સાચી પડી હવામાન વિભાગની આગાહી,રાજ્યમાં સવારથી જામ્યો વરસાદી માહોલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 12:48:54

નવરાત્રીના શરૂઆતના નોરતાઓ દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો હતો. ત્યારે ફરી એક વખત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને લઈ દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, ડાંગ સહિતના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી.    

સવારથી જોવા મળી મેઘસવારી

વરસાદી માહોલ જામતા વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદ થવાને કારણે ઠંડક પ્રસરી હતી. બનાસકાંઠાના જગાણા, લાલાવાડા ગામોમાં વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. બનાસકાંઠા ઉપરાંત સાબરકાંઠામાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. વાદળછાયા વાતાવરણ હોવાને કારણે વરસાદના છાંટા પણ વરસ્યા હતા. 

Gujarat Under Red Warning for Sunday; After Record August Rains, Subdued  Monsoon Forecast Next Week | The Weather Channel

 ફરી એક વખત વરસાદ કરશે પધરામણી  

હવામાન વિભાગે 8થી 11 ઓક્ટોબર વરસાદના ઝાપટા પડવાની આગાહી કરી છે. 8 ઓક્ટોબરે ગીર સોમનાથ, પંચમહાલ, નર્મદા, તાપી, ભાવનગર, ડાંગમાં વરસાદની આગાહી કરી છે. ઉપરાંત 9 ઓક્ટોબરના  રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 9મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.