Indiaમાં Corona Virusનો વધતો ખતરો! છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ, Gujaratમાં વધતો કોરોના કેસનો આંકડો


  • Published By :
  • Published Date : 2023-12-23 14:28:41

વિશ્વમાં કોરોનાનો હાહાકાર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેરળમાં સૌથી વધારે દેશ નોંધાયા છે. માત્ર કેરળમાં એક્ટિવ કેસ 2000ને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 752 કેસ સામે આવ્યા છે. ચાર લોકોના મોત થયા છે. કેરળમાં સૌથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. દેશના 17 રાજ્યોમાં કોરોનાનો પગ પેસારો થઈ ગયો છે. સૌથી વધારે કેસ કેરળથી સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 266 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, કર્ણાટકમં 70 કેસ, મહારાષ્ટ્રમાં 15 જ્યારે ગુજરાતમાં કોરોનાના 12 નવા કેસ નોંધાયા છે.  


કેરળમાં વધી રહ્યો છે કોરોનાનો ખતરો 

2019માં કોરોના મહામારીએ અનેક લોકોના જીવ લીધા હતા. કોરોનાને કારણે અનેક પરિવારો વિખેરાયા છે. લાખોની સંખ્યામાં કોરોનાથી લોકો સંક્રમિત થયા હતા. એક સમય આવ્યો જ્યારે એવું લાગતું હતું કે કોરોના જતો રહ્યો છે. લોકો બિન્દાસ્ત બનીને ફરતા હતા પરંતુ કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. થોડા સમયથી પ્રતિદિન 200થી 400 વચ્ચે કેસ નોંધાઈ રહ્યા છે. કેરળમાં સૌથી વધારે કોરોનાને કારણે હાહાકાર મચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે. 

COVID-19 India Updates: New Cases Nearly 14K, Rise For 5th Straight Day |  OTV News

રાજ્યમાં વધુ 12 કેસ નોંધાયા  

ગુજરાતમાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા માત્ર બે કેસ કોરોનાના ગુજરાતમાંથી સામે આવ્યા હતા પરંતુ હવે તો ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. પરમદિવસે અમદાવાદના 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે ગઈકાલે પણ કોરોના કેસ સામે આવતા લોકોમાં ફફડાટ થઈ ગયો છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 આસપાસ પહોંચવા આવી છે. આજે કોરોનાના વધુ 12 કેસ નોંધાયા છે તેવી માહિતી સામે આવી છે.   


ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર!

કોરોનાના વધતા કેસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. હોસ્પિટલોની સુવિધા કરવામાં આવી રહી છે. જો શક્ય હોય તો ભીડ ભાડ વાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ. માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. મહત્વનું છે કે શિયાળાના સમયમાં લોકોને ખાંસી તેમજ ઉધરસ રહેતો હોય છે. ત્યારે કોરોના થવાની સંભાવના વધારે રહેતી હોય છે. કોરોના કેસ વધતા ડરવાની નહીં પરંતુ સતર્ક રહેવાની જરૂર છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે