Rajkot Fire Accidentમાં મૃત્યુ પામેલા મૃતકની નિકળી અંતિમયાત્રા, સર્જાયા ભાવુક દ્રશ્યો.. હજી અનેક આંખો પોતાના સ્વજનોના ઈંતેજારમાં..!


  • Published By :
  • Published Date : 2024-05-27 13:19:53

જેની પર વિતી હોય તેને જ તે દુ:ખનો અહેસાસ થાય તેવી વાતો આપણે સાંભળતા હોઈએ છીએ.. વાત તો સાચી છે, બીજાની પીડા આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે આપણે તે પીડામાંથી ગુજર્યા હોઈએ.. રાજકોટમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોની પીડા અસહ્ય હશે.. તેમનું રૂદન આપણને અંદરથી હચમચાવી દે તેવું છે.. 

News18 Gujarati

News18 Gujarati

પરિવારોને સોંપાઈ રહ્યા છે મૃતદેહ 

જમાવટની ટીમે જ્યારે મૃતકોના પરિવાર સાથે વાતચીત કરી ત્યારે તેમની પીડા સાફ દેખાઈ આવતી હતી.. તેમનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો હતો. અનેક મૃતદેહોને પરિવારના સભ્યોને સોંપી દેવાયા છે અને તેમના અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આખું રાજકોટ જાણે હિબકે ચઢ્યું હોય તેવું લાગે છે.. લાશની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે મૃતદેહ કોનો છે તે માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સેમ્પલોને મેચ કરવામાં આવી રહ્યો છે અને જો સેમ્પલ મેચ થાય છે તો મૃતદેહ પરિવારને સોંપાઈ રહ્યા છે.  

અંતિમ યાત્રામાં સર્જાયા ભાવુક દ્રશ્યો 

રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહો પરિવારને સોંપવામાં આવી રહ્આ છે. વહેલી સવારે એક મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. સત્યપાલસિંહ જાડેજાની અંતિમયાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.. અંતિમ યાત્રા વખતે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. નાની ઉંમરના દીકરાનું મોત થઈ જતા પરિવારમાં શોકનો માહોલ છે. મહત્વનું છે અનેક એવા પરિવારો છે પોતાના સ્વજનને, તેમના મૃતદેહને શોધી રહ્યા છે.. જ્યારે આવા પરિવારની પીડા આપણે સાંભળીએ ત્યારે આપણે પણ એ પીડાનો અહેસાસ કરી શકીશું.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .