ગરીબોના હકનું અનાજ થઈ રહ્યું છે સગેવગે! વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું કે આટલા કરોડોના અનાજની થઈ ચોરી...


  • Published By :
  • Published Date : 2024-02-16 15:11:16

હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ છે. વિધાનસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી ઘણી વખત ચોંકાવનારી હોય છે. જે આંકડા રજૂ કરવામાં આવતા હોય છે તે સાંભળીને આંખો ખુલ્લીને ખુલ્લી રહી જાય છે. એ આંકડા પછી કુપોષિતોના હોય, બેરોજગારીના હોય કે પછી ભ્રષ્ટાચાર આચરતા કર્મચારીઓના હોય....ત્યારે આજે વાત કરવી છે સસ્તા અનાજની દુકાનોમાં વિતરણ થતા અનાજની.. કેટલું અનાજ લોકોને આપવામાં આવ્યું તેની નહીં પરંતુ કેટલું અનાજ સગેવગે થયું તેની માહિતી ચોંકાવનારી છે. 

From September 1, government cheap food grain shops will not carry quantity  of food grains | અનાજની ઘટ: 1 સપ્ટે.થી સરકારી સસ્તા અનાજની દુકાનો અનાજનો  જથ્થો નહીં ઉઠાવશે - Surat News | Divya Bhaskar

અનાજ થઈ રહ્યું હતું સગેવગે! 

ગરીબોને અનાજ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ લાવવામાં આવે છે. રાહત દરે અનાજ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તે માટેની દુકાનો ખોલવામાં આવી છે. પરંતુ અનેક વખત ત્યાં અપાતું અનાજ ગરીબો સુધી નથી પહોંચતું પરંતુ તે સગેવગે થઈ જાય છે. રાજ્યમાંથી કેટલું અનાજ સગે વગે થયું છે તેની માહિતી વિધાનસભામાં સરકાર દ્વારા આપવામાં આવી છે. જે આંકડો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે.   



સરકારે જ સ્વીકાર્યું કે રાજ્યમાંથી આટલા કિલોનો જથ્થા થયો સગેવગે

વિધાનસભામાં સરકારે જ સ્વીકાર્યું હતું કે , છેલ્લા ૨ વર્ષમાં ગુજરાતના ૧૦ જિલ્લામાંથી સસ્તા અનાજની દુકાનેથી વિતરણ કરવામાં આવતા ઘઉં અને ચોખાનો રૂ. ૨.૫૭ કરોડનો ૧૪.૫૪ લાખ ટન જથ્થો સગેવગે કરવામાં આવ્યો છે . પરંતુ સરકારે એવું પણ જણાવ્યું હતું કે , રાજ્યના પુરવઠા વિભાગે દરોડા પાડીને , આ ગુન્હામાં સંડોવાયેલા ૧૦૨ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી .



ક્યાંથી કેટલું અનાજ થયું સગેવગે? 

સૌથી વધુ આ સરકારી અનાજની ચોરીમાં સુરત મોખરે છે ત્યાં ૪,૯૯, ૧૨૫ કિલો અનાજ ગાયબ થયી ગયું, ત્યારબાદ બીજા નંબર પર પોરબંદર છે કે જ્યાં ૩,૬૩,૫૨૩ કિલો અનાજ, આ પછી ગીરસોમનાથ જિલ્લો આવે છે જ્યાં ૨૯,૮૫૦ કિલો અનાજ, વડોદરામાંથી ૨૬, ૪૫૦ કિલો અનાજ અને અમદાવાદમાંથી ૨૭,૪૩૫ કિલો અનાજ સગેવગે થવા પામ્યું છે . સરકારે આ અનાજની ચોરીઓ રોકવા સઘન પગલાં લેવા જોઈએ કારણ કે આ અનાજ પર ગરીબ પરિવાર નિર્ભર છે. સરકાર અનાજના સગેવગેને રોકવા માટે જલ્દી કોઈ પગલાં તેવી આશા... કારણ કે ઘણી વખત સરકારને ખબર હોય છે કે ત્રૃટિ ક્યાં છે પરંતુ તેને રોકવા પગલાં નથી લેવામાં આવતા.! 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.