મોરબી દુર્ઘટનાને લઈ ગુજરાત હાઈકોર્ટેની સરકારને ફટકાર, તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન કરવાનો આપ્યો આદેશ


  • Published By :
  • Published Date : 2022-11-24 17:05:39

દિવાળીના તહેવારો દરમિયાન મોરબીમાં હોનારત સર્જાઈ હતી. મચ્છુ નદી પર આવેલો ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. જેમાં લગભગ 135 લોકોના જીવ ગયા હતા. ખૂલતાની સાથે જ થોડા દિવસો બાદ આ પુલ તૂટી પડ્યો હતો. આ કેસની સુનાવણી હાલ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે. આ ઘટના ફરી એક વખત ન બને તે માટે રાજ્ય સરકારને તમામ બ્રિજના સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને હાઈકોર્ટે આ તમામ બ્રિજોની યાદી પણ મંગાવી છે. સરકારે મૃતકોના પરિવારને વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. જેને બમણી કરવામાં આવે તેવો નિર્દેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે. 

કેવી રીતે બની હતી ઘટના?

30 ઓક્ટોબરના રોજ મોરબીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. દિવાળીના તહેવારોને મજા માણવા લોકો મચ્છુ નદી પર બનેલા બ્રિજ પર ગયા હતા. પરંતુ અચાનક આ બ્રિજ તૂટી પડતા અનેક લોકો પાણીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનાને કારણે તંત્રની અને સરકારની બહુ ટીકાઓ થઈ હતી. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે આ દુર્ઘટના બાદ એવી પ્રતિક્રિયા આપી હતી કે અમારી પરવાનગી વગર બ્રિજ ખુલ્લો મૂકાયો હતો. ઉપરાંત આ કેસમાં જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી છે તે નાના માણસો છે. તંત્ર દ્વારા હજી સુધી ઓરેવા કંપીનાના માલિકની પૂછપરછ નથી કરી. 

મોરબી પુલ દુર્ઘટના : 'મેં 15 મૃતદેહો દોરડાથી બાંધીને બહાર કાઢ્યા' મચ્છુ  નદીમાંથી લોકોને બચાવનારની આપવીતી - BBC News ગુજરાતી

મોરબી બ્રિજ દુર્ઘટના Archives - ગુજરાત તક

હાઈકોર્ટે મંગાવી તમામ બ્રિજોની યાદી

આ ઘટનામાં અનેક લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં થઈ રહી છે અને સુપ્રીમ કોર્ટમાં પણ થઈ રહી છે. ગુજરાત હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. અને આવી દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે હાઈકોર્ટે તમામ બ્રિજની યાદી મંગાવી છે જેવાં બ્રિજનો સર્વે કરવામાં આવશે અને તેમની સ્થિતિનો વિશેનો રિપોર્ટ 10 દિવસની અંદર કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે. 

વળતર વધારવા કોર્ટનું સૂચન 

આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના વળતરને વધારવામાં આવે તેવી ટકોર કરી છે. સરકાર દ્વારા હાલ મૃતકોને ચાર લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોનો પચાસ હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ વળતર રકમને વધારવા કોર્ટે સરકારને સૂચવ્યું છે. કોર્ટની સૂચના પ્રમાણે મૃતકના પરિવારને 10 લાખની સહાય તેમજ ઈજાગ્રસ્તોને પણ વધારે સહાય ચૂકવવાનું સૂચન આપ્યું છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.