Gyan sahayak મુદ્દે સરકાર મક્કમ! અરજી કંફર્મેશન માટે સરકારે વધાર્યો સમય, જાણો કઈ તારીખ સુધી વધારાઈ મુદ્દત?


  • Published By :
  • Published Date : 2023-10-10 13:18:31

ગુજરાતમાં ભાવિ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આંદોલનો કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે તે માટે અલગ અલગ રીતે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારોને રાજકીય પાર્ટીઓનું સમર્થન પણ મળી રહ્યું છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસ શિક્ષણ બચાવ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં જ્ઞાનસહાયકનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે સરકારે ડેડલાઈનમાં વધારો કર્યો છે. ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય અપાયો હોવાનું સામે આવ્યું છે. હવે 12 ઓક્ટોબર રાત્રે 12 વાગ્યા સુધી ઉમેદવારો કન્ફર્મેશન આપી શક્શે. 


12 ઓક્ટોબર સુધી ઉમેદવારો આપી શક્શે કન્ફર્મેશન 

કાયમી ભરતીની માગ સાથે ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. અનેક વખત અને અલગ અલગ રીતે પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના દ્વારા કરવામાં આવતા પ્રયાસ નિષ્ફળ નીવડ્યા છે. ઉમેદવારોને એવું લાગી રહ્યું હતું કે વધતા વિરોધને જોતા સરકાર કદાચ જ્ઞાનસહાયક યોજનાને રદ્દ કરી દેશે પરંતુ સરકાર પોતાની વાત પર મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારોના વિરોધ વચ્ચે હવે સરકાર પણ મક્કમ બની છે. જેને લઈ હવે ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય અપાયો હોવાનું સામે આવ્યું છે. હવે 12 ઓક્ટોબર રાત્રે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શક્શે. 


રાજકીય પાર્ટીઓ આવી છે ઉમેદવારોના સમર્થનમાં 

મહત્વનું છે કે થોડા સમય પહેલા કોંગ્રેસે શિક્ષણ બચાવ ધરણા કર્યા હતા. જ્ઞાનસહાયકનો વિરોધ કરવા કોંગ્રેસના નેતા તેમજ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ ઉમેદવારોની વ્હારે આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉમેદવારો પણ ત્યાં હાજર હતા અને ઉમેદવારો પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા હતા. વિપક્ષને ઉમેદવારોનું સમર્થન મળ્યું હતું જેને કારણે લાગતું હતું કે કદાચ સરકાર દ્વારા આ નિર્ણય પાછો લેવામાં આવે પરંતુ સરકાર પોતાના નિર્ણય પર મક્કમ હોય તેવું લાગી રહ્યું છે.  જેને લઈ હવે ઉમેદવારોને અરજી કન્ફર્મેશન માટે વધુ સમય અપાયો હોવાનું સામે આવ્યું છે. હવે  12 ઓક્ટોબર રાતે 12 વાગ્યા સુધી કન્ફર્મેશન આપી શકાશે  અગાઉ ઘણા ઉમેદવારોની અરજી કન્ફર્મ ન થઈ હોવાની ફરીયાદો મળી હતી. જેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આની પહેલા પણ ડેડલાઈન લંબાવાઈ છે 

આ પહેલી વાર એવું નથી બની રહ્યું કે જ્ઞાનસહાયક માટે ડેટ વધારવામાં આવી હોય આની પહેલા પણ ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે.   પ્રાથમિક વિભાગ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે 11 સપ્ટેમ્બર હતી. જોકે, મુદ્દત પૂર્ણ થવાના દિવસે જ સરકારે તારીખ લંબાવી હતી તો હવે સરકાર અને ઉમેદવારોની આ લડાઈ કયા પહોંચે છે એ જોવાનું રહ્યું! 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.