મોરબી પુલ જેવી દુર્ઘટના ક્યાંય ન સર્જાય તે માટે સરકારે લીધો નિર્ણય, હોનારત બાદ સરકાર એકાએક જાગી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-19 16:27:29

દિવાળી સમયે મોરબીમાં પુલ તૂટવાની હોનારત સર્જાઈ હતી. જેમાં અંદાજે 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ હોનારતને અનેક મહિના વિતી ગયા છે જે બાદ સરકારે નિર્ણય કર્યો છે. કોર્ટે  આપેલા નિર્દેશોનું પાલન કરવાની શરૂઆત કરી દીધી છે. પુલોના ઈન્સ્પેક્શનની સરકારે કામગીરી હાથ ધરી છે જે અંતર્ગત ક્ષતિગ્રસ્ત પુલોને બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. 

મોરબી પુલ દુર્ઘટના : 'લોકોના જીવ ગયા છે, તેની પર રાજકારણ અપમાનજનક છે ' -  રાહુલ ગાંધી - BBC ગુજરાતી


તહેવારની ઉજવણી ફેરવાઈ હતી માતમમાં 

રાજાશાહી વર્ષો પહેલા બનેલો ઝુલતો પુલ રિનોવેશન કર્યા બાદ તૂટી પડ્યો હતો. આ હોનારતને કારણે 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના બાદ લોકોમાં ઘણો રોષ જોવા મળ્યો હતો. આ દુર્ઘટના બાદ સરકારની અનેક ટીકાઓ થઈ હતી. દિવાળીના તહેવાર દરમિયાન હોનારત બની હતી જેને કારણે અનેક પરિવારમાં તહેવારની ઉજવણી માતમમાં બદલાઈ ગઈ હતી.  


રાજ્યોમાં પુલોનું કરાશે ઈન્સ્પેક્શન 

હાઈકોર્ટની ટકોર બાદ હોનારત થયાના આટલા મહિના બાદ એક્શન મોડમાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં પુલોનો ઈન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. વધુ રિપેરિંગ માગતા પુલ તેમજ ક્ષતિગ્રસ્ત થયેલા પુલોને બંધ કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત જે પુલને રિપેરિંગની જરૂરત છે તે પુલોનું રિનોવેશન તાત્કાલિક કરવા આદેશ આપવામાં આવશે.                



બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.