મોરબી પુલ જેવી દુર્ઘટના ક્યાંય ન સર્જાય તે માટે સરકારે લીધો નિર્ણય, હોનારત બાદ સરકાર એકાએક જાગી


  • Published By :
  • Published Date : 2023-01-19 16:27:29

દિવાળી સમયે મોરબીમાં પુલ તૂટવાની હોનારત સર્જાઈ હતી. જેમાં અંદાજે 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ હોનારતને અનેક મહિના વિતી ગયા છે જે બાદ સરકારે નિર્ણય કર્યો છે. કોર્ટે  આપેલા નિર્દેશોનું પાલન કરવાની શરૂઆત કરી દીધી છે. પુલોના ઈન્સ્પેક્શનની સરકારે કામગીરી હાથ ધરી છે જે અંતર્ગત ક્ષતિગ્રસ્ત પુલોને બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. 

મોરબી પુલ દુર્ઘટના : 'લોકોના જીવ ગયા છે, તેની પર રાજકારણ અપમાનજનક છે ' -  રાહુલ ગાંધી - BBC ગુજરાતી


તહેવારની ઉજવણી ફેરવાઈ હતી માતમમાં 

રાજાશાહી વર્ષો પહેલા બનેલો ઝુલતો પુલ રિનોવેશન કર્યા બાદ તૂટી પડ્યો હતો. આ હોનારતને કારણે 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના બાદ લોકોમાં ઘણો રોષ જોવા મળ્યો હતો. આ દુર્ઘટના બાદ સરકારની અનેક ટીકાઓ થઈ હતી. દિવાળીના તહેવાર દરમિયાન હોનારત બની હતી જેને કારણે અનેક પરિવારમાં તહેવારની ઉજવણી માતમમાં બદલાઈ ગઈ હતી.  


રાજ્યોમાં પુલોનું કરાશે ઈન્સ્પેક્શન 

હાઈકોર્ટની ટકોર બાદ હોનારત થયાના આટલા મહિના બાદ એક્શન મોડમાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં પુલોનો ઈન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. વધુ રિપેરિંગ માગતા પુલ તેમજ ક્ષતિગ્રસ્ત થયેલા પુલોને બંધ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત જે પુલને રિપેરિંગની જરૂરત છે તે પુલોનું રિનોવેશન તાત્કાલિક કરવા આદેશ આપવામાં આવશે.                



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.