ગરીબોના હકનું અનાજ થઈ રહ્યું છે સગેવગે! વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું કે આટલા કરોડોના અનાજની થઈ ચોરી...


  • Published By :
  • Published Date : 2024-02-16 15:11:16

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ છે. વિધાનસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી ઘણી વખત ચોંકાવનારી હોય છે. જે આંકડા રજૂ કરવામાં આવતા હોય છે તે સાંભળીને આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે. એ આંકડા પછી કુપોષિતોના હોય, બેરોજગારીના હોય કે પછી ભ્રષ્ટાચાર આચરતા કર્મચારીઓના હોય....ત્યારે આજે વાત કરવી છે સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ થતા અનાજની.. કેટલું અનાજ લોકોને આપવામાં આવ્યું તેની નહીં પરંતુ કેટલું અનાજ સગેવગે થયું તેની માહિતી ચોંકાવનારી છે. 

From September 1, government cheap food grain shops will not carry quantity  of food grains | અનાજની ઘટ: 1 સપ્ટે.થી સરકારી સસ્તા અનાજની દુકાનો અનાજનો  જથ્થો નહીં ઉઠાવશે - Surat News | Divya Bhaskar

અનાજ થઈ રહ્યું હતું સગેવગે! 

ગરીબોને અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ લાવવામાં આવે છે. રાહત દરે અનાજ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તે માટેની દુકાનો ખોલવામાં આવી છે. પરંતુ અનેક વખત ત્યાં અપાતું અનાજ ગરીબો સુધી નથી પહોંચતું પરંતુ તે સગેવગે થઈ જાય છે. રાજ્યમાંથી કેટલું અનાજ સગે વગે થયું છે તેની માહિતી વિધાનસભામાં સરકાર દ્વારા આપવામાં આવી છે. જે આંકડો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે.   



સરકારે જ સ્વીકાર્યું કે રાજ્યમાંથી આટલા કિલોનો જથ્થા થયો સગેવગે

વિધાનસભામાં સરકારે જ સ્વીકાર્યું હતું કે , છેલ્લા ૨ વર્ષમાં ગુજરાતના ૧૦ જિલ્લામાંથી સસ્તા અનાજની દુકાનેથી વિતરણ કરવામાં આવતા ઘઉં અને ચોખાનો રૂ. ૨.૫૭ કરોડનો ૧૪.૫૪ લાખ ટન જથ્થો સગેવગે કરવામાં આવ્યો છે . પરંતુ સરકારે એવું પણ જણાવ્યું હતું કે , રાજ્યના પુરવઠા વિભાગે દરોડા પાડીને , આ ગુન્હામાં સંડોવાયેલા ૧૦૨ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી .



ક્યાંથી કેટલું અનાજ થયું સગેવગે? 

સૌથી વધુ આ સરકારી અનાજની ચોરીમાં સુરત મોખરે છે ત્યાં ૪,૯૯, ૧૨૫ કિલો અનાજ ગાયબ થયી ગયું, ત્યારબાદ બીજા નંબર પર પોરબંદર છે કે જ્યાં ૩,૬૩,૫૨૩ કિલો અનાજ, આ પછી ગીરસોમનાથ જિલ્લો આવે છે જ્યાં ૨૯,૮૫૦ કિલો અનાજ, વડોદરામાંથી ૨૬, ૪૫૦ કિલો અનાજ અને અમદાવાદમાંથી ૨૭,૪૩૫ કિલો અનાજ સગેવગે થવા પામ્યું છે . સરકારે આ અનાજની ચોરીઓ રોકવા સઘન પગલાં લેવા જોઈએ કારણ કે આ અનાજ પર ગરીબ પરિવાર નિર્ભર છે. સરકાર અનાજના સગેવગેને રોકવા માટે જલ્દી કોઈ પગલાં તેવી આશા... કારણ કે ઘણી વખત સરકારને ખબર હોય છે કે ત્રૃટિ ક્યાં છે પરંતુ તેને રોકવા પગલાં નથી લેવામાં આવતા.! 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.