મહિના-વરસથી આયુષ્યમાન યોજનાના પેમેન્ટ કરવાની ગુજરાત સરકારે આપી બાંહેધરી! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-02-24 18:02:16

24 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય આરોગ્ય મંત્રી, હેલ્થ કમિશનર, પીએમજય યોજનાના અધિકારીઓ, બજાજ અને ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સના અધિકારીઓ, હોસ્પિટલ એસોશિએશન PEPHAGના સભ્યો વચ્ચે પડતર માગણીઓના નિરાકરણ માટે બેઠક થઈ હતી.ગુજરાતમાં PMJAY હોસ્પિટલને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે. આ મીટિંગમાં આગળની પોલીસી અંગે તેમજ ચાલુ પોલીસીના બાકી રહેલા નાણાની ચૂકવણી તેમજ પડતર પ્રશ્નોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય મંત્રીએ બાંહેધારી આપી કે પીએમજય હોસ્પિટલમાં બાકી પેમેન્ટનો પેશન્ટ વાઈઝ ડેટા દરેક હોસ્પિટલને બે ત્રણ દિવસમાં ઈમેલ દ્વારા મોકલવામાં આવશે. ઉપરાંત શુક્રવાર સુધીમાં તેમના બાકીના નાણાં પણ ચૂકવવામાં આવશે. 

હોસ્પિટલમાં મળતી સારવાર મોંઘી થઈ ગઈ!

આરોગ્યની સારી વ્યવસ્થા પૂરી પાડવી તેની જવાબદારી સરકારની છે. લોકોને સારી સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવે છે. તેવી જ છે યોજના આયુષ્માન કાર્ડની. આ યોજનાએ સામાન્ય લોકોને સરકાર સાથે જોડ્યા. આરોગ્ય વ્યવસ્થા એટલી મોંઘી થઈ ગઈ હતી કે સામાન્ય માણસ માટે એ શક્ય ન હતું કે ત્યાં સારવાર કરાવી શકે ઉપરાંત સરકારી હોસ્પિટલમાં પૂરતા સાધનો નથી. બધુ પ્રાઈવેટ થઈ ગયું. એવો ખાનગીકરણનો વ્યાપ વધ્યો કે સામાન્ય માણસ માટે ઈલાજ કરાવવો અશક્ય લાગતું. મા અમૃત્તમ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. તે અંતર્ગત સરકારી હોસ્પિટલમાં તેમજ સરકાર સાથે જોડાયેલી હોસ્પિટલમાં સારવાર મફત કરવામાં આવશે. સરકાર તેમને પૈસા ચૂકવે છે. પરંતુ આ યોજનાનો ગેરફાયદો લોકો લેવા લાગ્યા. 



હોસ્પિટલ અને સરકાર વચ્ચે થયા છે એમઓયુ!

અનેક સમસ્યાઓ હતી આ યોજનમાં. તે બાદ આયુષ્માન કાર્ડ યોજના આવી અને જે અંતર્ગત અનેક વસ્તુઓ સુનિશ્ચિત કરવામાં આવી. આ યોજનાનો ઉપદ્દેશ્ય હતો સામાન્ય માણસ હેરાન ન થવો જોઈએ. અનેક હોસ્પિટલ વચ્ચે આ અંતર્ગત MoU કરવામાં આવ્યા. પરંતુ છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલો તેમજ ડોક્ટરોએ રજૂઆત કરી હતી નાણા ચૂકવવા માટે સરકારને. હોસ્પિટલના પેમેન્ટ ક્લિયર નથી થતા. હોસ્પિટલને લઈ પણ અનેક સમસ્યાઓ છે. 



સરકાર દ્વારા આપવામાં આવી બાંહેધરી!

સરકાર દ્વારા પરમિશન આપવામાં આવે છે અને પછી તેની સારવાર થાય છે. જો તમે પરવાનગી આપી, હોસ્પિટલે ઓપરેશન કર્યું તો હોસ્પિટલને પૈસા આપવા માટે બંધાયેલી છે. હેલ્થની યોજનાઓ પાછળ સરકાર કરોડો રૂપિયા વાપરે છે પરંતુ તે પૈસા ક્યાં જાય છે તેની ખબર નથી પડતી. સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ સરકાર જાણે ગણકારતી ન હતી તેવું લાગતું હતું પરંતુ આજે પડતર માગણીને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી થોડા દિવસોની અંદર નાણા ચૂકવી દેવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે. તે ઉપરાંત ક્લેમ વખતે કરવામાં આવતા રિજેક્શન, ડીડક્શન અને અન્ય પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલીક રીતે નિરાકરણનું સમાધાન આવે તેની ચર્ચા આજે મળેલી બેઠકમાં કરવામાં આવી.


સારવાર ચાલુ રાખવાનો કરાયો નિર્ણય!

સરકાર દ્વારા આપવામાં આવેલી બાંહેધરી પ્રમાણે કાર્ય જશે, પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવશે એવી આશા સાથે દરેક હોસ્પિટલ નિયમિતપણ પીએમજય યોજના હેઠળ 26થી 29 ફેબ્રુઆરી દરમિયાન સારવાર ચાલુ રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.