પોતાના પડતર પ્રશ્નો સાથે વનકર્મચારી સરકાર વિરૂદ્ધ કરી રહ્યા છે આંદોલન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 11:50:10

ગુજરાતમાં એક બાદ એક આંદોલનો ચાલી રહ્યા છે. શિક્ષકો, માજી સૈનિક, આરોગ્યકર્મી સહિત અનેક સરકારી કર્મચારીઓ સરકાર વિરૂદ્ધ અવાજ ઉપાડી રહ્યા છે. તો હવે વન રક્ષકો પણ મેદાનમાં ઉતરી પોતાની માગ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. ગાંધીનગર ખાતે પહોંચી મોટી સંખ્યામાં વન રક્ષકોએ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો છે. વન રક્ષક અને વનપાલો રજા પગાર અને ગ્રેડપે વધારા સહિતની અનેક માગ સાથે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરી રહ્યા છે. 

સરકાર સામે વધુ એક પડકાર

એક તરફ વિધાનસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે બહાર પડી શકે છે તો બીજી તરફ એક બાદ એક આંદોલનનો ગાંધીનગર ચાલી રહ્યા છે. પોતાની પડતર માગણીઓને લઈ સ્વાસ્થય કર્મી, નિવૃત્ત આર્મી જવાનો, શિક્ષકો તેમજ એસ.ટી વિભાગના કર્મચારીઓ આંદાલન કરી રહ્યા છે ત્યારે હવે વન કર્મચારીઓ આંદોલનના મેદાનમાં ઉતરી ગયા છે જેના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે.


પ્રતિદિન વધતા આંદોલનો

આંદોલનો શાંત કરવા તેમજ આંદોલનકારીઓ સાથે વાતચીત કરવા સરકારે 5 સભ્યોની કમિટી બનાવી હતી. પરંતુ તેમના તમામ પ્રયાસો પણ નિષ્ફળ જઈ રહ્યા હોય તેવું લાગે છે. પહેલેથી આંદોલન કરી રહેલા કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ આવી નથી રહ્યું તો બીજી તરફ પોતાની માગ સાથે અન્ય લોકો પણ સરકાર વિરૂદ્ધ ઉતરી રહ્યા છે. ત્યારે આ આંદોલનો ક્યારે ખતમ થશે તે તો ભગવાન જાણે કાંતો સરકાર જાણે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.