ગુજરાતી ભાષાને બચાવવા સરકારનો પ્રયાસ, ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ભણાવવાનું કરાયું ફરજિયાત


  • Published By :
  • Published Date : 2023-02-22 16:37:15

ગુજરાતની શાળાઓમાં ફરજિયાત પણે ગુજરાતી ભાષા ભણાવામાં આવશે તે અંગેનું બિલ વિધાનસભામાં રજૂ થવાનું છે. ધોરણ 1 થી ધોરણ 8 સુધીના ધોરણોમાં ફરજિયાત પણે ગુજરાતી ભાષા ભણાવવામાં આવશે. જે શાળા ગુજરાતી ભાષા નથી ભણાવતી તેને દંડ ફટકારવામાં આવશે. ગુજરાતી ભાષાને બચાવવા માટે લાંબા સમયથી માગ કરવામાં આવી હતી. 

gujarat Vidhansabha


ફરજિયાત પણે શાળામાં ભણાવવી પડશે ગુજરાતી ભાષા 

દરેક રાજ્યની પોતાની અલગ અલગ બોલી તેમજ ભાષા હોય છે. તેમની માતૃભાષા તેમની ઓળખ હોય છે. ત્યારે ગુજરાતની ભાષા ગુજરાતી છે. પરંતુ અનેક લોકોને ગુજરાતી બોલવામાં અને વાંચવામાં તકલીફ પડતી હોય છે. ત્યારે ગુજરાત સરકાર આવનાર દિવસમાં એક બિલ લાવવા જઈ રહી છે જેમાં ધોરણ 1થી ધો. 8માં ફરજિયાત ગુજરાતી ભણાવવું પડશે. અને જે શાળા ગુજરાતી ભાષા નથી ભણાવવતી તેને દંડ ફટકારવામાં આવશે. 28 ફેબ્રુઆરીએ ગુજરાત સરકાર આ અંગેનું બિલ વિધાનસભામાં રજૂ કરશે. આ નિયમમાં રાજ્યની તમામ શાળાઓ ઉપરાંત સીબીએસસી અને ઈન્ટરનેશનલ શાળાઓને પણ આવરી લેવામાં આવી છે.  


28 ફેબ્રુઆરીના રોજ બિલ રજૂ કરાશે 

રાજ્ય સરકારના પ્રવક્તા અને સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે 28 તારીખે અભ્યાસમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ લાવવામાં આવશે. આગામી દિવસોમાં ધો. 1-8મા ગુજરાતી ભાષા ફરજીયાત કરાશે. બધા જ કોર્સ ગુજરાતમાં જે ચાલે છે તે તમામને આવરી લેવામાં આવશે. જે ગુજરાતી ભાષા નથી ભણાવતી એમને બે વાર દંડ કરીને સજા કરાશે. ગુજરાત ભાષા ફરજિયાત ધોરણ 1થી ધોરણ 8 માટેનું બિલ આવશે.


વિધાનસભામાં ત્રણ બિલ કરાશે રજૂ 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા ફરજિયાત કરવા સંદર્ભે બિલ લાવી રહ્યા છીએ. ધોરણ 1થી 8માં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવા સંદર્ભે બિલ લાવવામાં આવશે. તે સિવાય પેપર લીક તથા ઈમ્પેક્ટ ફી અંગે બિલ લાવવામાં આવશે. 




અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "