ગોંડલમાં બે જર્જરીત બ્રિજના સમારકામ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારને લગાવી ફટકાર, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-11-03 15:48:45

રાજ્યના ખખડધજ પુલોને લઈ ગુજરાત હાઈકોર્ટે આકરૂ વલણ અખત્યાર કર્યું છે. મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 જેટલા નિર્દોષ લોકોના મોત થતા હાઈકોર્ટ રાજ્યના અન્ય જર્જરીત પુલોને મામલે સરકારને ફટકાર લગાવી હતી. રાજકોટ જિલ્લાના ગોંડલમાં બે બ્રિજ આવેલા છે. જે ભગવત સિંહજીનાં સમયમાં બંધાયેલા છે અને 100થી 125 વર્ષ જૂના બ્રિજ છે. જેની હાલતને લઈને યતીશ દેસાઈ દ્વારા એડવોકેટ રથીન રાવલ મારફતે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેની ઉપર આજે વધુ સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેન્ચ સમક્ષ હાથ ધરાઈ હતી. 


125 વર્ષ જૂના બ્રિજને લઈને હાઈકોર્ટમાં અરજી 


ગોંડલના ઘોઘાવદર ચોકથી પાંજરાપોળ અને હોસ્પિટલ ચોકથી મોંઘીબા સ્કૂલ પાસે આવેલા બ્રિજને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગોંડલના જર્જરિત હેરિટેજ બ્રિજ મામલે મહત્વનો ખુલાસો થયો છે. ગોંડલના 2 સદી જૂના બ્રિજોની મરામતમાં અધિકારીઓની બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મૂકાયા છે. માનવ જીવનને હાની થાય તે પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહિ તેવી હાઈકોર્ટે ઝાટકાણી કાઢી હતી. બ્રિજ બંધ કરી શકાય તેવી સ્થતિ નહીં હોવાની રજૂઆત નગરપાલિકાએ કરી તેની કોર્ટે નોંધ લીધી હતી. નગરપાલિકાએ એક વર્ષ પહેલા જાણ કરવા છતા રાજ્ય સરકારે કોઈ અસરકારક પગલાં ન લેતા અંતે આ મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે પણ ઐતિહાસિક બ્રિજની હાલત ખરાબ હોવાની કબૂલાત હાઈકોર્ટ સમક્ષ કરી હતી.


એક્સપર્ટ કમિટીએ આપ્યો આ ઓપિનિયન  


રાજ્ય સરકારે મંગાવેલા એક્સપર્ટ ઓપિનિયન મામલે પણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. ઓવરબ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવવા પણ દરખાસ્ત કરવામાં આવી હતી. જ્યારે બ્રિજ પર થી માત્ર ટુ વ્હીલર માટે બ્રિજ ખુલ્લો રાખવામાં આવે એવી ભલામણ કમિટિએ રજૂ કરી હતી. હેરિટેજ બ્રિજને તાત્કાલિક ધોરણે સંપૂર્ણ સમારકામની જરૂર હોવાનો એક્સપર્ટ ઓપીનીયન રિપોર્ટ હોવાનુ પણ સામે આવ્યુ હતુ. જે મુજબ સમારકામ બાદ પણ દર 15 દિવસે સમયાંતરે બ્રિજનું ચેકિંગ કરવા પણ કમિટીનો અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો હતો. અગાઉ ગુજરાત હાઇકોર્ટે બ્રિજ મામલે રાજ્ય સરકાર પાસે એક્સપર્ટ ઓપિનિયન મંગાવ્યો હતો. ભગવત સિંહજીનાં સમયમાં બંધાયેલ 100 થી 125 વર્ષ જૂના બ્રિજને લઈને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.