ગોંડલના રાજકુમાર જાટ કેસના પડઘા રાજસ્થાનની રાજધાની સુધી પડ્યા, જયરાજસિંહ સામે સામે થશે વિરોધ!


  • Published By : Payal rathod
  • Published Date : 2025-03-31 13:17:45

રાજકુમાર જાટના મૃત્યોનો કેસ હવે દિવસે ને દિવસે વધારે ચર્ચામાં આવે છે અને સાથે જ એના પડઘા ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં પણ પડી રહ્યા છે જાટ સમાજમાં ભારે રોષ છે અને હવે બે દિવસમાં આ વિરોધ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે. 


જયરાજસિંહ જાડેજા સામે રાજસ્થાનમાં વિરોધ


ગોંડલમાં એક યુવક જે UPSCની તૈયારીઓ કરતો હતો અચાનકથી તે ગાયબ થાય છે બાદમાં પિતા ગણેશ ગોંડલ અને જયરાજસિંહ પર આક્ષેપ કરે છે અને બાદમાં એ છોકરાનો મૃતદેહ મળે છે અને જાહેર કરવામાં આવે છે કે એનું મૃત્યુ અકસ્માતમાં થયું છે પરિવારને વિશ્વસ નથી થતો અને પરિવાર અને સમાજ cbiની માંગ કરે છે અને મુદ્દો સંસદમાં ગુંજે છે હવેશું થવાનું છે તો  રાજકુમારને ન્યાય અપાવવા માટેનું આંદોલન રસ્તાથી ગૃહ સુધી ચાલુ રહેશે તેવું  એડવોકેટ જયંત મુંડે કહ્યું છે તેમને એલાન કર્યું છે કે  31 માર્ચે X પર #JusticeForRajkumar ટ્રેન્ડ કરીશું અને 1 એપ્રિલે રાજધાની જયપુરમાં આક્રોશ રેલી પણ કાઢીશું સાથે જ તેમને કહ્યું કે "UPSC વિદ્યાર્થી રાજકુમાર જાટ કેસમાં 27 દિવસ સુધી ઝીરો FIR ન નોંધવી એ ગુજરાત જેવા રાજ્યમાં સ્પષ્ટપણે લોકશાહીની હત્યા છે. આના વિરોધમાં 1 એપ્રિલ, 2025ના રોજ જયપુરના શહીદ સ્મારક ખાતે એક રોષ સભા યોજાશે અને રાજ્ય સરકાર દ્વારા ગૃહમંત્રી અમિત શાહને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવશે."


પ્રધાનમંત્રીને પત્ર.. 


અત્યાર સુધીમાં 25 ધારાસભ્યો અને 4 લોકસભા સાંસદોએ વડાપ્રધાન અને ગૃહમંત્રીને પત્રો લખીને આ મામલે પોતાની માંગણીઓ રજૂ કરી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ભગીરથ ચૌધરીએ પણ આ માંગણી કરી છે. રાજસ્થાન વિધાનસભામાં, કિશનગઢના ધારાસભ્ય વિકાસ ચૌધરીએ CBI તપાસની માંગ કરી હતી, જ્યારે લોકસભામાં, હનુમાન બેનીવાલ અને ઉમ્મેદરામ બેનીવાલે ટેબલ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. રાજસ્થાનના કેબિનેટ મંત્રી કન્હૈયા લાલે પણ આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.





ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.