રાજ્યમાં વધતો રખડતા શ્વાનનો આતંક, સુરતમાં શ્વાનના હુમલાને કારણે ગયો બે વર્ષની બાળકીનો જીવ, જવાબદાર કોણ?


  • Published By :
  • Published Date : 2023-02-23 13:27:51

રખડતા શ્વાનનો આતંક વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતા શ્વાનના હુમલાનો ભોગ બનતા હોય છે. ત્યારે સુરતમાં બે વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. 19 ફેબ્રુઆરીના રોજ બેથી ત્રણ કૂતરાઓએ બાળકી પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે બાળકી ઘાયલ થઈ હતી. બાળકીના શરીર પર 30થી વધુ વખત કૂતરાઓએ બચકા ભર્યા હતા. હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી હતી પરંતુ ગઈ કાલ રાત્રે બાળકીનું મોત થઈ ગયું હતું.    


બાળકીને શ્વાનોએ ભર્યા 30થી 40 બચકા 

રાજ્યમાં રખડતા પશુ તેમજ શેરી કૂતારો દ્વારા કરવામાં આવતા હુમલાની સંખ્યામાં વધારો થયો છે. હુમલો થવાને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે તો અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે સુરતમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. 15 દિવસની અંદર 477 જેટલા કેસ કૂતરા કરડવાના સામે આવ્યા હતા. નાના બાળકો શેરી કૂતારાના હુમલાનો ભોગ બની રહ્યા છે. કૂતરાઓ બાળકો પર હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાગસ્ત કરે છે. 


સારવાર દરમિયાન બાળકીનું થયું મોત 

બાળકીની મોત કૂતરા કરડવાને થયું છે તેવો કિસ્સો સામે આવ્યો  છે. થોડા દિવસ પહેલા ખજોદમાં બે ત્રણ કૂતરાઓએ બાળકી પર હુમલો કર્યો હતો. બાળકીના શરીર 30 થી 40 બચકા ભર્યા હોવાના નિશાન પણ મળ્યા હતા. ગંભીર રીતે બાળકીને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાળકીના મોતથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. 


રાજ્યમાં સતત વધી રહ્યા છે શ્વાનના હુમલા કરવાના કિસ્સા  

શ્વાનના હુમલાથી જે બાળકીનું મોત થયું છે તે પરિવાર મૂળ પશ્ચિમ બંગાળનો હતો. ખુલ્લામાં બાળકી રમી રહી હતી. જ્યાં બાળકી પર હુમલો થયો તેની નજીકમાં મહાનગરપાલિકાનું ડમ્પિંગ યાર્ડ આવેલું છે. કૂતરાનો ત્રાસ ન માત્ર સુરતમાં પરંતુ સમગ્ર રાજ્યમાં વધી રહ્યો છે. ત્યારે વહેલી તકે આ અંગે કોઈ પગલાં લેવાય તેવી લોકોને આશા છે.       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.