સરકારી કાર્યક્રમમાં ફાળવવામાં આવતી AMTS બસોનું ભાડું નથી ચૂકવતી સરકાર! સરકારે આટલા કરોડ ચૂકવાના બાકી છે


  • Published By :
  • Published Date : 2023-10-19 10:56:21

જ્યારે પણ કોઈ સરકારી કાર્યક્રમ હોય ત્યારે લોકોને સભા સ્થળ પર લાવવા લઈ જવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સરકારી કાર્યક્રમો માટે એએમટીએસ બસને ફાળવવા માટે વિનંતી કરવામાં આવે છે. સ્પેશિયલ વર્ધી માટે બસ તો લાવવામાં આવે છે પરંતુ જ્યારે બસનું ભાડુ ચૂકવવાની વાત આવે ત્યારે તે પૈસા ચૂકવવામાં આવતા નથી! વિવિધ સરકારી કાર્યક્રમો માટે કુલ 5072 સ્પેશિયલ વર્ધીની બસ લેવામાં આવી હતી જેનો અંદાજ ખર્ચ 3 કરોડ 10 લાખ જેટલું બિલ થાય છે. હવે 3 કરોડ 10 લાખની રકમ હવે એએમસી દ્વારા એએમટીએસને લોન જમા ખર્ચી પેટે આપવામાં આવે તેવી વિનંતી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવશે. 


સામાન્ય માણસોને પડે છે હાલાકી  

જ્યારે કોઈ કાર્યક્રમ હોય ત્યારે એએમટીએસ બસને ફાળવવામાં આવે છે. સ્પેશિયલ બસની ફાળવણી કરવામાં આવતા રેગ્યુલર જે બસ દોડતી હોય છે તેની ફ્રિક્વન્સી ઘટાડવામાં આવતી હોય છે. હાલ એએમટીએસ પાસે 600 બસ છે અને તે પૈકી 40થી 50 ટકા જેટલી બસ ફાળવવામાં આવતી હોવાને કારણે રેગ્યુલર બસની ફ્રિક્વન્સી ઘટતી હોય છે જેને કારણે સામાન્ય માણસને તકલીફ પડતી હોય છે. શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. 2020થી 2022 દરમિયાન એએમટીએસના 1525 બસ ફાળવવામાં આવી હતી. 3 કરોડ 10 લાખ જેટલું બિલ સરકાર દ્વારા ચૂકવવામાં નથી આવ્યું. 


કયા કાર્યક્રમમાં સૌથી વધારે ખર્ચ બસોનો થયો?

સરકારી કાર્યક્રમો માટે ફાળવવામાં આવેલી બસ વર્ધીના નીતિ-નિયમો મુજબ બિલ તૈયાર કરવામાં આવ્યા છે. તારીખ એક એપ્રિલ 2021થી તા.31 માર્ચ 2023 સુધીના સમયગાળામાં રૂપિયા 3,10,45,250ની રકમ એએમસી દ્વારા એએમટીએસને આપેલી લોન પેટે જમા લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે 1 કરોડ 33 લાખ જેટલો ખર્ચ તો સરકારના પાંચ મોટા કાર્યક્રમોમાં થયો છે. આ કાર્યક્રમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યકમ, શ્રી વંદે ગુજરાત વિકાસ યાત્રા, ગૃહમંત્રી દ્વારા કરવામાં આવેલા લોકાર્પણ, મોરેશિયસ પીએમ રોડ શો, તેમજ યુકે, પીએમ રોડ શોમાં વધારે બસો ફાળવવામાં આવી છે અને એ બસોનું ભાડું 1 કરોડ 33 લાખ જેટલું થાય છે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.