વિદ્યાસહાયકોની માગનો સરકારે કર્યો સ્વીકાર, TET-2 માટે આ ડીગ્રીને સરકારે કરી દીધી માન્ય


  • Published By :
  • Published Date : 2023-03-31 18:13:15

ગુજરાત સરકારે સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડીને જાણકારી આપતા જણાવ્યું છે કે ટેટ-2ની વિદ્યાસહાયક તરીકે નોકરી કરવા માટે હવે બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર ઓફ ફાર્મસીને માન્ય ડીગ્રી ગણવામાં આવશે. 

UPTET free coaching uttar pradesh TET exam candidates DIET | Education News  – India TV

પ્રતિકાત્મક ફોટો

અનેક રજૂઆતો મળતા કરાયો બદલાવ  

અગાઉ ટેટ-2 વિદ્યા સહાયક માટે બીફાર્મ અને એમફાર્મની ડીગ્રી માન્ય ન હતી. વિદ્યાસહાયકોની અનેક રજૂઆતો બાદ ભરતીની લાયકામાં બદલાવ કરવામાં આવ્યા છે. વિદ્યાસહાયક અરજદારોની માગણીને ધ્યાનમાં લેતા ગુજરાત સરકારે ગવર્નમેન્ટ રીઝોલ્યુશન બહાર પાડીને જાણકારી આપી છે કે ટેટ-2 માટે બીફાર્મ અને એમફાર્મ માન્ય ડીગ્રી ગણાશે. 


હવેથી આ ડીગ્રી માન્ય ગણાશે 

સરકારી નોકરી કરવા માટે ટેટ-1, ટેટ-2ની પરીક્ષા ફરજિયાત આપવી પડે છે. ધોરણ 1થી 5 સુધીના શિક્ષક બનવું હોય તો TET-1ની પરીક્ષા આપવી પડે છે જ્યારે ધોરણ 6થી ધોરણ 8ના શિક્ષક બનવા માટે TET-2ની પરીક્ષા આપવી પડે છે. ત્યારે સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાને કારણે બીફાર્મ અને એમફાર્મની ડીગ્રી માન્ય ગણવામાં આવશે.    




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે