રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ, જો રસ્તા પર રખડતા ઢોર દેખાશે તો....


  • Published By :
  • Published Date : 2023-08-25 10:58:08

રાજ્યમાં રખડતાં ઢોરનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. અનેક લોકોએ રખડતા ઢોરની અડફેટે આવતા જીવ ગુમાવ્યો છે અથવા તો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે રખડતા ઢોર મામલે અનેક વખત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. આ મામલે કડક પગલાં લેવામાં આવે તેવા આદેશ આપ્યા હતા. પરંતુ પરસ્થિતિ ઠેરની ઠેર હતી. ત્યારે ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટે આકરૂ વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટની ઝાટકણી બાદ સરકારે રખડતા ઢોર મામલે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે કડક નિયમો બનાવ્યા છે. નવા નિયમો અનુસાર મનપા અને નપામાં જો ઢોર રાખવા હશે તો પશુપાલકે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જે રસ્તા પર રખડતા ઢોર દેખાશે તો પશુપાલક પાસેથી દંડ વસૂલવામાં આવશે. 


સરકારે રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા જાહેર કરી માર્ગદર્શિકા 

રખડતા ઢોરની સમસ્યા પ્રતિદિન વધતી જઈ રહ્યો છે. સરકારને અનેક વખત રજૂઆત કરવા છતાંય સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. વાહનચાલકો તેમજ રાહદારીઓ અનેક વખત રખડતાં પશુઓનો ભોગ બનતા હોય છે. ત્યારે વધતા રખડતા ઢોરના આતંકને શાંત કરવા માટે હાઈકોર્ટે અનેક વખત સરકારની ઝાટકણી કાઢી છે. નવી ગાઈડલાઈન્સ પશુપાલકો માટે જાહેર કરી છે. સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. જો રજિસ્ટ્રેશન કરાયા વગરના ઢોર રસ્તા પર હશે તો પશુ પાલક  વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 


રખડતા ઢોરનું કરવામાં આવશે ટેગિંગ 

સરકારની નવી માર્ગદર્શિકા હેઠળ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાએ પશુઓ પર ટેગ લગાવવો પડશે. જો રસ્તા પર રખડતા ઢોર પકડાશે તો દંડ ભરવો પડશે. જો રસ્તા પર રખડતા પશુ દેખાશે તો પશુપાલકને દંડ ફટકારવામાં આવશે. જ્યાં સુધી જપ્ત કરાયેલા ઢોર સરકારી કબજામાં રહેશે ત્યાં સુધી ઘાસચારા દીઠ તેમને પૈસા આપવાના રહેશે. ઢોરનું રજીસ્ટ્રેશન કરી લાયસન્સ ફરજિયાત બનાવવાનું રહેશે. પશુઓની ઓખળ થઈ શકે તે માટે ચીપ અને ટેગ પણ લગાવવા પડશે. અલગ અલગ પશુઓ માટે અલગ અલગ દંડની જોગવાઈ કરવામાં આવી છે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.