ગુજરાતી ભાષાને બચાવવા સરકારનો પ્રયાસ, ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી ભણાવવાનું કરાયું ફરજિયાત


  • Published By :
  • Published Date : 2023-02-22 16:37:15

ગુજરાતની શાળાઓમાં ફરજિયાત પણે ગુજરાતી ભાષા ભણાવામાં આવશે તે અંગેનું બિલ વિધાનસભામાં રજૂ થવાનું છે. ધોરણ 1 થી ધોરણ 8 સુધીના ધોરણોમાં ફરજિયાત પણે ગુજરાતી ભાષા ભણાવવામાં આવશે. જે શાળા ગુજરાતી ભાષા નથી ભણાવતી તેને દંડ ફટકારવામાં આવશે. ગુજરાતી ભાષાને બચાવવા માટે લાંબા સમયથી માગ કરવામાં આવી હતી. 

gujarat Vidhansabha


ફરજિયાત પણે શાળામાં ભણાવવી પડશે ગુજરાતી ભાષા 

દરેક રાજ્યની પોતાની અલગ અલગ બોલી તેમજ ભાષા હોય છે. તેમની માતૃભાષા તેમની ઓળખ હોય છે. ત્યારે ગુજરાતની ભાષા ગુજરાતી છે. પરંતુ અનેક લોકોને ગુજરાતી બોલવામાં અને વાંચવામાં તકલીફ પડતી હોય છે. ત્યારે ગુજરાત સરકાર આવનાર દિવસમાં એક બિલ લાવવા જઈ રહી છે જેમાં ધોરણ 1થી ધો. 8માં ફરજિયાત ગુજરાતી ભણાવવું પડશે. અને જે શાળા ગુજરાતી ભાષા નથી ભણાવવતી તેને દંડ ફટકારવામાં આવશે. 28 ફેબ્રુઆરીએ ગુજરાત સરકાર આ અંગેનું બિલ વિધાનસભામાં રજૂ કરશે. આ નિયમમાં રાજ્યની તમામ શાળાઓ ઉપરાંત સીબીએસસી અને ઈન્ટરનેશનલ શાળાઓને પણ આવરી લેવામાં આવી છે.  


28 ફેબ્રુઆરીના રોજ બિલ રજૂ કરાશે 

રાજ્ય સરકારના પ્રવક્તા અને સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે 28 તારીખે અભ્યાસમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરતું બિલ લાવવામાં આવશે. આગામી દિવસોમાં ધો. 1-8મા ગુજરાતી ભાષા ફરજીયાત કરાશે. બધા જ કોર્સ ગુજરાતમાં જે ચાલે છે તે તમામને આવરી લેવામાં આવશે. જે ગુજરાતી ભાષા નથી ભણાવતી એમને બે વાર દંડ કરીને સજા કરાશે. ગુજરાત ભાષા ફરજિયાત ધોરણ 1થી ધોરણ 8 માટેનું બિલ આવશે.


વિધાનસભામાં ત્રણ બિલ કરાશે રજૂ 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા ફરજિયાત કરવા સંદર્ભે બિલ લાવી રહ્યા છીએ. ધોરણ 1થી 8માં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવા સંદર્ભે બિલ લાવવામાં આવશે. તે સિવાય પેપર લીક તથા ઈમ્પેક્ટ ફી અંગે બિલ લાવવામાં આવશે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.