મોરબી દુર્ઘટનાને લઈ ગુજરાત હાઈકોર્ટેની સરકારને ફટકાર, તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન કરવાનો આપ્યો આદેશ


  • Published By :
  • Published Date : 2022-11-24 17:05:39

દિવાળીના તહેવારો દરમિયાન મોરબીમાં હોનારત સર્જાઈ હતી. મચ્છુ નદી પર આવેલો ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. જેમાં લગભગ 135 લોકોના જીવ ગયા હતા. ખૂલતાની સાથે જ થોડા દિવસો બાદ આ પુલ તૂટી પડ્યો હતો. આ કેસની સુનાવણી હાલ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે. આ ઘટના ફરી એક વખત ન બને તે માટે રાજ્ય સરકારને તમામ બ્રિજના સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને હાઈકોર્ટે આ તમામ બ્રિજોની યાદી પણ મંગાવી છે. સરકારે મૃતકોના પરિવારને વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. જેને બમણી કરવામાં આવે તેવો નિર્દેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે. 

કેવી રીતે બની હતી ઘટના?

30 ઓક્ટોબરના રોજ મોરબીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. દિવાળીના તહેવારોને મજા માણવા લોકો મચ્છુ નદી પર બનેલા બ્રિજ પર ગયા હતા. પરંતુ અચાનક આ બ્રિજ તૂટી પડતા અનેક લોકો પાણીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનાને કારણે તંત્રની અને સરકારની બહુ ટીકાઓ થઈ હતી. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે આ દુર્ઘટના બાદ એવી પ્રતિક્રિયા આપી હતી કે અમારી પરવાનગી વગર બ્રિજ ખુલ્લો મૂકાયો હતો. ઉપરાંત આ કેસમાં જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી છે તે નાના માણસો છે. તંત્ર દ્વારા હજી સુધી ઓરેવા કંપીનાના માલિકની પૂછપરછ નથી કરી. 

મોરબી પુલ દુર્ઘટના : 'મેં 15 મૃતદેહો દોરડાથી બાંધીને બહાર કાઢ્યા' મચ્છુ  નદીમાંથી લોકોને બચાવનારની આપવીતી - BBC News ગુજરાતી

મોરબી બ્રિજ દુર્ઘટના Archives - ગુજરાત તક

હાઈકોર્ટે મંગાવી તમામ બ્રિજોની યાદી

આ ઘટનામાં અનેક લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થઈ રહી છે અને સુપ્રીમ કોર્ટમાં પણ થઈ રહી છે. ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. અને આવી દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે હાઈકોર્ટે તમામ બ્રિજની યાદી મંગાવી છે જેવાં બ્રિજનો સર્વે કરવામાં આવશે અને તેમની સ્થિતિનો વિશેનો રિપોર્ટ 10 દિવસની અંદર કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે. 

વળતર વધારવા કોર્ટનું સૂચન 

આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના વળતરને વધારવામાં આવે તેવી ટકોર કરી છે. સરકાર દ્વારા હાલ મૃતકોને ચાર લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોનો પચાસ હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ વળતર રકમને વધારવા કોર્ટે સરકારને સૂચવ્યું છે. કોર્ટની સૂચના પ્રમાણે મૃતકના પરિવારને 10 લાખની સહાય તેમજ ઈજાગ્રસ્તોને પણ વધારે સહાય ચૂકવવાનું સૂચન આપ્યું છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.