મોરબી પુલ જેવી દુર્ઘટના ક્યાંય ન સર્જાય તે માટે સરકારે લીધો નિર્ણય, હોનારત બાદ સરકાર એકાએક જાગી


  • Published By :
  • Published Date : 2023-01-19 16:27:29

દિવાળી સમયે મોરબીમાં પુલ તૂટવાની હોનારત સર્જાઈ હતી. જેમાં અંદાજે 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ હોનારતને અનેક મહિના વિતી ગયા છે જે બાદ સરકારે નિર્ણય કર્યો છે. કોર્ટે  આપેલા નિર્દેશોનું પાલન કરવાની શરૂઆત કરી દીધી છે. પુલોના ઈન્સ્પેક્શનની સરકારે કામગીરી હાથ ધરી છે જે અંતર્ગત ક્ષતિગ્રસ્ત પુલોને બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. 

મોરબી પુલ દુર્ઘટના : 'લોકોના જીવ ગયા છે, તેની પર રાજકારણ અપમાનજનક છે ' -  રાહુલ ગાંધી - BBC ગુજરાતી


તહેવારની ઉજવણી ફેરવાઈ હતી માતમમાં 

રાજાશાહી વર્ષો પહેલા બનેલો ઝુલતો પુલ રિનોવેશન કર્યા બાદ તૂટી પડ્યો હતો. આ હોનારતને કારણે 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના બાદ લોકોમાં ઘણો રોષ જોવા મળ્યો હતો. આ દુર્ઘટના બાદ સરકારની અનેક ટીકાઓ થઈ હતી. દિવાળીના તહેવાર દરમિયાન હોનારત બની હતી જેને કારણે અનેક પરિવારમાં તહેવારની ઉજવણી માતમમાં બદલાઈ ગઈ હતી.  


રાજ્યોમાં પુલોનું કરાશે ઈન્સ્પેક્શન 

હાઈકોર્ટની ટકોર બાદ હોનારત થયાના આટલા મહિના બાદ એક્શન મોડમાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં પુલોનો ઈન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. વધુ રિપેરિંગ માગતા પુલ તેમજ ક્ષતિગ્રસ્ત થયેલા પુલોને બંધ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત જે પુલને રિપેરિંગની જરૂરત છે તે પુલોનું રિનોવેશન તાત્કાલિક કરવા આદેશ આપવામાં આવશે.                



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .