Rajkot Fire Accidentમાં મૃત્યુ પામેલા મૃતકની નિકળી અંતિમયાત્રા, સર્જાયા ભાવુક દ્રશ્યો.. હજી અનેક આંખો પોતાના સ્વજનોના ઈંતેજારમાં..!


  • Published By :
  • Published Date : 2024-05-27 13:19:53

જેની પર વિતી હોય તેને જ તે દુ:ખનો અહેસાસ થાય તેવી વાતો આપણે સાંભળતા હોઈએ છીએ.. વાત તો સાચી છે, બીજાની પીડા આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે આપણે તે પીડામાંથી ગુજર્યા હોઈએ.. રાજકોટમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની પીડા અસહ્ય હશે.. તેમનું રૂદન આપણને અંદરથી હચમચાવી દે તેવું છે.. 

News18 Gujarati

News18 Gujarati

પરિવારોને સોંપાઈ રહ્યા છે મૃતદેહ 

જમાવટની ટીમે જ્યારે મૃતકોના પરિવાર સાથે વાતચીત કરી ત્યારે તેમની પીડા સાફ દેખાઈ આવતી હતી.. તેમનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો હતો. અનેક મૃતદેહોને પરિવારના સભ્યોને સોંપી દેવાયા છે અને તેમના અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આખું રાજકોટ જાણે હિબકે ચઢ્યું હોય તેવું લાગે છે.. લાશની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે મૃતદેહ કોનો છે તે માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સેમ્પલોને મેચ કરવામાં આવી રહ્યો છે અને જો સેમ્પલ મેચ થાય છે તો મૃતદેહ પરિવારને સોંપાઈ રહ્યા છે.  

અંતિમ યાત્રામાં સર્જાયા ભાવુક દ્રશ્યો 

રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિવારને સોંપવામાં આવી રહ્આ છે. વહેલી સવારે એક મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. સત્યપાલસિંહ જાડેજાની અંતિમયાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.. અંતિમ યાત્રા વખતે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. નાની ઉંમરના દીકરાનું મોત થઈ જતા પરિવારમાં શોકનો માહોલ છે. મહત્વનું છે અનેક એવા પરિવારો છે પોતાના સ્વજનને, તેમના મૃતદેહને શોધી રહ્યા છે.. જ્યારે આવા પરિવારની પીડા આપણે સાંભળીએ ત્યારે આપણે પણ એ પીડાનો અહેસાસ કરી શકીશું.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે