ગુજરાતની સરકાર વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા ચાલે છે - પી. ચિદમ્બરમ


  • Published By :
  • Published Date : 2022-11-08 15:35:59

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ વાતને સત્તા પક્ષ ભલે ભૂલી ગયા હોય પરંતુ વિપક્ષ આ વાતને ભૂલી નથી. ગુજરાતના પ્રવાસે આવેલા ચિદમ્બરમે આ વાતનો ઉલ્લેખ કરી ભાજપ પર પ્રહાર કર્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે કહ્યું કે મોરબી બ્રિજ પડવાની ઘટનાએ ગુજરાતના નામને શર્મસાર કર્યું છે. દુ:ખદ વાત એ છે કે પુલ દુર્ઘટના માટે સરકાર તરફથી અત્યાર સુધી કોઈએ માફી પણ માગી નથી.

  

મોરબી હોનારતને લઈ કર્યા પ્રહાર

ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરેક પાર્ટીના નેતાઓ ગુજરાત આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા પી.ચિદમ્બરમે ભાજપને આડેહાથ લીધી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે સરકાર તરફથી મોરબીમાં બનેલી દુર્ઘટના અંગે માફી નથી માગવામાં આવી. ઉપરાંત પોતાની જવાબદારી સમજી કોઈએ રાજીનામું પણ નથી આપ્યું. 

Amit Shah to flag off 'Modi Van' today | Latest News India - Hindustan Times

ગુજરાતની સરકાર દિલ્હીથી ચાલે છે - ચિદમ્બરમ

વર્ષના અંતમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે ઘણા સમય પહેલા હિમાચલ પ્રદેશ માટે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી હતી. પરંતુ ગુજરાત માટે તારીખ જાહેર નહોતી કરી. જેની પર ચિદમ્બરે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતની તારીખો એટલા માટે જાહેર ન થઈ કારણ કે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમો બાકી હતા. પી. ચિદમ્બરે કહ્યું કે ગુજરાત સરકાર મુખ્યમંત્રી દ્વારા નથી ચાલતી. ગુજરાતની સરકાર વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા ચાલે છે.      

મોંઘવારી સતત વધી રહી છે 

નેતા હોવાની સાથે સાથે પી. ચિદમ્બર એક અર્થશાસ્ત્રી છે. ગુજરાત પર દેવાની વાત કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં વર્ષ 2020-21માં દેવું 298810 કરોડ છે અને આરબીઆઈ મુજબ આ આંકડો 402785 કરોડ છે. મોંઘવારી વધી રહી છે. મોંઘવારીની સાથે સાથે બેરોજગારી દર પણ વધી રહ્યો છે. ગુજરાતમાં 20-24 વર્ષના યુવકોમાં બેરોજગારી દર 12.49 ટકા છે. જ્યાં સુધી સરકાર પર ખતરો નહીં હોય ત્યાં સુધી તે જનતા પ્રત્યે પોતાની જવાબદારી નહીં સમજે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.