ગુજરાતી ભાષાને બચાવવા સરકારનો પ્રયાસ, ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ભણાવવાનું કરાયું ફરજિયાત


  • Published By :
  • Published Date : 2023-02-22 16:37:15

ગુજરાતની શાળાઓમાં ફરજિયાત પણે ગુજરાતી ભાષા ભણાવામાં આવશે તે અંગેનું બિલ વિધાનસભામાં રજૂ થવાનું છે. ધોરણ 1 થી ધોરણ 8 સુધીના ધોરણોમાં ફરજિયાત પણે ગુજરાતી ભાષા ભણાવવામાં આવશે. જે શાળા ગુજરાતી ભાષા નથી ભણાવતી તેને દંડ ફટકારવામાં આવશે. ગુજરાતી ભાષાને બચાવવા માટે લાંબા સમયથી માગ કરવામાં આવી હતી. 

gujarat Vidhansabha


ફરજિયાત પણે શાળામાં ભણાવવી પડશે ગુજરાતી ભાષા 

દરેક રાજ્યની પોતાની અલગ અલગ બોલી તેમજ ભાષા હોય છે. તેમની માતૃભાષા તેમની ઓળખ હોય છે. ત્યારે ગુજરાતની ભાષા ગુજરાતી છે. પરંતુ અનેક લોકોને ગુજરાતી બોલવામાં અને વાંચવામાં તકલીફ પડતી હોય છે. ત્યારે ગુજરાત સરકાર આવનાર દિવસમાં એક બિલ લાવવા જઈ રહી છે જેમાં ધોરણ 1થી ધો. 8માં ફરજિયાત ગુજરાતી ભણાવવું પડશે. અને જે શાળા ગુજરાતી ભાષા નથી ભણાવવતી તેને દંડ ફટકારવામાં આવશે. 28 ફેબ્રુઆરીએ ગુજરાત સરકાર આ અંગેનું બિલ વિધાનસભામાં રજૂ કરશે. આ નિયમમાં રાજ્યની તમામ શાળાઓ ઉપરાંત સીબીએસસી અને ઈન્ટરનેશનલ શાળાઓને પણ આવરી લેવામાં આવી છે.  


28 ફેબ્રુઆરીના રોજ બિલ રજૂ કરાશે 

રાજ્ય સરકારના પ્રવક્તા અને સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે 28 તારીખે અભ્યાસમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ લાવવામાં આવશે. આગામી દિવસોમાં ધો. 1-8મા ગુજરાતી ભાષા ફરજીયાત કરાશે. બધા જ કોર્સ ગુજરાતમાં જે ચાલે છે તે તમામને આવરી લેવામાં આવશે. જે ગુજરાતી ભાષા નથી ભણાવતી એમને બે વાર દંડ કરીને સજા કરાશે. ગુજરાત ભાષા ફરજિયાત ધોરણ 1થી ધોરણ 8 માટેનું બિલ આવશે.


વિધાનસભામાં ત્રણ બિલ કરાશે રજૂ 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા ફરજિયાત કરવા સંદર્ભે બિલ લાવી રહ્યા છીએ. ધોરણ 1થી 8માં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવા સંદર્ભે બિલ લાવવામાં આવશે. તે સિવાય પેપર લીક તથા ઈમ્પેક્ટ ફી અંગે બિલ લાવવામાં આવશે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.