TET-TAT પાસ ઉમેદવારોના આંદોલન બાદ સરકારે લીધો આ નિર્ણય, રાજ્ય સરકાર 17200 શિક્ષકોની ભરતી સાથે કુલ 24,700 શિક્ષકોની ભરતી કરશે...


  • Published By :
  • Published Date : 2024-07-03 17:42:52

રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટાટ-ટેટ પાસ ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને પગલે 18 અને 19 જૂન, 2024ના રોજ ગાંધીનગરમાં આક્રમક બની ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. આ આંદોલનના 24 જ કલાકમાં રાજ્ય સરકારે 7500 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આજે વધુ 17200 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. 

24,700 જેટલી ભરતી કરવામાં આવશે 

આંદોલનના 15 દિવસમાં શિક્ષકોની ભરતીનો બીજો નિર્ણય કરવામાં આવ્ છે... રાજ્ય સરકાર 17200 શિક્ષકોની વધારાની ભરતી કરવામાં આવશે. 2011થી 2023 સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષા માન્ય ગણાશે... આજે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આમ બન્ને નિર્ણય મળી 24700 શિક્ષકોની ભરતી થશે. રાજ્યમાં હાલ 42759 જગ્યા ખાલી છે જેમાં 24700 જગ્યા ભરી રહ્યા છે. જેથી 18059 જગ્યા હજુ પણ ખાલી રહેશે..... પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ એમાં વધારો કરીને વધુ 17200 શિક્ષકોની ભરતી કરાશે. આમ કુલ મળી 24700 નવીન શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે સમય પત્રક બનાવ્યું છે. 



ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કર્યું હતું આંદોલન

ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાના બદલે સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં રાજ્યમાં ટેટ પાસ 2.65 લાખ અને ટાટ પાસ 1.18 લાખ ઉમેદવારો બેકાર બેઠાં છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યાં હોવા છતાં સરકાર તેમની માગણીઓને સ્વીકારતી નથી..... 


વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ કબૂલ્યું હતું કે.. 

ગત માર્ચમાં ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડિંડોરે વિધાનસભા ગૃહમાં કબૂલ્યું હતું કે, રાજ્યમાં ટેટ-1 પાસ 39,395 એને ટેટ-2 પાસ 2,35, 956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75,328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પસાર કરી છે. વર્ષ 2011થી લઈને 2023 સુધીમાં સરકારે 50,912 ટેટ-ટાટ પાસ વિદ્યાસહાયકો અને 12710 જ્ઞાન સહાયકો મળીને કુલ 63622 ટેટ-ટાટ ઉમેદવારોની ભરતી કરી છે.



ક્યારે કેટલા શિક્ષકોની થઈ ભરતી?  

વર્ષ 2019માં તત્કાલીન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 5300 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. જેમાંથી 2022માં તત્કાલીન શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ 2650ને નિમણૂંક પત્રો આપ્યા હતા. આમ 2650ની ભરતી બાકી રહી હતી. જ્યારે 31-10-2023ના રોજ અંદાજે 7500 શિક્ષકો નિવૃત્ત થયા હતા. ત્યાર બાદ 31-5-2024ના રોજ 10,000 શિક્ષક નિવૃત્ત થયા હતા. આમ કૂલ 17500 શિક્ષકો તો નિવૃત્ત થયા છે. જેની સામે માત્ર 2650ને જ નિમણૂંક પત્ર આપવામાં આવ્યા હતા. આમ નિવૃત્ત થયેલા 17,500 શિક્ષકમાંથી માત્ર 2650 જ જગ્યા ભરવામાં આવી જ્યારે 14850 ખાલી જગ્યા સામે માત્ર 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, અને તે ભરતી થયા બાદ 7350 જગ્યા તો છેલ્લા 8 મહિનામાં નિવૃત્ત થયેલા શિક્ષકોની જ છે.


આ જગ્યાઓ માટે મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે..!

જાહેરાત માત્ર જાહેરાત ન રહે અને ઓફિશિયલ માધ્યમોમાં જાહેરાત પણ કરવાની હવે માંગ છે... સાથે સાથે જે અત્યાર સુધીમાં કમ્પ્યુટર શિક્ષકો વ્યાયામ શિક્ષકો, સંગીત અને ચિત્રના શિક્ષકોની જગ્યા પણ મોટાપ્રમાણમાં ખાલી છે.. એ પણ સમયસર જાહેર કરવામાં આવે... સાથે બદલીના નિયમો હળવા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.