મોરબી દુર્ઘટના અંગે હાઈકોર્ટમાં હાથ ધરાઈ હતી સુનાવણી, કોર્ટે સરકારને પૂછ્યા અનેક સવાલ


  • Published By :
  • Published Date : 2023-01-25 19:09:59

દિવાળીના સમયે મોરબીનો ઝૂલતા બ્રિજ તૂટી પડ્યો હતો. આ હોનારતમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. આ ઘટનાની અનેક ટીકાઓ થઈ હતી. થોડા સમય પહેલા ઓરેવા ગ્રૃપના માલિક જયસુખ પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ અને લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે હાઈકોર્ટમાં મોરબી દુર્ઘટના અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન વકીલ મારફતે જયસુખ પટેલે કહ્યું કે દુર્ઘટનામાં 134 લોકોના મોતનો અમને પણ અફસોસ છે આ બ્રિજના સંચાલન પાછળ અમારો વેપારી ઈરાદો ન હતો. 


કોર્ટે સરકારને પૂછ્યા અનેક સવાલ 

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાને કારણે હોનારત સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનાને કારણે અનેક પરિવાર વિખેરાઈ ગયા હતા. દિવાળીનો તહેવાર માતમાં ફેરવાઈ ગયો હતો. ત્યારે મોરબી બ્રિજની દુર્ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા અનેક ગંભીર પ્રશ્નો પૂછ્યા હતા. બ્રિજ તૂટયા બાદ સરકારે શું કાર્યવાહી કરી? 


શું કાર્યવાહી કરી તે અંગે માંગ્યો જવાબ     

રાજ્ય સરકારનો પક્ષ એડવોકેટ જનરલે મૂક્યો હતો. સરકાર વતી જવાબ આપતા તેમણે કહ્યું કે રાજ્યમાં કોર્પોરેશનની હદમાં કુલ 168 મેજર બ્રિજ છે જ્યારે 180 જેટલા માઈનોર બ્રિજ છે. જે અંતર્ગત 63 બ્રિજને રિપેરિંગની જરૂર છે. તે સિવાય સરકારને પ્રશ્ન પૂછ્યો કે જ્યારે ખાનગી કંપનીએ બ્રિજનું ઉદ્ધાટન કર્યું અને જનતા માટે બ્રિજને ખુલ્લો મૂક્યો ત્યારે સરકાર શું કરતી હતી.? 


વહેલી તકે વળતર આપવાની તૈયારી દર્શાવી   

તે સિવાય બ્રિજનું રિપેરીંગનું કામ કરનાર ઓરેવા કંપનીની પણ ઝાટકણી કાઢી હતી. કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ઓરેવા કંપનીના માલિકે મૃતકોને ઉંમર પ્રમાણે સરકારી ધારાધોરણ મુજબ વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. હાઈકોર્ટે એવું પણ નોંધ્યું કે ઓરેવા કંપની દ્વારા મૃતકોના વારસદારો અને ઘાયલોને વળતર ચૂકવે તેની અસર તપાસ કરી રહેલી કમિટી પર નહીં થાય. આ તપાસ યથાવત રહેશે. દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના વારસદારો તેમજ ઈજાગ્રસ્તોને વહેલી તકે વળતર આપવામાં આવે.    

    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.