ગરીબોના હકનું અનાજ થઈ રહ્યું છે સગેવગે! વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું કે આટલા કરોડોના અનાજની થઈ ચોરી...


  • Published By :
  • Published Date : 2024-02-16 15:11:16

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ છે. વિધાનસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી ઘણી વખત ચોંકાવનારી હોય છે. જે આંકડા રજૂ કરવામાં આવતા હોય છે તે સાંભળીને આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે. એ આંકડા પછી કુપોષિતોના હોય, બેરોજગારીના હોય કે પછી ભ્રષ્ટાચાર આચરતા કર્મચારીઓના હોય....ત્યારે આજે વાત કરવી છે સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ થતા અનાજની.. કેટલું અનાજ લોકોને આપવામાં આવ્યું તેની નહીં પરંતુ કેટલું અનાજ સગેવગે થયું તેની માહિતી ચોંકાવનારી છે. 

From September 1, government cheap food grain shops will not carry quantity  of food grains | અનાજની ઘટ: 1 સપ્ટે.થી સરકારી સસ્તા અનાજની દુકાનો અનાજનો  જથ્થો નહીં ઉઠાવશે - Surat News | Divya Bhaskar

અનાજ થઈ રહ્યું હતું સગેવગે! 

ગરીબોને અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ લાવવામાં આવે છે. રાહત દરે અનાજ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તે માટેની દુકાનો ખોલવામાં આવી છે. પરંતુ અનેક વખત ત્યાં અપાતું અનાજ ગરીબો સુધી નથી પહોંચતું પરંતુ તે સગેવગે થઈ જાય છે. રાજ્યમાંથી કેટલું અનાજ સગે વગે થયું છે તેની માહિતી વિધાનસભામાં સરકાર દ્વારા આપવામાં આવી છે. જે આંકડો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે.   



સરકારે જ સ્વીકાર્યું કે રાજ્યમાંથી આટલા કિલોનો જથ્થા થયો સગેવગે

વિધાનસભામાં સરકારે જ સ્વીકાર્યું હતું કે , છેલ્લા ૨ વર્ષમાં ગુજરાતના ૧૦ જિલ્લામાંથી સસ્તા અનાજની દુકાનેથી વિતરણ કરવામાં આવતા ઘઉં અને ચોખાનો રૂ. ૨.૫૭ કરોડનો ૧૪.૫૪ લાખ ટન જથ્થો સગેવગે કરવામાં આવ્યો છે . પરંતુ સરકારે એવું પણ જણાવ્યું હતું કે , રાજ્યના પુરવઠા વિભાગે દરોડા પાડીને , આ ગુન્હામાં સંડોવાયેલા ૧૦૨ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી .



ક્યાંથી કેટલું અનાજ થયું સગેવગે? 

સૌથી વધુ આ સરકારી અનાજની ચોરીમાં સુરત મોખરે છે ત્યાં ૪,૯૯, ૧૨૫ કિલો અનાજ ગાયબ થયી ગયું, ત્યારબાદ બીજા નંબર પર પોરબંદર છે કે જ્યાં ૩,૬૩,૫૨૩ કિલો અનાજ, આ પછી ગીરસોમનાથ જિલ્લો આવે છે જ્યાં ૨૯,૮૫૦ કિલો અનાજ, વડોદરામાંથી ૨૬, ૪૫૦ કિલો અનાજ અને અમદાવાદમાંથી ૨૭,૪૩૫ કિલો અનાજ સગેવગે થવા પામ્યું છે . સરકારે આ અનાજની ચોરીઓ રોકવા સઘન પગલાં લેવા જોઈએ કારણ કે આ અનાજ પર ગરીબ પરિવાર નિર્ભર છે. સરકાર અનાજના સગેવગેને રોકવા માટે જલ્દી કોઈ પગલાં તેવી આશા... કારણ કે ઘણી વખત સરકારને ખબર હોય છે કે ત્રૃટિ ક્યાં છે પરંતુ તેને રોકવા પગલાં નથી લેવામાં આવતા.! 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"