સરકારી કાર્યક્રમમાં ફાળવવામાં આવતી AMTS બસોનું ભાડું નથી ચૂકવતી સરકાર! સરકારે આટલા કરોડ ચૂકવાના બાકી છે


  • Published By :
  • Published Date : 2023-10-19 10:56:21

જ્યારે પણ કોઈ સરકારી કાર્યક્રમ હોય ત્યારે લોકોને સભા સ્થળ પર લાવવા લઈ જવા માટે બસોનો ઉપયોગ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સરકારી કાર્યક્રમો માટે એએમટીએસ બસને ફાળવવા માટે વિનંતી કરવામાં આવે છે. સ્પેશિયલ વર્ધી માટે બસ તો લાવવામાં આવે છે પરંતુ જ્યારે બસનું ભાડુ ચૂકવવાની વાત આવે ત્યારે તે પૈસા ચૂકવવામાં આવતા નથી! વિવિધ સરકારી કાર્યક્રમો માટે કુલ 5072 સ્પેશિયલ વર્ધીની બસ લેવામાં આવી હતી જેનો અંદાજ ખર્ચ 3 કરોડ 10 લાખ જેટલું બિલ થાય છે. હવે 3 કરોડ 10 લાખની રકમ હવે એએમસી દ્વારા એએમટીએસને લોન જમા ખર્ચી પેટે આપવામાં આવે તેવી વિનંતી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવશે. 


સામાન્ય માણસોને પડે છે હાલાકી  

જ્યારે કોઈ કાર્યક્રમ હોય ત્યારે એએમટીએસ બસને ફાળવવામાં આવે છે. સ્પેશિયલ બસની ફાળવણી કરવામાં આવતા રેગ્યુલર જે બસ દોડતી હોય છે તેની ફ્રિક્વન્સી ઘટાડવામાં આવતી હોય છે. હાલ એએમટીએસ પાસે 600 બસ છે અને તે પૈકી 40થી 50 ટકા જેટલી બસ ફાળવવામાં આવતી હોવાને કારણે રેગ્યુલર બસની ફ્રિક્વન્સી ઘટતી હોય છે જેને કારણે સામાન્ય માણસને તકલીફ પડતી હોય છે. શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. 2020થી 2022 દરમિયાન એએમટીએસના 1525 બસ ફાળવવામાં આવી હતી. 3 કરોડ 10 લાખ જેટલું બિલ સરકાર દ્વારા ચૂકવવામાં નથી આવ્યું. 


કયા કાર્યક્રમમાં સૌથી વધારે ખર્ચ બસોનો થયો?

સરકારી કાર્યક્રમો માટે ફાળવવામાં આવેલી બસ વર્ધીના નીતિ-નિયમો મુજબ બિલ તૈયાર કરવામાં આવ્યા છે. તારીખ એક એપ્રિલ 2021થી તા.31 માર્ચ 2023 સુધીના સમયગાળામાં રૂપિયા 3,10,45,250ની રકમ એએમસી દ્વારા એએમટીએસને આપેલી લોન પેટે જમા લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે 1 કરોડ 33 લાખ જેટલો ખર્ચ તો સરકારના પાંચ મોટા કાર્યક્રમોમાં થયો છે. આ કાર્યક્રમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યકમ, શ્રી વંદે ગુજરાત વિકાસ યાત્રા, ગૃહમંત્રી દ્વારા કરવામાં આવેલા લોકાર્પણ, મોરેશિયસ પીએમ રોડ શો, તેમજ યુકે, પીએમ રોડ શોમાં વધારે બસો ફાળવવામાં આવી છે અને એ બસોનું ભાડું 1 કરોડ 33 લાખ જેટલું થાય છે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.