રાજ્યમાં વધતો રખડતા શ્વાનનો આતંક, સુરતમાં શ્વાનના હુમલાને કારણે ગયો બે વર્ષની બાળકીનો જીવ, જવાબદાર કોણ?


  • Published By :
  • Published Date : 2023-02-23 13:27:51

રખડતા શ્વાનનો આતંક વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતા શ્વાનના હુમલાનો ભોગ બનતા હોય છે. ત્યારે સુરતમાં બે વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. 19 ફેબ્રુઆરીના રોજ બેથી ત્રણ કૂતરાઓએ બાળકી પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે બાળકી ઘાયલ થઈ હતી. બાળકીના શરીર પર 30થી વધુ વખત કૂતરાઓએ બચકા ભર્યા હતા. હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી હતી પરંતુ ગઈ કાલ રાત્રે બાળકીનું મોત થઈ ગયું હતું.    


બાળકીને શ્વાનોએ ભર્યા 30થી 40 બચકા 

રાજ્યમાં રખડતા પશુ તેમજ શેરી કૂતારો દ્વારા કરવામાં આવતા હુમલાની સંખ્યામાં વધારો થયો છે. હુમલો થવાને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે તો અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે સુરતમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. 15 દિવસની અંદર 477 જેટલા કેસ કૂતરા કરડવાના સામે આવ્યા હતા. નાના બાળકો શેરી કૂતારાના હુમલાનો ભોગ બની રહ્યા છે. કૂતરાઓ બાળકો પર હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાગસ્ત કરે છે. 


સારવાર દરમિયાન બાળકીનું થયું મોત 

બાળકીની મોત કૂતરા કરડવાને થયું છે તેવો કિસ્સો સામે આવ્યો  છે. થોડા દિવસ પહેલા ખજોદમાં બે ત્રણ કૂતરાઓએ બાળકી પર હુમલો કર્યો હતો. બાળકીના શરીર 30 થી 40 બચકા ભર્યા હોવાના નિશાન પણ મળ્યા હતા. ગંભીર રીતે બાળકીને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બાળકીના મોતથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. 


રાજ્યમાં સતત વધી રહ્યા છે શ્વાનના હુમલા કરવાના કિસ્સા  

શ્વાનના હુમલાથી જે બાળકીનું મોત થયું છે તે પરિવાર મૂળ પશ્ચિમ બંગાળનો હતો. ખુલ્લામાં બાળકી રમી રહી હતી. જ્યાં બાળકી પર હુમલો થયો તેની નજીકમાં મહાનગરપાલિકાનું ડમ્પિંગ યાર્ડ આવેલું છે. કૂતરાનો ત્રાસ ન માત્ર સુરતમાં પરંતુ સમગ્ર રાજ્યમાં વધી રહ્યો છે. ત્યારે વહેલી તકે આ અંગે કોઈ પગલાં લેવાય તેવી લોકોને આશા છે.       




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.