ગુજરાતની સરકાર વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા ચાલે છે - પી. ચિદમ્બરમ


  • Published By :
  • Published Date : 2022-11-08 15:35:59

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ વાતને સત્તા પક્ષ ભલે ભૂલી ગયા હોય પરંતુ વિપક્ષ આ વાતને ભૂલી નથી. ગુજરાતના પ્રવાસે આવેલા ચિદમ્બરમે આ વાતનો ઉલ્લેખ કરી ભાજપ પર પ્રહાર કર્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરી તેમણે કહ્યું કે મોરબી બ્રિજ પડવાની ઘટનાએ ગુજરાતના નામને શર્મસાર કર્યું છે. દુ:ખદ વાત એ છે કે પુલ દુર્ઘટના માટે સરકાર તરફથી અત્યાર સુધી કોઈએ માફી પણ માગી નથી.

  

મોરબી હોનારતને લઈ કર્યા પ્રહાર

ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. દરેક પાર્ટીના નેતાઓ ગુજરાત આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા પી.ચિદમ્બરમે ભાજપને આડેહાથ લીધી હતી. પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે સરકાર તરફથી મોરબીમાં બનેલી દુર્ઘટના અંગે માફી નથી માગવામાં આવી. ઉપરાંત પોતાની જવાબદારી સમજી કોઈએ રાજીનામું પણ નથી આપ્યું. 

Amit Shah to flag off 'Modi Van' today | Latest News India - Hindustan Times

ગુજરાતની સરકાર દિલ્હીથી ચાલે છે - ચિદમ્બરમ

વર્ષના અંતમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે ઘણા સમય પહેલા હિમાચલ પ્રદેશ માટે ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી હતી. પરંતુ ગુજરાત માટે તારીખ જાહેર નહોતી કરી. જેની પર ચિદમ્બરે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતની તારીખો એટલા માટે જાહેર ન થઈ કારણ કે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમો બાકી હતા. પી. ચિદમ્બરે કહ્યું કે ગુજરાત સરકાર મુખ્યમંત્રી દ્વારા નથી ચાલતી. ગુજરાતની સરકાર વડાપ્રધાન મોદી અને અમિત શાહ દ્વારા ચાલે છે.      

મોંઘવારી સતત વધી રહી છે 

નેતા હોવાની સાથે સાથે પી. ચિદમ્બર એક અર્થશાસ્ત્રી છે. ગુજરાત પર દેવાની વાત કરતા તેમણે કહ્યું કે ગુજરાતમાં વર્ષ 2020-21માં દેવું 298810 કરોડ છે અને આરબીઆઈ મુજબ આ આંકડો 402785 કરોડ છે. મોંઘવારી વધી રહી છે. મોંઘવારીની સાથે સાથે બેરોજગારી દર પણ વધી રહ્યો છે. ગુજરાતમાં 20-24 વર્ષના યુવકોમાં બેરોજગારી દર 12.49 ટકા છે. જ્યાં સુધી સરકાર પર ખતરો નહીં હોય ત્યાં સુધી તે જનતા પ્રત્યે પોતાની જવાબદારી નહીં સમજે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.