WHOના વડાએ કરી લીધી નવરાત્રીની તૈયારી! G-20 બેઠક માટે ગુજરાત આવેલા વડા ગરબે ઘૂમ્યા, પીએમ મોદીએ આપ્યું નવું નામ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-17 11:13:46

ગુજરાતના ગરબા વિશ્વ પ્રખ્યાત છે. જ્યાં જ્યાં ગુજરાતી હોય ત્યાં ત્યાં વાર તહેવારે ગરબાની રમઝટ જોવા મળતી હોય છે. કોઈ પણ પ્રસંગ હોય અને તેમાં ગરબા ન થાય તો તે પ્રસંગ અધૂરો લાગે છે. ગુજરાતમાં જ્યારે જ્યારે કોઈ વિદેશી મહેમાન આવે છે ત્યારે તેઓ ગરબાના તાલે ઝૂમતા દેખાય છે. મહેમાન ભલેને ગમે તે દેશના હોય પરંતુ ગુજરાતીઓ તેમને ગરબાના તાલે ઘૂમાવતા હોય છે. 

જી-20 સમિટમાં ભાગ લેવા વિદેશથી આવી રહ્યા છે મહેમાન 

હાલ ભારતમાં જી 20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાઓ પર આની મીટિંગોનું આયોજન કરવામાં આવતું હોય છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ જી 20ની બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમિટમાં ભાગ લેવા દેશ વિદેશથી મહેમાનો ભારત આવી રહ્યા છે. ગુજરાતની પણ મુલાકાત પણ લઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાન એટલે કે WHOના વડા પણ હાજર હતા. 

પીએમ મોદીએ ટ્વિટ કર્યો ગરબે ઘૂમતા WHOના વડાનો વીડિયો  

ગાંધીનગર આવેલા  ડબલ્યુએચઓના વડા ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસીસ ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. ગરબે ગુમતા ડો.નો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી હતી અને લખ્યું હતું કે, ‘મારા મિત્ર તુલસીભાઈ નવરાત્રિ માટે તૈયારી કરીને આવ્યા છે. ભારતમાં તેમનું સ્વાગત છે.’મહત્વનું છે કે કોઈ પણ મહેમાન ગુજરાતની મુલાકાતે આવે છે તે ગરબે કરતા જોવા મળતા હોય છે. 


જી-20ની બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા છે વડા 

ટેડ્રોસ ગુજરાતના ગાંધીનગરમાં બે દિવસીય ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટમાં સામેલ થવા માટે ગઈ કાલે  સવારે ભારત પહોંચ્યા હતા. G20 આરોગ્ય મંત્રી સ્તરની બેઠક સાથે આ સમિટ યોજાશે, તે એવિડન્સ અને લર્નિંગ, ડેટા અને નિયમન, જૈવવિવિધતા અને નવીનતા અને ડિજિટલ સ્વાસ્થ્યની મુખ્ય થીમ્સ પર કેન્દ્રિત છે. પણ એ બધું ઠીક પણ ગુજરાત આવ્યા એટલે ગરબા તો કરવા જ પડે એમ whoના વડા પણ ગરબાના તાલે તાલે મિલાવ્યો!  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.