સાચી પડી હવામાન વિભાગની આગાહી,રાજ્યમાં સવારથી જામ્યો વરસાદી માહોલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 12:48:54

નવરાત્રીના શરૂઆતના નોરતાઓ દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો હતો. ત્યારે ફરી એક વખત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને લઈ દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, ડાંગ સહિતના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી.    

સવારથી જોવા મળી મેઘસવારી

વરસાદી માહોલ જામતા વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદ થવાને કારણે ઠંડક પ્રસરી હતી. બનાસકાંઠાના જગાણા, લાલાવાડા ગામોમાં વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે. બનાસકાંઠા ઉપરાંત સાબરકાંઠામાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. વાદળછાયા વાતાવરણ હોવાને કારણે વરસાદના છાંટા પણ વરસ્યા હતા. 

Gujarat Under Red Warning for Sunday; After Record August Rains, Subdued  Monsoon Forecast Next Week | The Weather Channel

 ફરી એક વખત વરસાદ કરશે પધરામણી  

હવામાન વિભાગે 8થી 11 ઓક્ટોબર વરસાદના ઝાપટા પડવાની આગાહી કરી છે. 8 ઓક્ટોબરે ગીર સોમનાથ, પંચમહાલ, નર્મદા, તાપી, ભાવનગર, ડાંગમાં વરસાદની આગાહી કરી છે. ઉપરાંત 9 ઓક્ટોબરના  રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 9મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"