મોરબી દુર્ઘટનાને લઈ ગુજરાત હાઈકોર્ટેની સરકારને ફટકાર, તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન કરવાનો આપ્યો આદેશ


  • Published By :
  • Published Date : 2022-11-24 17:05:39

દિવાળીના તહેવારો દરમિયાન મોરબીમાં હોનારત સર્જાઈ હતી. મચ્છુ નદી પર આવેલો ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. જેમાં લગભગ 135 લોકોના જીવ ગયા હતા. ખૂલતાની સાથે જ થોડા દિવસો બાદ આ પુલ તૂટી પડ્યો હતો. આ કેસની સુનાવણી હાલ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે. આ ઘટના ફરી એક વખત ન બને તે માટે રાજ્ય સરકારને તમામ બ્રિજના સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને હાઈકોર્ટે આ તમામ બ્રિજોની યાદી પણ મંગાવી છે. સરકારે મૃતકોના પરિવારને વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. જેને બમણી કરવામાં આવે તેવો નિર્દેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે. 

કેવી રીતે બની હતી ઘટના?

30 ઓક્ટોબરના રોજ મોરબીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. દિવાળીના તહેવારોને મજા માણવા લોકો મચ્છુ નદી પર બનેલા બ્રિજ પર ગયા હતા. પરંતુ અચાનક આ બ્રિજ તૂટી પડતા અનેક લોકો પાણીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનાને કારણે તંત્રની અને સરકારની બહુ ટીકાઓ થઈ હતી. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે આ દુર્ઘટના બાદ એવી પ્રતિક્રિયા આપી હતી કે અમારી પરવાનગી વગર બ્રિજ ખુલ્લો મૂકાયો હતો. ઉપરાંત આ કેસમાં જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી છે તે નાના માણસો છે. તંત્ર દ્વારા હજી સુધી ઓરેવા કંપીનાના માલિકની પૂછપરછ નથી કરી. 

મોરબી પુલ દુર્ઘટના : 'મેં 15 મૃતદેહો દોરડાથી બાંધીને બહાર કાઢ્યા' મચ્છુ  નદીમાંથી લોકોને બચાવનારની આપવીતી - BBC News ગુજરાતી

મોરબી બ્રિજ દુર્ઘટના Archives - ગુજરાત તક

હાઈકોર્ટે મંગાવી તમામ બ્રિજોની યાદી

આ ઘટનામાં અનેક લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થઈ રહી છે અને સુપ્રીમ કોર્ટમાં પણ થઈ રહી છે. ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. અને આવી દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે હાઈકોર્ટે તમામ બ્રિજની યાદી મંગાવી છે જેવાં બ્રિજનો સર્વે કરવામાં આવશે અને તેમની સ્થિતિનો વિશેનો રિપોર્ટ 10 દિવસની અંદર કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે. 

વળતર વધારવા કોર્ટનું સૂચન 

આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના વળતરને વધારવામાં આવે તેવી ટકોર કરી છે. સરકાર દ્વારા હાલ મૃતકોને ચાર લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોનો પચાસ હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ વળતર રકમને વધારવા કોર્ટે સરકારને સૂચવ્યું છે. કોર્ટની સૂચના પ્રમાણે મૃતકના પરિવારને 10 લાખની સહાય તેમજ ઈજાગ્રસ્તોને પણ વધારે સહાય ચૂકવવાનું સૂચન આપ્યું છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.