મહિના-વરસથી આયુષ્યમાન યોજનાના પેમેન્ટ કરવાની ગુજરાત સરકારે આપી બાંહેધરી! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-02-24 18:02:16

24 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય આરોગ્ય મંત્રી, હેલ્થ કમિશનર, પીએમજય યોજનાના અધિકારીઓ, બજાજ અને ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સના અધિકારીઓ, હોસ્પિટલ એસોશિએશન PEPHAGના સભ્યો વચ્ચે પડતર માગણીઓના નિરાકરણ માટે બેઠક થઈ હતી.ગુજરાતમાં PMJAY હોસ્પિટલને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે. આ મીટિંગમાં આગળની પોલીસી અંગે તેમજ ચાલુ પોલીસીના બાકી રહેલા નાણાની ચૂકવણી તેમજ પડતર પ્રશ્નોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય મંત્રીએ બાંહેધારી આપી કે પીએમજય હોસ્પિટલમાં બાકી પેમેન્ટનો પેશન્ટ વાઈઝ ડેટા દરેક હોસ્પિટલને બે ત્રણ દિવસમાં ઈમેલ દ્વારા મોકલવામાં આવશે. ઉપરાંત શુક્રવાર સુધીમાં તેમના બાકીના નાણાં પણ ચૂકવવામાં આવશે. 

હોસ્પિટલમાં મળતી સારવાર મોંઘી થઈ ગઈ!

આરોગ્યની સારી વ્યવસ્થા પૂરી પાડવી તેની જવાબદારી સરકારની છે. લોકોને સારી સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવે છે. તેવી જ છે યોજના આયુષ્માન કાર્ડની. આ યોજનાએ સામાન્ય લોકોને સરકાર સાથે જોડ્યા. આરોગ્ય વ્યવસ્થા એટલી મોંઘી થઈ ગઈ હતી કે સામાન્ય માણસ માટે એ શક્ય ન હતું કે ત્યાં સારવાર કરાવી શકે ઉપરાંત સરકારી હોસ્પિટલમાં પૂરતા સાધનો નથી. બધુ પ્રાઈવેટ થઈ ગયું. એવો ખાનગીકરણનો વ્યાપ વધ્યો કે સામાન્ય માણસ માટે ઈલાજ કરાવવો અશક્ય લાગતું. મા અમૃત્તમ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. તે અંતર્ગત સરકારી હોસ્પિટલમાં તેમજ સરકાર સાથે જોડાયેલી હોસ્પિટલમાં સારવાર મફત કરવામાં આવશે. સરકાર તેમને પૈસા ચૂકવે છે. પરંતુ આ યોજનાનો ગેરફાયદો લોકો લેવા લાગ્યા. 



હોસ્પિટલ અને સરકાર વચ્ચે થયા છે એમઓયુ!

અનેક સમસ્યાઓ હતી આ યોજનમાં. તે બાદ આયુષ્માન કાર્ડ યોજના આવી અને જે અંતર્ગત અનેક વસ્તુઓ સુનિશ્ચિત કરવામાં આવી. આ યોજનાનો ઉપદ્દેશ્ય હતો સામાન્ય માણસ હેરાન ન થવો જોઈએ. અનેક હોસ્પિટલ વચ્ચે આ અંતર્ગત MoU કરવામાં આવ્યા. પરંતુ છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલો તેમજ ડોક્ટરોએ રજૂઆત કરી હતી નાણા ચૂકવવા માટે સરકારને. હોસ્પિટલના પેમેન્ટ ક્લિયર નથી થતા. હોસ્પિટલને લઈ પણ અનેક સમસ્યાઓ છે. 



સરકાર દ્વારા આપવામાં આવી બાંહેધરી!

સરકાર દ્વારા પરમિશન આપવામાં આવે છે અને પછી તેની સારવાર થાય છે. જો તમે પરવાનગી આપી, હોસ્પિટલે ઓપરેશન કર્યું તો હોસ્પિટલને પૈસા આપવા માટે બંધાયેલી છે. હેલ્થની યોજનાઓ પાછળ સરકાર કરોડો રૂપિયા વાપરે છે પરંતુ તે પૈસા ક્યાં જાય છે તેની ખબર નથી પડતી. સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ સરકાર જાણે ગણકારતી ન હતી તેવું લાગતું હતું પરંતુ આજે પડતર માગણીને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી થોડા દિવસોની અંદર નાણા ચૂકવી દેવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે. તે ઉપરાંત ક્લેમ વખતે કરવામાં આવતા રિજેક્શન, ડીડક્શન અને અન્ય પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલીક રીતે નિરાકરણનું સમાધાન આવે તેની ચર્ચા આજે મળેલી બેઠકમાં કરવામાં આવી.


સારવાર ચાલુ રાખવાનો કરાયો નિર્ણય!

સરકાર દ્વારા આપવામાં આવેલી બાંહેધરી પ્રમાણે કાર્ય જશે, પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવશે એવી આશા સાથે દરેક હોસ્પિટલ નિયમિતપણ પીએમજય યોજના હેઠળ 26થી 29 ફેબ્રુઆરી દરમિયાન સારવાર ચાલુ રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.