Indiaમાં Corona Virusનો વધતો ખતરો! છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ, Gujaratમાં વધતો કોરોના કેસનો આંકડો


  • Published By :
  • Published Date : 2023-12-23 14:28:41

વિશ્વમાં કોરોનાનો હાહાકાર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેરળમાં સૌથી વધારે દેશ નોંધાયા છે. માત્ર કેરળમાં એક્ટિવ કેસ 2000ને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા 752 કેસ સામે આવ્યા છે. ચાર લોકોના મોત થયા છે. કેરળમાં સૌથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. દેશના 17 રાજ્યોમાં કોરોનાનો પગ પેસારો થઈ ગયો છે. સૌથી વધારે કેસ કેરળથી સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 266 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, કર્ણાટકમં 70 કેસ, મહારાષ્ટ્રમાં 15 જ્યારે ગુજરાતમાં કોરોનાના 12 નવા કેસ નોંધાયા છે.  


કેરળમાં વધી રહ્યો છે કોરોનાનો ખતરો 

2019માં કોરોના મહામારીએ અનેક લોકોના જીવ લીધા હતા. કોરોનાને કારણે અનેક પરિવારો વિખેરાયા છે. લાખોની સંખ્યામાં કોરોનાથી લોકો સંક્રમિત થયા હતા. એક સમય આવ્યો જ્યારે એવું લાગતું હતું કે કોરોના જતો રહ્યો છે. લોકો બિન્દાસ્ત બનીને ફરતા હતા પરંતુ કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. થોડા સમયથી પ્રતિદિન 200થી 400 વચ્ચે કેસ નોંધાઈ રહ્યા છે. કેરળમાં સૌથી વધારે કોરોનાને કારણે હાહાકાર મચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે. 

COVID-19 India Updates: New Cases Nearly 14K, Rise For 5th Straight Day |  OTV News

રાજ્યમાં વધુ 12 કેસ નોંધાયા  

ગુજરાતમાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા માત્ર બે કેસ કોરોનાના ગુજરાતમાંથી સામે આવ્યા હતા પરંતુ હવે તો ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. પરમદિવસે અમદાવાદના 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે ગઈકાલે પણ કોરોના કેસ સામે આવતા લોકોમાં ફફડાટ થઈ ગયો છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 50 આસપાસ પહોંચવા આવી છે. આજે કોરોનાના વધુ 12 કેસ નોંધાયા છે તેવી માહિતી સામે આવી છે.   


ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર!

કોરોનાના વધતા કેસને લઈ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. હોસ્પિટલોની સુવિધા કરવામાં આવી રહી છે. જો શક્ય હોય તો ભીડ ભાડ વાળી જગ્યાઓ પર જવાનું ટાળવું જોઈએ. માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. મહત્વનું છે કે શિયાળાના સમયમાં લોકોને ખાંસી તેમજ ઉધરસ રહેતો હોય છે. ત્યારે કોરોના થવાની સંભાવના વધારે રહેતી હોય છે. કોરોના કેસ વધતા ડરવાની નહીં પરંતુ સતર્ક રહેવાની જરૂર છે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.