વિદ્યાસહાયકોની માગનો સરકારે કર્યો સ્વીકાર, TET-2 માટે આ ડીગ્રીને સરકારે કરી દીધી માન્ય


  • Published By :
  • Published Date : 2023-03-31 18:13:15

ગુજરાત સરકારે સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડીને જાણકારી આપતા જણાવ્યું છે કે ટેટ-2ની વિદ્યાસહાયક તરીકે નોકરી કરવા માટે હવે બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર ઓફ ફાર્મસીને માન્ય ડીગ્રી ગણવામાં આવશે. 

UPTET free coaching uttar pradesh TET exam candidates DIET | Education News  – India TV

પ્રતિકાત્મક ફોટો

અનેક રજૂઆતો મળતા કરાયો બદલાવ  

અગાઉ ટેટ-2 વિદ્યા સહાયક માટે બીફાર્મ અને એમફાર્મની ડીગ્રી માન્ય ન હતી. વિદ્યાસહાયકોની અનેક રજૂઆતો બાદ ભરતીની લાયકામાં બદલાવ કરવામાં આવ્યા છે. વિદ્યાસહાયક અરજદારોની માગણીને ધ્યાનમાં લેતા ગુજરાત સરકારે ગવર્નમેન્ટ રીઝોલ્યુશન બહાર પાડીને જાણકારી આપી છે કે ટેટ-2 માટે બીફાર્મ અને એમફાર્મ માન્ય ડીગ્રી ગણાશે. 


હવેથી આ ડીગ્રી માન્ય ગણાશે 

સરકારી નોકરી કરવા માટે ટેટ-1, ટેટ-2ની પરીક્ષા ફરજિયાત આપવી પડે છે. ધોરણ 1થી 5 સુધીના શિક્ષક બનવું હોય તો TET-1ની પરીક્ષા આપવી પડે છે જ્યારે ધોરણ 6થી ધોરણ 8ના શિક્ષક બનવા માટે TET-2ની પરીક્ષા આપવી પડે છે. ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાને કારણે બીફાર્મ અને એમફાર્મની ડીગ્રી માન્ય ગણવામાં આવશે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.