સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે અમુક ન્યાયાધીશોને લઈ આપ્યું નિવેદન, કહ્યું અમુક જજોની આળસને લીધે ચુકાદા સમયસર લખાતા નથી!


  • Published By :
  • Published Date : 2023-04-13 16:47:25

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્તી ચેલમેશ્વરે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કોલેજિયમ સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે. પૂર્વ ન્યાયાધીશે આરોપ લગાવ્યો હતો કે કેટલાક જજના પદને લાયક જ નથી અને અયોગ્ય છે. આરોપ લગાવતા કહ્યું હતું કે કેટલાક જજો આળસુ, ચુકાદા લખવામાં વર્ષો લગાવે છે, કોલેજિયમમાં પારદર્શીતા નથી. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે કર્ણાટકના એક સિવિલ જજને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.એ જજ પર આરોપ હતો કે પુરૂ જજમેન્ટ લખ્યા વગર જ ઓપન કોર્ટમાં ચુકાદાનો નિર્ણય આપી દેતા હતા. આ મામલે તપાસ કરવામાં આવી હતી. પરંતુ જજે પોતાના પર લાગેલા આરોપ સ્ટેનોગ્રાફર પર ઢોળી દીધા હતા. પરંતુ તો પણ સુપ્રીમ કોર્ટે જજને આડેહાથ લીધા હતા.  

Supreme Court: Latest news, Updates, Photos, Videos and more.

શું હોય છે કોલેજિયમ સિસ્ટમ? 

સુપ્રીમ કોર્ટમાં ચાલતા કોલેજિયમ સિસ્ટમની વાત કરીએ. મુખ્ય ન્યાયાધીશ અથવા તો સીજેઆઈ અને સર્વોચ્ચ અદાલતના ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોનું જૂથ જે દેશની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની નિમણૂક અંગે નિર્ણય લે છે અને તેમના નામની રજૂઆત કેન્દ્ર સરકારને કરે છે તેને કોલેજિયમ કહેવામાં આવે છે. પરંતુ અનેક વખત આ સિસ્ટમ પર કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ સવાલ ઉઠાવતા આવ્યા છે. આ સિસ્ટમથી તે નાખુશ હોય તેવું અનેક વખત સામે આવ્યું છે. બંધારણની ભાવના મુજબ ન્યાયાધીશોની નિમણૂંક કરવાનું કામ સરકારનું છે. કોલેજિયમ સિસ્ટમમાં સરકારના પ્રતિનિધિનો સમાવેશ કરવાની માગ પણ કરી હતી.  


કિરણ રિજ્જુના નિવેદન પર પણ ઉઠાવ્યા સવાલો!  

તે બધા વચ્ચે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનું નિવેદન સામે આવ્યું છે. કેરળ હાઈકોર્ટમાં આયોજીત કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં તેમણે કિરણ રિજ્જુના નિવેદન પર પણ સવાલ ઉઠાવ્યા છે પરંતુ સાથે સાથે તેમણે કહ્યું હતું કે કોલેજિયમ સમક્ષ પણ કેટલાક આરોપો આવતા હોય છે. જોકે આ આરોપો પર ગંભીર રીતના કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમણે લોકતંત્રમાં સ્વતંત્ર ન્યાયપાલિકા પર પણ ભાર મૂક્યો હતો. 



કોલેજિયમ સિસ્ટમને લઈ પૂર્વ જજે આપ્યું નિવેદન!

તેમણે કહ્યું કે જરાક વિચાર તો એવું નહીં હોય તો શું થશે? વધુમાં તેમણે કહ્યું કે પૂર્વ ન્યાયાધીશે આરોપ લગાવ્યો હતો કે કેટલાક જજના પદને લાયક જ નથી અને અયોગ્ય છે. આરોપ લગાવતા કહ્યું હતું કે કેટલાક જજો આળસુ, ચુકાદા લખવામાં વર્ષો લગાવે છે, કોલેજિયમમાં પારદર્શીતા નથી. ત્યારે જો સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ દ્વારા આવા આરોપો લગાવવામાં આવતા હોય તો તે ન્યાયતંત્ર માટે એક મોટો પ્રશ્ન છે.           

  



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.