મોરબી દુર્ઘટના અંગે હાઈકોર્ટમાં હાથ ધરાઈ હતી સુનાવણી, કોર્ટે સરકારને પૂછ્યા અનેક સવાલ


  • Published By :
  • Published Date : 2023-01-25 19:09:59

દિવાળીના સમયે મોરબીનો ઝૂલતા બ્રિજ તૂટી પડ્યો હતો. આ હોનારતમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનાની અનેક ટીકાઓ થઈ હતી. થોડા સમય પહેલા ઓરેવા ગ્રૃપના માલિક જયસુખ પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ અને લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે હાઈકોર્ટમાં મોરબી દુર્ઘટના અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન વકીલ મારફતે જયસુખ પટેલે કહ્યું કે દુર્ઘટનામાં 134 લોકોના મોતનો અમને પણ અફસોસ છે આ બ્રિજના સંચાલન પાછળ અમારો વેપારી ઈરાદો ન હતો. 


કોર્ટે સરકારને પૂછ્યા અનેક સવાલ 

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાને કારણે હોનારત સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાને કારણે અનેક પરિવાર વિખેરાઈ ગયા હતા. દિવાળીનો તહેવાર માતમાં ફેરવાઈ ગયો હતો. ત્યારે મોરબી બ્રિજની દુર્ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા અનેક ગંભીર પ્રશ્નો પૂછ્યા હતા. બ્રિજ તૂટયા બાદ સરકારે શું કાર્યવાહી કરી? 


શું કાર્યવાહી કરી તે અંગે માંગ્યો જવાબ     

રાજ્ય સરકારનો પક્ષ એડવોકેટ જનરલે મૂક્યો હતો. સરકાર વતી જવાબ આપતા તેમણે કહ્યું કે રાજ્યમાં કોર્પોરેશનની હદમાં કુલ 168 મેજર બ્રિજ છે જ્યારે 180 જેટલા માઈનોર બ્રિજ છે. જે અંતર્ગત 63 બ્રિજને રિપેરિંગની જરૂર છે. તે સિવાય સરકારને પ્રશ્ન પૂછ્યો કે જ્યારે ખાનગી કંપનીએ બ્રિજનું ઉદ્ધાટન કર્યું અને જનતા માટે બ્રિજને ખુલ્લો મૂક્યો ત્યારે સરકાર શું કરતી હતી.? 


વહેલી તકે વળતર આપવાની તૈયારી દર્શાવી   

તે સિવાય બ્રિજનું રિપેરીંગનું કામ કરનાર ઓરેવા કંપનીની પણ ઝાટકણી કાઢી હતી. કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ઓરેવા કંપનીના માલિકે મૃતકોને ઉંમર પ્રમાણે સરકારી ધારાધોરણ મુજબ વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. હાઈકોર્ટે એવું પણ નોંધ્યું કે ઓરેવા કંપની દ્વારા મૃતકોના વારસદારો અને ઘાયલોને વળતર ચૂકવે તેની અસર તપાસ કરી રહેલી કમિટી પર નહીં થાય. આ તપાસ યથાવત રહેશે. દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના વારસદારો તેમજ ઈજાગ્રસ્તોને વહેલી તકે વળતર આપવામાં આવે.    

    



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.