ગુજરાતી ભાષાને બચાવવા સરકારનો પ્રયાસ, ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ભણાવવાનું કરાયું ફરજિયાત


  • Published By :
  • Published Date : 2023-02-22 16:37:15

ગુજરાતની શાળાઓમાં ફરજિયાત પણે ગુજરાતી ભાષા ભણાવામાં આવશે તે અંગેનું બિલ વિધાનસભામાં રજૂ થવાનું છે. ધોરણ 1 થી ધોરણ 8 સુધીના ધોરણોમાં ફરજિયાત પણે ગુજરાતી ભાષા ભણાવવામાં આવશે. જે શાળા ગુજરાતી ભાષા નથી ભણાવતી તેને દંડ ફટકારવામાં આવશે. ગુજરાતી ભાષાને બચાવવા માટે લાંબા સમયથી માગ કરવામાં આવી હતી. 

gujarat Vidhansabha


ફરજિયાત પણે શાળામાં ભણાવવી પડશે ગુજરાતી ભાષા 

દરેક રાજ્યની પોતાની અલગ અલગ બોલી તેમજ ભાષા હોય છે. તેમની માતૃભાષા તેમની ઓળખ હોય છે. ત્યારે ગુજરાતની ભાષા ગુજરાતી છે. પરંતુ અનેક લોકોને ગુજરાતી બોલવામાં અને વાંચવામાં તકલીફ પડતી હોય છે. ત્યારે ગુજરાત સરકાર આવનાર દિવસમાં એક બિલ લાવવા જઈ રહી છે જેમાં ધોરણ 1થી ધો. 8માં ફરજિયાત ગુજરાતી ભણાવવું પડશે. અને જે શાળા ગુજરાતી ભાષા નથી ભણાવવતી તેને દંડ ફટકારવામાં આવશે. 28 ફેબ્રુઆરીએ ગુજરાત સરકાર આ અંગેનું બિલ વિધાનસભામાં રજૂ કરશે. આ નિયમમાં રાજ્યની તમામ શાળાઓ ઉપરાંત સીબીએસસી અને ઈન્ટરનેશનલ શાળાઓને પણ આવરી લેવામાં આવી છે.  


28 ફેબ્રુઆરીના રોજ બિલ રજૂ કરાશે 

રાજ્ય સરકારના પ્રવક્તા અને સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે 28 તારીખે અભ્યાસમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ લાવવામાં આવશે. આગામી દિવસોમાં ધો. 1-8મા ગુજરાતી ભાષા ફરજીયાત કરાશે. બધા જ કોર્સ ગુજરાતમાં જે ચાલે છે તે તમામને આવરી લેવામાં આવશે. જે ગુજરાતી ભાષા નથી ભણાવતી એમને બે વાર દંડ કરીને સજા કરાશે. ગુજરાત ભાષા ફરજિયાત ધોરણ 1થી ધોરણ 8 માટેનું બિલ આવશે.


વિધાનસભામાં ત્રણ બિલ કરાશે રજૂ 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા ફરજિયાત કરવા સંદર્ભે બિલ લાવી રહ્યા છીએ. ધોરણ 1થી 8માં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવા સંદર્ભે બિલ લાવવામાં આવશે. તે સિવાય પેપર લીક તથા ઈમ્પેક્ટ ફી અંગે બિલ લાવવામાં આવશે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.