Rajkot Fire Accidentમાં મૃત્યુ પામેલા મૃતકની નિકળી અંતિમયાત્રા, સર્જાયા ભાવુક દ્રશ્યો.. હજી અનેક આંખો પોતાના સ્વજનોના ઈંતેજારમાં..!


  • Published By :
  • Published Date : 2024-05-27 13:19:53

જેની પર વિતી હોય તેને જ તે દુ:ખનો અહેસાસ થાય તેવી વાતો આપણે સાંભળતા હોઈએ છીએ.. વાત તો સાચી છે, બીજાની પીડા આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે આપણે તે પીડામાંથી ગુજર્યા હોઈએ.. રાજકોટમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની પીડા અસહ્ય હશે.. તેમનું રૂદન આપણને અંદરથી હચમચાવી દે તેવું છે.. 

News18 Gujarati

News18 Gujarati

પરિવારોને સોંપાઈ રહ્યા છે મૃતદેહ 

જમાવટની ટીમે જ્યારે મૃતકોના પરિવાર સાથે વાતચીત કરી ત્યારે તેમની પીડા સાફ દેખાઈ આવતી હતી.. તેમનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો હતો. અનેક મૃતદેહોને પરિવારના સભ્યોને સોંપી દેવાયા છે અને તેમના અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આખું રાજકોટ જાણે હિબકે ચઢ્યું હોય તેવું લાગે છે.. લાશની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે મૃતદેહ કોનો છે તે માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સેમ્પલોને મેચ કરવામાં આવી રહ્યો છે અને જો સેમ્પલ મેચ થાય છે તો મૃતદેહ પરિવારને સોંપાઈ રહ્યા છે.  

અંતિમ યાત્રામાં સર્જાયા ભાવુક દ્રશ્યો 

રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિવારને સોંપવામાં આવી રહ્આ છે. વહેલી સવારે એક મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. સત્યપાલસિંહ જાડેજાની અંતિમયાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.. અંતિમ યાત્રા વખતે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. નાની ઉંમરના દીકરાનું મોત થઈ જતા પરિવારમાં શોકનો માહોલ છે. મહત્વનું છે અનેક એવા પરિવારો છે પોતાના સ્વજનને, તેમના મૃતદેહને શોધી રહ્યા છે.. જ્યારે આવા પરિવારની પીડા આપણે સાંભળીએ ત્યારે આપણે પણ એ પીડાનો અહેસાસ કરી શકીશું.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.