WHOના વડાએ કરી લીધી નવરાત્રીની તૈયારી! G-20 બેઠક માટે ગુજરાત આવેલા વડા ગરબે ઘૂમ્યા, પીએમ મોદીએ આપ્યું નવું નામ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-08-17 11:13:46

ગુજરાતના ગરબા વિશ્વ પ્રખ્યાત છે. જ્યાં જ્યાં ગુજરાતી હોય ત્યાં ત્યાં વાર તહેવારે ગરબાની રમઝટ જોવા મળતી હોય છે. કોઈ પણ પ્રસંગ હોય અને તેમાં ગરબા ન થાય તો તે પ્રસંગ અધૂરો લાગે છે. ગુજરાતમાં જ્યારે જ્યારે કોઈ વિદેશી મહેમાન આવે છે ત્યારે તેઓ ગરબાના તાલે ઝૂમતા દેખાય છે. મહેમાન ભલેને ગમે તે દેશના હોય પરંતુ ગુજરાતીઓ તેમને ગરબાના તાલે ઘૂમાવતા હોય છે. 

જી-20 સમિટમાં ભાગ લેવા વિદેશથી આવી રહ્યા છે મહેમાન 

હાલ ભારતમાં જી 20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાઓ પર આની મીટિંગોનું આયોજન કરવામાં આવતું હોય છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ જી 20ની બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમિટમાં ભાગ લેવા દેશ વિદેશથી મહેમાનો ભારત આવી રહ્યા છે. ગુજરાતની પણ મુલાકાત પણ લઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાન એટલે કે WHOના વડા પણ હાજર હતા. 

પીએમ મોદીએ ટ્વિટ કર્યો ગરબે ઘૂમતા WHOના વડાનો વીડિયો  

ગાંધીનગર આવેલા  ડબલ્યુએચઓના વડા ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસીસ ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. ગરબે ગુમતા ડો.નો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી હતી અને લખ્યું હતું કે, ‘મારા મિત્ર તુલસીભાઈ નવરાત્રિ માટે તૈયારી કરીને આવ્યા છે. ભારતમાં તેમનું સ્વાગત છે.’મહત્વનું છે કે કોઈ પણ મહેમાન ગુજરાતની મુલાકાતે આવે છે તે ગરબે કરતા જોવા મળતા હોય છે. 


જી-20ની બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા છે વડા 

ટેડ્રોસ ગુજરાતના ગાંધીનગરમાં બે દિવસીય ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટમાં સામેલ થવા માટે ગઈ કાલે  સવારે ભારત પહોંચ્યા હતા. G20 આરોગ્ય મંત્રી સ્તરની બેઠક સાથે આ સમિટ યોજાશે, તે એવિડન્સ અને લર્નિંગ, ડેટા અને નિયમન, જૈવવિવિધતા અને નવીનતા અને ડિજિટલ સ્વાસ્થ્યની મુખ્ય થીમ્સ પર કેન્દ્રિત છે. પણ એ બધું ઠીક પણ ગુજરાત આવ્યા એટલે ગરબા તો કરવા જ પડે એમ whoના વડા પણ ગરબાના તાલે તાલે મિલાવ્યો!  




જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.