. એક તરફ 'એક દેશ એક ચૂંટણી'ને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતા  કેન્દ્ર સરકારે એક કમિટીની રચના કરી હતી. આજે કમિટીની પ્રથમ બેઠક મળવાની છે. આ કમિટીમાં 8 લોકોને મેમ્બર બનાવમાં આવ્યા છે. જે વખતે કમિટીને લઈ જાહેરાત કરવામાં આવી હતી તે વખતે અનેક રાજનેતાઓએ વિરોધ પણ કર્યો હતો.


સોનિયા ગાંધી પીએમ મોદીને લખવાના છે પત્ર 

18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદમાં વિશેષ સત્ર બોલાવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે વિશેષ સત્રનું આયોજન કર્યું છે. વિશેષ સત્રની જાણકારી સામે આવતા જ અલગ અલગ તર્ક વિતર્કો સર્જાયા હતા અને આ સત્ર શા માટે બોલાવવામાં આવ્યું છે તેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. આ બધા વચ્ચે ગઈ કાલે વિપક્ષી નેતાઓની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવાયો કે સોનિયા ગાંધી INDIA વતી પીએમ મોદીને પત્ર લખવાના છે. 


રામનાથ કોવિંદની આગેવાનીમાં બનાવાઈ કમિટી 

એક દેશ એક ચૂંટણીને લઈ આ વિશેષ સત્રમાં કોઈ નિર્ણય આવી શકે છે તેવું નિષ્ણાતો માની રહ્યા હતા. એક તરફ આ ચર્ચાઓ ચાલી રહી હતી તો બીજી તરફ કેન્દ્ર સરકારે વન નેશન વન ઈલેક્શન માટે એક કમિટીની રચના કરી જેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવાયા છે. ત્યારે આજે કમિટીની પહેલી બેઠક મળવા જઈ રહી છે. સમિતીમાં કુલ આઠ લોકો છે. અમિત શાહ, અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારી. દિલ્હી ખાતે આજે આ બેઠક મળવાની છે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ નામ પાછું ખેંચવાની માગ કરી છે.       



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.