બાહેંધરી પત્રક ભરવાનું દબાણ કરતા પોલીસ કર્મચારીઓમાં રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 12:54:37

પોલીસ કર્મીઓનો ગ્રેડ પે સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. ગુજરાત સરકારે ટૂંક સમય પહેલા જ પોલીસ વિભાગ માટે ભથ્થું વધારી દેવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી  દીધી હતી કે ગ્રેડ-પે તો વધારવામાં જ નહીં આવે. આ વિવાદ શમ્યો નથી ને નવો વિવાદ સર્જાયો જે કર્મચારીઓને બાંહેધરી પત્રક ભરાવાનો હુકુમ કર્યો જેનાથી આગમાં ઘી હોમવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સરકારે પોલીસ કર્મચારીઓને એફિડેવિટમાં સહી કરાવાની જવાબદારી IPS અધિકારીને સોપી છે. 3 દિવસ થઈ ગયા હોવા છતાં પણ 50 ટકા કર્મચારીઓએ સહી ન કરીને વિરોધ નોંધાવ્યો છે. કચ્છમાં તો 90 ટકા પોલીસ કર્મચારીઓએ સહી ન કરીને વિરોધ નોંધાવ્યો છે. પોલીસકર્મીઓનું કહેવું છે કે, સરકાર અમારા કાંડા કાપવા માંગે છે. બાંહેધરી પત્રકમાં જો પોલીસ કર્મીઓ સહી કરી દે તો ભવિષ્યમાં તેઓ પગાર મામલે આંદોલન નહીં કરી શકે.  


ગ્રેડ પે બાદ બાહેંધરી પત્રકથી પોલીસ કર્મચારીઓ ઉકળ્યા?

ગુજરાત પોલીસને ગ્રેડ–પેના બદલે અપાયેલા જાહેર સુરક્ષા પ્રોત્સાહન હેઠળના પગાર વધારા ભથ્થા સામે આમતો મહત્તમ પોલીસ કર્મીઓમાં નારાજગી જેવું છે. સોશિયલ મીડિયામાં તો કયાંક સૌ એકત્રિત થાય ત્યાં મૌખિક ચર્ચા સાથે વિરોધ દેખાઈ રહ્યો છે. આ જાહેર સુરક્ષા પ્રોત્સાહન માટે પણ પોલીસને બાંહેધરી પત્ર આપવાનું જેના કારણે બળતામાં ઘી હોમવાની માફક વધુ ઉકળાટ ઉદભવતો દેખાઈ રહ્યો છે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે છતાં પોલીસ કર્મીઓ દ્વારા એફિડેવિટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે 


રાજ્યભરમાં પોલીસ દ્રારા અગાઉ ગ્રેડ–પે મામલે  વિરોધ નોંધાવ્યો હતો. ઘણી જગ્યાએ જાહેરમાં વિરોધ પ્રદર્શન થતાં કેટલાંક પોલીસ કર્મી પર એકશન પણ લેવાઈ હતી. કયાંક વિરોધ પ્રદર્શનને લઈને ગુનાઓ પણ નોંધાયા હતા. સરકાર દ્રારા પોલીસની માગણી, વિરોધ સમેટવા માટે સરકારે ગત માસે ગ્રેડ–પેના બદલે જાહેર સુરક્ષા પ્રોત્સાહન આપવાની જાહેરાત કરાઈ અને એલઆરડીથી એએસઆઈ સુધીના પગાર વધારે 4500 કે તેથી વધુ રકમ ન અપાય, પોલીસે ડિસીપ્લિન ફોર્સ હોવાથી ગ્રેડ–પેના બદલે આ નવા નામ હેઠળનો વધારો સ્વીકારવા પણ મન મનાવી લીધું હતું  પરંતુ તેઓ બાંહેધરી પત્રકમાં સહી કરવા તૈયાર નથી.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.