અધિકારીઓ ચૂંટાયેલા લોકપ્રતિનિધીઓની વાત ન સાંભળતા હોવાની ફરિયાદો મળતા સરકારે લેવો પડ્યો આ નિર્ણય, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-08-23 14:32:24

ભાજપના ધારાસભ્ય અનેક વખત ફરિયાદ કરતા સંભળાય છે કે અધિકારીઓ તેમના ફોન નથી ઉપાડતા. ચૂંટાયેલા ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં પડતી મુશ્કેલી અંગે અથવા તો કોઈ કોઈ કામથી અધિકારીઓનો સંપર્ક કરવો હોય તો અધિકારીઓ તેમનો ફોન રિસીવ નથી કરતા. જેને કારણે જનપ્રતિનિધિઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અવારનવાર આવી ફરિયાદો મળી આવતા આ અંગે રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે. તે પરિપત્રમાં અધિકારીઓને સાંસદ તેમજ ધારાસભ્યના ફોનને ઉપાડવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન નંબર સેવ રાખવા અને તેમનો ફોન આવે તો તેનો ઉત્તર આપવો તેમજ જો મિસકોલ થઈ જાય તો સામે પ્રતિઉત્તર આપવા આદેશ કરવામાં આવ્યો છે. 

ભાજપના જ ધારાસભ્યો પણ આ અંગે કરે છે ફરિયાદ 

લોકોની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે અનેક વખત ધારાસભ્યો કામ કરાવા માટે અધિકારીઓનો સંપર્ક કરતા હોય છે. વિધાનસભામાં પણ આ મુદ્દો અનેક વખત ઉઠ્યો છે. આપણને એવું લાગતું હોય કે ભાજપના સાંસદો, ધારાસભ્યને આવી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નહીં હોય. પરંતુ ના, આવી સમસ્યાનો સામનો તો ભાજપના ધારાસભ્યો, સાંસદોને પણ કરવો પડી રહ્યો છે. ચૂંટાયેલા જનપ્રતિનિધો આ અંગેની ફરિયાદ કરી રહ્યા છે. આ લિસ્ટમાં ભાજપના ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. જ્યારે ધારાસભ્યો, લોકપ્રતિનિધિઓ પોતાને પડતી મુશ્કેલી અંગે અધિકારીને રજૂઆત કરવા ફોન કરે ત્યારે તેમનો ફોન અધિકારીઓ નથી ઉપાડતા. ત્યારે આ વાતને લઈ ફરી એક વખત સરકાર દ્વારા પરિપત્ર  બહાર પાડવામાં આવ્યો છે જેમાં આદેશ કરવામાં આવ્યો છે કે અધિકારીઓએ લોકપ્રતિનિધિઓના નંબર સેવ કરવા પડશે. 


અધિકારીઓએ લોકપ્રતિનિધિઓનો નંબર કરવો પડશે સેવ 

જ્યારે સરકારી અધિકારીને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓનો સંપર્ક કરવા લેન્ડલાઈન નંબર પર ફોન કરે છે ત્યારે અનેક વખત એવું બનતું હોય છે કામને કારણે તેઓ પોતાની કચેરીમાં હાજર નથી હોતા. ઓફિસમાં ન હોવાને કારણે જ્યારે અધિકારી પોતાની ઓફિસે પહોંચે છે તે તો તેમની રજૂઆત અથવા તો ફોન આવ્યો છે તેની માહિતી અધિકારી સુધી નથી પહોંચતી. ત્યારે સરકારે આદેશ કર્યો છે કે સાંસદો, ધારાસભ્ય, જિલ્લા તેમજ  તુાલકા પંચાયતના પ્રમુખોનો તેમજ મેયર સહિતના પ્રતિનિધિઓના નંબર સેવ રાખવા પડશે. જો સંગોજોવસાત ફોન નથી ઉપાડાઈ શકાતો તો કોલ બેક કરીને પણ સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. જો અધિકારી હાજર નથી તો પણ તેમની નીચે રહેલા અધિકારીઓએ ફોન અંગે નોંધ લેવી પડશે અને અધિકારીને માહિતગાર કરવા પડશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી