સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે અમુક ન્યાયાધીશોને લઈ આપ્યું નિવેદન, કહ્યું અમુક જજોની આળસને લીધે ચુકાદા સમયસર લખાતા નથી!


  • Published By :
  • Published Date : 2023-04-13 16:47:25

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્તી ચેલમેશ્વરે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કોલેજિયમ સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે. પૂર્વ ન્યાયાધીશે આરોપ લગાવ્યો હતો કે કેટલાક જજના પદને લાયક જ નથી અને અયોગ્ય છે. આરોપ લગાવતા કહ્યું હતું કે કેટલાક જજો આળસુ, ચુકાદા લખવામાં વર્ષો લગાવે છે, કોલેજિયમમાં પારદર્શીતા નથી. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે કર્ણાટકના એક સિવિલ જજને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.એ જજ પર આરોપ હતો કે પુરૂ જજમેન્ટ લખ્યા વગર જ ઓપન કોર્ટમાં ચુકાદાનો નિર્ણય આપી દેતા હતા. આ મામલે તપાસ કરવામાં આવી હતી. પરંતુ જજે પોતાના પર લાગેલા આરોપ સ્ટેનોગ્રાફર પર ઢોળી દીધા હતા. પરંતુ તો પણ સુપ્રીમ કોર્ટે જજને આડેહાથ લીધા હતા.  

Supreme Court: Latest news, Updates, Photos, Videos and more.

શું હોય છે કોલેજિયમ સિસ્ટમ? 

સુપ્રીમ કોર્ટમાં ચાલતા કોલેજિયમ સિસ્ટમની વાત કરીએ. મુખ્ય ન્યાયાધીશ અથવા તો સીજેઆઈ અને સર્વોચ્ચ અદાલતના ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોનું જૂથ જે દેશની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની નિમણૂક અંગે નિર્ણય લે છે અને તેમના નામની રજૂઆત કેન્દ્ર સરકારને કરે છે તેને કોલેજિયમ કહેવામાં આવે છે. પરંતુ અનેક વખત આ સિસ્ટમ પર કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ સવાલ ઉઠાવતા આવ્યા છે. આ સિસ્ટમથી તે નાખુશ હોય તેવું અનેક વખત સામે આવ્યું છે. બંધારણની ભાવના મુજબ ન્યાયાધીશોની નિમણૂંક કરવાનું કામ સરકારનું છે. કોલેજિયમ સિસ્ટમમાં સરકારના પ્રતિનિધિનો સમાવેશ કરવાની માગ પણ કરી હતી.  


કિરણ રિજ્જુના નિવેદન પર પણ ઉઠાવ્યા સવાલો!  

તે બધા વચ્ચે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનું નિવેદન સામે આવ્યું છે. કેરળ હાઈકોર્ટમાં આયોજીત કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં તેમણે કિરણ રિજ્જુના નિવેદન પર પણ સવાલ ઉઠાવ્યા છે પરંતુ સાથે સાથે તેમણે કહ્યું હતું કે કોલેજિયમ સમક્ષ પણ કેટલાક આરોપો આવતા હોય છે. જોકે આ આરોપો પર ગંભીર રીતના કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમણે લોકતંત્રમાં સ્વતંત્ર ન્યાયપાલિકા પર પણ ભાર મૂક્યો હતો. 



કોલેજિયમ સિસ્ટમને લઈ પૂર્વ જજે આપ્યું નિવેદન!

તેમણે કહ્યું કે જરાક વિચાર તો એવું નહીં હોય તો શું થશે? વધુમાં તેમણે કહ્યું કે પૂર્વ ન્યાયાધીશે આરોપ લગાવ્યો હતો કે કેટલાક જજના પદને લાયક જ નથી અને અયોગ્ય છે. આરોપ લગાવતા કહ્યું હતું કે કેટલાક જજો આળસુ, ચુકાદા લખવામાં વર્ષો લગાવે છે, કોલેજિયમમાં પારદર્શીતા નથી. ત્યારે જો સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ દ્વારા આવા આરોપો લગાવવામાં આવતા હોય તો તે ન્યાયતંત્ર માટે એક મોટો પ્રશ્ન છે.           

  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.