પોતાના પડતર પ્રશ્નો સાથે વનકર્મચારી સરકાર વિરૂદ્ધ કરી રહ્યા છે આંદોલન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 11:50:10

ગુજરાતમાં એક બાદ એક આંદોલનો ચાલી રહ્યા છે. શિક્ષકો, માજી સૈનિક, આરોગ્યકર્મી સહિત અનેક સરકારી કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ અવાજ ઉપાડી રહ્યા છે. તો હવે વન રક્ષકો પણ મેદાનમાં ઉતરી પોતાની માગ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. ગાંધીનગર ખાતે પહોંચી મોટી સંખ્યામાં વન રક્ષકોએ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો છે. વન રક્ષક અને વનપાલો રજા પગાર અને ગ્રેડપે વધારા સહિતની અનેક માગ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહ્યા છે. 

સરકાર સામે વધુ એક પડકાર

એક તરફ વિધાનસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે બહાર પડી શકે છે તો બીજી તરફ એક બાદ એક આંદોલનનો ગાંધીનગર ચાલી રહ્યા છે. પોતાની પડતર માગણીઓને લઈ સ્વાસ્થય કર્મી, નિવૃત્ત આર્મી જવાનો, શિક્ષકો તેમજ એસ.ટી વિભાગના કર્મચારીઓ આંદાલન કરી રહ્યા છે ત્યારે હવે વન કર્મચારીઓ આંદોલનના મેદાનમાં ઉતરી ગયા છે જેના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે.


પ્રતિદિન વધતા આંદોલનો

આંદોલનો શાંત કરવા તેમજ આંદોલનકારીઓ સાથે વાતચીત કરવા સરકારે 5 સભ્યોની કમિટી બનાવી હતી. પરંતુ તેમના તમામ પ્રયાસો પણ નિષ્ફળ જઈ રહ્યા હોય તેવું લાગે છે. પહેલેથી આંદોલન કરી રહેલા કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવી નથી રહ્યું તો બીજી તરફ પોતાની માગ સાથે અન્ય લોકો પણ સરકાર વિરૂદ્ધ ઉતરી રહ્યા છે. ત્યારે આ આંદોલનો ક્યારે ખતમ થશે તે તો ભગવાન જાણે કાંતો સરકાર જાણે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે