વિદ્યાસહાયકોની માગનો સરકારે કર્યો સ્વીકાર, TET-2 માટે આ ડીગ્રીને સરકારે કરી દીધી માન્ય


  • Published By :
  • Published Date : 2023-03-31 18:13:15

ગુજરાત સરકારે સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડીને જાણકારી આપતા જણાવ્યું છે કે ટેટ-2ની વિદ્યાસહાયક તરીકે નોકરી કરવા માટે હવે બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર ઓફ ફાર્મસીને માન્ય ડીગ્રી ગણવામાં આવશે. 

UPTET free coaching uttar pradesh TET exam candidates DIET | Education News  – India TV

પ્રતિકાત્મક ફોટો

અનેક રજૂઆતો મળતા કરાયો બદલાવ  

અગાઉ ટેટ-2 વિદ્યા સહાયક માટે બીફાર્મ અને એમફાર્મની ડીગ્રી માન્ય ન હતી. વિદ્યાસહાયકોની અનેક રજૂઆતો બાદ ભરતીની લાયકામાં બદલાવ કરવામાં આવ્યા છે. વિદ્યાસહાયક અરજદારોની માગણીને ધ્યાનમાં લેતા ગુજરાત સરકારે ગવર્નમેન્ટ રીઝોલ્યુશન બહાર પાડીને જાણકારી આપી છે કે ટેટ-2 માટે બીફાર્મ અને એમફાર્મ માન્ય ડીગ્રી ગણાશે. 


હવેથી આ ડીગ્રી માન્ય ગણાશે 

સરકારી નોકરી કરવા માટે ટેટ-1, ટેટ-2ની પરીક્ષા ફરજિયાત આપવી પડે છે. ધોરણ 1થી 5 સુધીના શિક્ષક બનવું હોય તો TET-1ની પરીક્ષા આપવી પડે છે જ્યારે ધોરણ 6થી ધોરણ 8ના શિક્ષક બનવા માટે TET-2ની પરીક્ષા આપવી પડે છે. ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાને કારણે બીફાર્મ અને એમફાર્મની ડીગ્રી માન્ય ગણવામાં આવશે.    




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.