મહિના-વરસથી આયુષ્યમાન યોજનાના પેમેન્ટ કરવાની ગુજરાત સરકારે આપી બાંહેધરી! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-02-24 18:02:16

24 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય આરોગ્ય મંત્રી, હેલ્થ કમિશનર, પીએમજય યોજનાના અધિકારીઓ, બજાજ અને ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સના અધિકારીઓ, હોસ્પિટલ એસોશિએશન PEPHAGના સભ્યો વચ્ચે પડતર માગણીઓના નિરાકરણ માટે બેઠક થઈ હતી.ગુજરાતમાં PMJAY હોસ્પિટલને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે. આ મીટિંગમાં આગળની પોલીસી અંગે તેમજ ચાલુ પોલીસીના બાકી રહેલા નાણાની ચૂકવણી તેમજ પડતર પ્રશ્નોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય મંત્રીએ બાંહેધારી આપી કે પીએમજય હોસ્પિટલમાં બાકી પેમેન્ટનો પેશન્ટ વાઈઝ ડેટા દરેક હોસ્પિટલને બે ત્રણ દિવસમાં ઈમેલ દ્વારા મોકલવામાં આવશે. ઉપરાંત શુક્રવાર સુધીમાં તેમના બાકીના નાણાં પણ ચૂકવવામાં આવશે. 

હોસ્પિટલમાં મળતી સારવાર મોંઘી થઈ ગઈ!

આરોગ્યની સારી વ્યવસ્થા પૂરી પાડવી તેની જવાબદારી સરકારની છે. લોકોને સારી સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવે છે. તેવી જ છે યોજના આયુષ્માન કાર્ડની. આ યોજનાએ સામાન્ય લોકોને સરકાર સાથે જોડ્યા. આરોગ્ય વ્યવસ્થા એટલી મોંઘી થઈ ગઈ હતી કે સામાન્ય માણસ માટે એ શક્ય ન હતું કે ત્યાં સારવાર કરાવી શકે ઉપરાંત સરકારી હોસ્પિટલમાં પૂરતા સાધનો નથી. બધુ પ્રાઈવેટ થઈ ગયું. એવો ખાનગીકરણનો વ્યાપ વધ્યો કે સામાન્ય માણસ માટે ઈલાજ કરાવવો અશક્ય લાગતું. મા અમૃત્તમ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. તે અંતર્ગત સરકારી હોસ્પિટલમાં તેમજ સરકાર સાથે જોડાયેલી હોસ્પિટલમાં સારવાર મફત કરવામાં આવશે. સરકાર તેમને પૈસા ચૂકવે છે. પરંતુ આ યોજનાનો ગેરફાયદો લોકો લેવા લાગ્યા. 



હોસ્પિટલ અને સરકાર વચ્ચે થયા છે એમઓયુ!

અનેક સમસ્યાઓ હતી આ યોજનમાં. તે બાદ આયુષ્માન કાર્ડ યોજના આવી અને જે અંતર્ગત અનેક વસ્તુઓ સુનિશ્ચિત કરવામાં આવી. આ યોજનાનો ઉપદ્દેશ્ય હતો સામાન્ય માણસ હેરાન ન થવો જોઈએ. અનેક હોસ્પિટલ વચ્ચે આ અંતર્ગત MoU કરવામાં આવ્યા. પરંતુ છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલો તેમજ ડોક્ટરોએ રજૂઆત કરી હતી નાણા ચૂકવવા માટે સરકારને. હોસ્પિટલના પેમેન્ટ ક્લિયર નથી થતા. હોસ્પિટલને લઈ પણ અનેક સમસ્યાઓ છે. 



સરકાર દ્વારા આપવામાં આવી બાંહેધરી!

સરકાર દ્વારા પરમિશન આપવામાં આવે છે અને પછી તેની સારવાર થાય છે. જો તમે પરવાનગી આપી, હોસ્પિટલે ઓપરેશન કર્યું તો હોસ્પિટલને પૈસા આપવા માટે બંધાયેલી છે. હેલ્થની યોજનાઓ પાછળ સરકાર કરોડો રૂપિયા વાપરે છે પરંતુ તે પૈસા ક્યાં જાય છે તેની ખબર નથી પડતી. સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ સરકાર જાણે ગણકારતી ન હતી તેવું લાગતું હતું પરંતુ આજે પડતર માગણીને લઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી થોડા દિવસોની અંદર નાણા ચૂકવી દેવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે. તે ઉપરાંત ક્લેમ વખતે કરવામાં આવતા રિજેક્શન, ડીડક્શન અને અન્ય પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલીક રીતે નિરાકરણનું સમાધાન આવે તેની ચર્ચા આજે મળેલી બેઠકમાં કરવામાં આવી.


સારવાર ચાલુ રાખવાનો કરાયો નિર્ણય!

સરકાર દ્વારા આપવામાં આવેલી બાંહેધરી પ્રમાણે કાર્ય જશે, પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવશે એવી આશા સાથે દરેક હોસ્પિટલ નિયમિતપણ પીએમજય યોજના હેઠળ 26થી 29 ફેબ્રુઆરી દરમિયાન સારવાર ચાલુ રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.