સરકારી કાર્યક્રમમાં ફાળવવામાં આવતી AMTS બસોનું ભાડું નથી ચૂકવતી સરકાર! સરકારે આટલા કરોડ ચૂકવાના બાકી છે


  • Published By :
  • Published Date : 2023-10-19 10:56:21

જ્યારે પણ કોઈ સરકારી કાર્યક્રમ હોય ત્યારે લોકોને સભા સ્થળ પર લાવવા લઈ જવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સરકારી કાર્યક્રમો માટે એએમટીએસ બસને ફાળવવા માટે વિનંતી કરવામાં આવે છે. સ્પેશિયલ વર્ધી માટે બસ તો લાવવામાં આવે છે પરંતુ જ્યારે બસનું ભાડુ ચૂકવવાની વાત આવે ત્યારે તે પૈસા ચૂકવવામાં આવતા નથી! વિવિધ સરકારી કાર્યક્રમો માટે કુલ 5072 સ્પેશિયલ વર્ધીની બસ લેવામાં આવી હતી જેનો અંદાજ ખર્ચ 3 કરોડ 10 લાખ જેટલું બિલ થાય છે. હવે 3 કરોડ 10 લાખની રકમ હવે એએમસી દ્વારા એએમટીએસને લોન જમા ખર્ચી પેટે આપવામાં આવે તેવી વિનંતી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવશે. 


સામાન્ય માણસોને પડે છે હાલાકી  

જ્યારે કોઈ કાર્યક્રમ હોય ત્યારે એએમટીએસ બસને ફાળવવામાં આવે છે. સ્પેશિયલ બસની ફાળવણી કરવામાં આવતા રેગ્યુલર જે બસ દોડતી હોય છે તેની ફ્રિક્વન્સી ઘટાડવામાં આવતી હોય છે. હાલ એએમટીએસ પાસે 600 બસ છે અને તે પૈકી 40થી 50 ટકા જેટલી બસ ફાળવવામાં આવતી હોવાને કારણે રેગ્યુલર બસની ફ્રિક્વન્સી ઘટતી હોય છે જેને કારણે સામાન્ય માણસને તકલીફ પડતી હોય છે. શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. 2020થી 2022 દરમિયાન એએમટીએસના 1525 બસ ફાળવવામાં આવી હતી. 3 કરોડ 10 લાખ જેટલું બિલ સરકાર દ્વારા ચૂકવવામાં નથી આવ્યું. 


કયા કાર્યક્રમમાં સૌથી વધારે ખર્ચ બસોનો થયો?

સરકારી કાર્યક્રમો માટે ફાળવવામાં આવેલી બસ વર્ધીના નીતિ-નિયમો મુજબ બિલ તૈયાર કરવામાં આવ્યા છે. તારીખ એક એપ્રિલ 2021થી તા.31 માર્ચ 2023 સુધીના સમયગાળામાં રૂપિયા 3,10,45,250ની રકમ એએમસી દ્વારા એએમટીએસને આપેલી લોન પેટે જમા લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે 1 કરોડ 33 લાખ જેટલો ખર્ચ તો સરકારના પાંચ મોટા કાર્યક્રમોમાં થયો છે. આ કાર્યક્રમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યકમ, શ્રી વંદે ગુજરાત વિકાસ યાત્રા, ગૃહમંત્રી દ્વારા કરવામાં આવેલા લોકાર્પણ, મોરેશિયસ પીએમ રોડ શો, તેમજ યુકે, પીએમ રોડ શોમાં વધારે બસો ફાળવવામાં આવી છે અને એ બસોનું ભાડું 1 કરોડ 33 લાખ જેટલું થાય છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.