Indiaમાં Corona Virusનો વધતો ખતરો! છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ, Gujaratમાં વધતો કોરોના કેસનો આંકડો


  • Published By :
  • Published Date : 2023-12-23 14:28:41

વિશ્વમાં કોરોનાનો હાહાકાર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેરળમાં સૌથી વધારે દેશ નોંધાયા છે. માત્ર કેરળમાં એક્ટિવ કેસ 2000ને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 752 કેસ સામે આવ્યા છે. ચાર લોકોના મોત થયા છે. કેરળમાં સૌથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. દેશના 17 રાજ્યોમાં કોરોનાનો પગ પેસારો થઈ ગયો છે. સૌથી વધારે કેસ કેરળથી સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 266 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, કર્ણાટકમં 70 કેસ, મહારાષ્ટ્રમાં 15 જ્યારે ગુજરાતમાં કોરોનાના 12 નવા કેસ નોંધાયા છે.  


કેરળમાં વધી રહ્યો છે કોરોનાનો ખતરો 

2019માં કોરોના મહામારીએ અનેક લોકોના જીવ લીધા હતા. કોરોનાને કારણે અનેક પરિવારો વિખેરાયા છે. લાખોની સંખ્યામાં કોરોનાથી લોકો સંક્રમિત થયા હતા. એક સમય આવ્યો જ્યારે એવું લાગતું હતું કે કોરોના જતો રહ્યો છે. લોકો બિન્દાસ્ત બનીને ફરતા હતા પરંતુ કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. થોડા સમયથી પ્રતિદિન 200થી 400 વચ્ચે કેસ નોંધાઈ રહ્યા છે. કેરળમાં સૌથી વધારે કોરોનાને કારણે હાહાકાર મચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે. 

COVID-19 India Updates: New Cases Nearly 14K, Rise For 5th Straight Day |  OTV News

રાજ્યમાં વધુ 12 કેસ નોંધાયા  

ગુજરાતમાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા માત્ર બે કેસ કોરોનાના ગુજરાતમાંથી સામે આવ્યા હતા પરંતુ હવે તો ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. પરમદિવસે અમદાવાદના 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે ગઈકાલે પણ કોરોના કેસ સામે આવતા લોકોમાં ફફડાટ થઈ ગયો છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 આસપાસ પહોંચવા આવી છે. આજે કોરોનાના વધુ 12 કેસ નોંધાયા છે તેવી માહિતી સામે આવી છે.   


ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર!

કોરોનાના વધતા કેસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. હોસ્પિટલોની સુવિધા કરવામાં આવી રહી છે. જો શક્ય હોય તો ભીડ ભાડ વાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ. માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. મહત્વનું છે કે શિયાળાના સમયમાં લોકોને ખાંસી તેમજ ઉધરસ રહેતો હોય છે. ત્યારે કોરોના થવાની સંભાવના વધારે રહેતી હોય છે. કોરોના કેસ વધતા ડરવાની નહીં પરંતુ સતર્ક રહેવાની જરૂર છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.