વિદ્યાસહાયકોની માગનો સરકારે કર્યો સ્વીકાર, TET-2 માટે આ ડીગ્રીને સરકારે કરી દીધી માન્ય


  • Published By :
  • Published Date : 2023-03-31 18:13:15

ગુજરાત સરકારે સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડીને જાણકારી આપતા જણાવ્યું છે કે ટેટ-2ની વિદ્યાસહાયક તરીકે નોકરી કરવા માટે હવે બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર ઓફ ફાર્મસીને માન્ય ડીગ્રી ગણવામાં આવશે. 

UPTET free coaching uttar pradesh TET exam candidates DIET | Education News  – India TV

પ્રતિકાત્મક ફોટો

અનેક રજૂઆતો મળતા કરાયો બદલાવ  

અગાઉ ટેટ-2 વિદ્યા સહાયક માટે બીફાર્મ અને એમફાર્મની ડીગ્રી માન્ય ન હતી. વિદ્યાસહાયકોની અનેક રજૂઆતો બાદ ભરતીની લાયકામાં બદલાવ કરવામાં આવ્યા છે. વિદ્યાસહાયક અરજદારોની માગણીને ધ્યાનમાં લેતા ગુજરાત સરકારે ગવર્નમેન્ટ રીઝોલ્યુશન બહાર પાડીને જાણકારી આપી છે કે ટેટ-2 માટે બીફાર્મ અને એમફાર્મ માન્ય ડીગ્રી ગણાશે. 


હવેથી આ ડીગ્રી માન્ય ગણાશે 

સરકારી નોકરી કરવા માટે ટેટ-1, ટેટ-2ની પરીક્ષા ફરજિયાત આપવી પડે છે. ધોરણ 1થી 5 સુધીના શિક્ષક બનવું હોય તો TET-1ની પરીક્ષા આપવી પડે છે જ્યારે ધોરણ 6થી ધોરણ 8ના શિક્ષક બનવા માટે TET-2ની પરીક્ષા આપવી પડે છે. ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાને કારણે બીફાર્મ અને એમફાર્મની ડીગ્રી માન્ય ગણવામાં આવશે.    




ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.