અધિકારીઓ ચૂંટાયેલા લોકપ્રતિનિધીઓની વાત ન સાંભળતા હોવાની ફરિયાદો મળતા સરકારે લેવો પડ્યો આ નિર્ણય, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-08-23 14:32:24

ભાજપના ધારાસભ્ય અનેક વખત ફરિયાદ કરતા સંભળાય છે કે અધિકારીઓ તેમના ફોન નથી ઉપાડતા. ચૂંટાયેલા ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં પડતી મુશ્કેલી અંગે અથવા તો કોઈ કોઈ કામથી અધિકારીઓનો સંપર્ક કરવો હોય તો અધિકારીઓ તેમનો ફોન રિસીવ નથી કરતા. જેને કારણે જનપ્રતિનિધિઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અવારનવાર આવી ફરિયાદો મળી આવતા આ અંગે રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે. તે પરિપત્રમાં અધિકારીઓને સાંસદ તેમજ ધારાસભ્યના ફોનને ઉપાડવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન નંબર સેવ રાખવા અને તેમનો ફોન આવે તો તેનો ઉત્તર આપવો તેમજ જો મિસકોલ થઈ જાય તો સામે પ્રતિઉત્તર આપવા આદેશ કરવામાં આવ્યો છે. 

ભાજપના જ ધારાસભ્યો પણ આ અંગે કરે છે ફરિયાદ 

લોકોની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે અનેક વખત ધારાસભ્યો કામ કરાવા માટે અધિકારીઓનો સંપર્ક કરતા હોય છે. વિધાનસભામાં પણ આ મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. આપણને એવું લાગતું હોય કે ભાજપના સાંસદો, ધારાસભ્યને આવી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નહીં હોય. પરંતુ ના, આવી સમસ્યાનો સામનો તો ભાજપના ધારાસભ્યો, સાંસદોને પણ કરવો પડી રહ્યો છે. ચૂંટાયેલા જનપ્રતિનિધો આ અંગેની ફરિયાદ કરી રહ્યા છે. આ લિસ્ટમાં ભાજપના ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. જ્યારે ધારાસભ્યો, લોકપ્રતિનિધિઓ પોતાને પડતી મુશ્કેલી અંગે અધિકારીને રજૂઆત કરવા ફોન કરે ત્યારે તેમનો ફોન અધિકારીઓ નથી ઉપાડતા. ત્યારે આ વાતને લઈ ફરી એક વખત સરકાર દ્વારા પરિપત્ર  બહાર પાડવામાં આવ્યો છે જેમાં આદેશ કરવામાં આવ્યો છે કે અધિકારીઓએ લોકપ્રતિનિધિઓના નંબર સેવ કરવા પડશે. 


અધિકારીઓએ લોકપ્રતિનિધિઓનો નંબર કરવો પડશે સેવ 

જ્યારે સરકારી અધિકારીને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓનો સંપર્ક કરવા લેન્ડલાઈન નંબર પર ફોન કરે છે ત્યારે અનેક વખત એવું બનતું હોય છે કામને કારણે તેઓ પોતાની કચેરીમાં હાજર નથી હોતા. ઓફિસમાં ન હોવાને કારણે જ્યારે અધિકારી પોતાની ઓફિસે પહોંચે છે તે તો તેમની રજૂઆત અથવા તો ફોન આવ્યો છે તેની માહિતી અધિકારી સુધી નથી પહોંચતી. ત્યારે સરકારે આદેશ કર્યો છે કે સાંસદો, ધારાસભ્ય, જિલ્લા તેમજ  તુાલકા પંચાયતના પ્રમુખોનો તેમજ મેયર સહિતના પ્રતિનિધિઓના નંબર સેવ રાખવા પડશે. જો સંગોજોવસાત ફોન નથી ઉપાડાઈ શકાતો તો કોલ બેક કરીને પણ સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. જો અધિકારી હાજર નથી તો પણ તેમની નીચે રહેલા અધિકારીઓએ ફોન અંગે નોંધ લેવી પડશે અને અધિકારીને માહિતગાર કરવા પડશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.