સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે અમુક ન્યાયાધીશોને લઈ આપ્યું નિવેદન, કહ્યું અમુક જજોની આળસને લીધે ચુકાદા સમયસર લખાતા નથી!


  • Published By :
  • Published Date : 2023-04-13 16:47:25

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્તી ચેલમેશ્વરે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કોલેજિયમ સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે. પૂર્વ ન્યાયાધીશે આરોપ લગાવ્યો હતો કે કેટલાક જજના પદને લાયક જ નથી અને અયોગ્ય છે. આરોપ લગાવતા કહ્યું હતું કે કેટલાક જજો આળસુ, ચુકાદા લખવામાં વર્ષો લગાવે છે, કોલેજિયમમાં પારદર્શીતા નથી. આ બધા વચ્ચે સુપ્રીમ કોર્ટે કર્ણાટકના એક સિવિલ જજને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.એ જજ પર આરોપ હતો કે પુરૂ જજમેન્ટ લખ્યા વગર જ ઓપન કોર્ટમાં ચુકાદાનો નિર્ણય આપી દેતા હતા. આ મામલે તપાસ કરવામાં આવી હતી. પરંતુ જજે પોતાના પર લાગેલા આરોપ સ્ટેનોગ્રાફર પર ઢોળી દીધા હતા. પરંતુ તો પણ સુપ્રીમ કોર્ટે જજને આડેહાથ લીધા હતા.  

Supreme Court: Latest news, Updates, Photos, Videos and more.

શું હોય છે કોલેજિયમ સિસ્ટમ? 

સુપ્રીમ કોર્ટમાં ચાલતા કોલેજિયમ સિસ્ટમની વાત કરીએ. મુખ્ય ન્યાયાધીશ અથવા તો સીજેઆઈ અને સર્વોચ્ચ અદાલતના ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોનું જૂથ જે દેશની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની નિમણૂક અંગે નિર્ણય લે છે અને તેમના નામની રજૂઆત કેન્દ્ર સરકારને કરે છે તેને કોલેજિયમ કહેવામાં આવે છે. પરંતુ અનેક વખત આ સિસ્ટમ પર કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ સવાલ ઉઠાવતા આવ્યા છે. આ સિસ્ટમથી તે નાખુશ હોય તેવું અનેક વખત સામે આવ્યું છે. બંધારણની ભાવના મુજબ ન્યાયાધીશોની નિમણૂંક કરવાનું કામ સરકારનું છે. કોલેજિયમ સિસ્ટમમાં સરકારના પ્રતિનિધિનો સમાવેશ કરવાની માગ પણ કરી હતી.  


કિરણ રિજ્જુના નિવેદન પર પણ ઉઠાવ્યા સવાલો!  

તે બધા વચ્ચે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનું નિવેદન સામે આવ્યું છે. કેરળ હાઈકોર્ટમાં આયોજીત કાર્યક્રમમાં તેમણે નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં તેમણે કિરણ રિજ્જુના નિવેદન પર પણ સવાલ ઉઠાવ્યા છે પરંતુ સાથે સાથે તેમણે કહ્યું હતું કે કોલેજિયમ સમક્ષ પણ કેટલાક આરોપો આવતા હોય છે. જોકે આ આરોપો પર ગંભીર રીતના કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમણે લોકતંત્રમાં સ્વતંત્ર ન્યાયપાલિકા પર પણ ભાર મૂક્યો હતો. 



કોલેજિયમ સિસ્ટમને લઈ પૂર્વ જજે આપ્યું નિવેદન!

તેમણે કહ્યું કે જરાક વિચાર તો એવું નહીં હોય તો શું થશે? વધુમાં તેમણે કહ્યું કે પૂર્વ ન્યાયાધીશે આરોપ લગાવ્યો હતો કે કેટલાક જજના પદને લાયક જ નથી અને અયોગ્ય છે. આરોપ લગાવતા કહ્યું હતું કે કેટલાક જજો આળસુ, ચુકાદા લખવામાં વર્ષો લગાવે છે, કોલેજિયમમાં પારદર્શીતા નથી. ત્યારે જો સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ દ્વારા આવા આરોપો લગાવવામાં આવતા હોય તો તે ન્યાયતંત્ર માટે એક મોટો પ્રશ્ન છે.           

  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.