One Nation One Election કમિટીની આજે મળશે પ્રથમ બેઠક, પૂર્વ President Ramnath Kovind છે કમિટીના અધ્યક્ષ


  • Published By :
  • Published Date : 2023-09-06 13:40:41

જ્યારથી કેન્દ્ર સરકારે વિશેષ સત્રની જાહેરાત કરી છે ત્યારથી દેશમાં એક મુદ્દાને લઈ ચર્ચા થઈ રહી છે. તે વિષય છે 'એક રાષ્ટ્ર એક ચૂંટણી'નો. વિશેષ સત્રને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી હતી. એક તરફ 'એક દેશ એક ચૂંટણી'ને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતા  કેન્દ્ર સરકારે એક કમિટીની રચના કરી હતી. આજે કમિટીની પ્રથમ બેઠક મળવાની છે. આ કમિટીમાં 8 લોકોને મેમ્બર બનાવમાં આવ્યા છે. જે વખતે કમિટીને લઈ જાહેરાત કરવામાં આવી હતી તે વખતે અનેક રાજનેતાઓએ વિરોધ પણ કર્યો હતો.


સોનિયા ગાંધી પીએમ મોદીને લખવાના છે પત્ર 

18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદમાં વિશેષ સત્ર બોલાવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે વિશેષ સત્રનું આયોજન કર્યું છે. વિશેષ સત્રની જાણકારી સામે આવતા જ અલગ અલગ તર્ક વિતર્કો સર્જાયા હતા અને આ સત્ર શા માટે બોલાવવામાં આવ્યું છે તેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. આ બધા વચ્ચે ગઈ કાલે વિપક્ષી નેતાઓની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવાયો કે સોનિયા ગાંધી INDIA વતી પીએમ મોદીને પત્ર લખવાના છે. 


રામનાથ કોવિંદની આગેવાનીમાં બનાવાઈ કમિટી 

એક દેશ એક ચૂંટણીને લઈ આ વિશેષ સત્રમાં કોઈ નિર્ણય આવી શકે છે તેવું નિષ્ણાતો માની રહ્યા હતા. એક તરફ આ ચર્ચાઓ ચાલી રહી હતી તો બીજી તરફ કેન્દ્ર સરકારે વન નેશન વન ઈલેક્શન માટે એક કમિટીની રચના કરી જેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવાયા છે. ત્યારે આજે કમિટીની પહેલી બેઠક મળવા જઈ રહી છે. સમિતીમાં કુલ આઠ લોકો છે. અમિત શાહ, અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારી. દિલ્હી ખાતે આજે આ બેઠક મળવાની છે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ નામ પાછું ખેંચવાની માગ કરી છે.       



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.