બાહેંધરી પત્રક ભરવાનું દબાણ કરતા પોલીસ કર્મચારીઓમાં રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 12:54:37

પોલીસ કર્મીઓનો ગ્રેડ પે સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. ગુજરાત સરકારે ટૂંક સમય પહેલા જ પોલીસ વિભાગ માટે ભથ્થું વધારી દેવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી  દીધી હતી કે ગ્રેડ-પે તો વધારવામાં જ નહીં આવે. આ વિવાદ શમ્યો નથી ને નવો વિવાદ સર્જાયો જે કર્મચારીઓને બાંહેધરી પત્રક ભરાવાનો હુકુમ કર્યો જેનાથી આગમાં ઘી હોમવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સરકારે પોલીસ કર્મચારીઓને એફિડેવિટમાં સહી કરાવાની જવાબદારી IPS અધિકારીને સોપી છે. 3 દિવસ થઈ ગયા હોવા છતાં પણ 50 ટકા કર્મચારીઓએ સહી ન કરીને વિરોધ નોંધાવ્યો છે. કચ્છમાં તો 90 ટકા પોલીસ કર્મચારીઓએ સહી ન કરીને વિરોધ નોંધાવ્યો છે. પોલીસકર્મીઓનું કહેવું છે કે, સરકાર અમારા કાંડા કાપવા માંગે છે. બાંહેધરી પત્રકમાં જો પોલીસ કર્મીઓ સહી કરી દે તો ભવિષ્યમાં તેઓ પગાર મામલે આંદોલન નહીં કરી શકે.  


ગ્રેડ પે બાદ બાહેંધરી પત્રકથી પોલીસ કર્મચારીઓ ઉકળ્યા?

ગુજરાત પોલીસને ગ્રેડ–પેના બદલે અપાયેલા જાહેર સુરક્ષા પ્રોત્સાહન હેઠળના પગાર વધારા ભથ્થા સામે આમતો મહત્તમ પોલીસ કર્મીઓમાં નારાજગી જેવું છે. સોશિયલ મીડિયામાં તો કયાંક સૌ એકત્રિત થાય ત્યાં મૌખિક ચર્ચા સાથે વિરોધ દેખાઈ રહ્યો છે. આ જાહેર સુરક્ષા પ્રોત્સાહન માટે પણ પોલીસને બાંહેધરી પત્ર આપવાનું જેના કારણે બળતામાં ઘી હોમવાની માફક વધુ ઉકળાટ ઉદભવતો દેખાઈ રહ્યો છે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે છતાં પોલીસ કર્મીઓ દ્વારા એફિડેવિટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે 


રાજ્યભરમાં પોલીસ દ્રારા અગાઉ ગ્રેડ–પે મામલે  વિરોધ નોંધાવ્યો હતો. ઘણી જગ્યાએ જાહેરમાં વિરોધ પ્રદર્શન થતાં કેટલાંક પોલીસ કર્મી પર એકશન પણ લેવાઈ હતી. કયાંક વિરોધ પ્રદર્શનને લઈને ગુનાઓ પણ નોંધાયા હતા. સરકાર દ્રારા પોલીસની માગણી, વિરોધ સમેટવા માટે સરકારે ગત માસે ગ્રેડ–પેના બદલે જાહેર સુરક્ષા પ્રોત્સાહન આપવાની જાહેરાત કરાઈ અને એલઆરડીથી એએસઆઈ સુધીના પગાર વધારે 4500 કે તેથી વધુ રકમ ન અપાય, પોલીસે ડિસીપ્લિન ફોર્સ હોવાથી ગ્રેડ–પેના બદલે આ નવા નામ હેઠળનો વધારો સ્વીકારવા પણ મન મનાવી લીધું હતું  પરંતુ તેઓ બાંહેધરી પત્રકમાં સહી કરવા તૈયાર નથી.



સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.