આ વખતની ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો! Paresh Goswamiએ ગરમીને લઈ શું કરી આગાહી, જાણો કેવું રહેશે આવનાર દિવસોમાં હવામાન?


  • Published By :
  • Published Date : 2024-04-30 18:43:00

ગુજરાતીઓને આકરો તાપ વેઠવાનો વારો આવ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. એક તરફ રાજ્યનું રાજકારણ ગરમાઈ રહ્યું છે તો બીજી તરફ હવામાનમાં ગરમાવો આવી રહ્યો છે. આગામી દિવસો માટે હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે અને જે મુજબ અનેક ભાગોમાં આકરી ગરમી પડી શકે છે.... ના માત્ર હવામાન વિભાગ દ્વારા પરંતુ હવામાન નિષ્ણાંતો દ્વારા પણ ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે..  હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે 2024ના એપ્રિલ મહિનામાં પડેલી ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે... 


 

હિટવેવની કરાઈ છે હવામાન વિભાગ દ્વારા આગાહી

એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી વેઠવાનો વારો આવ્યો હતો. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ વર્ષે આકરી ગરમી પડશે તેવી આગાહી કરાઈ હતી અને તે આગાહી સાચી સાબિત થતી લાગે છે.. આગામી દિવસોમાં આ તાપમાનનો પારો સતત વધશે તેવી આગાહી કરવામાં આવી છે.. એપ્રિલ મહિનામાં પડેલી ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે તેવી વાત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીનો વધારે પ્રકોપ સહન કરવા તૈયાર રહેવું પડશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે..


ક્યાં કેટલું નોંધાઈ શકે છે તાપમાન? 

રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે. 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાવું જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગે છે.. રાજ્યના અનેક ભાગોમાં 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાય છે. આગામી દિવસોમાં કેવી ગરમી પડશે તેની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કવરામાં આવી છે. 2, 3 અને 4 મે ના રોજ તાપમાન 41 થી 44 ડિગ્રી સુધીનું રહી શકે છે તેવી સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ , અમરેલી ,અમદાવાદ , નડિયાદ , કપડવંજ , ઈડર , ખેડબ્રહ્મા ,હિંમતનગર અને કચ્છના અમુક વિસ્તારમાં 44 ડિગ્રીથી વધુ ગરમીની શક્યતા છે. મે મહિનામાં પણ વર્ષોના રેકોર્ડ તૂટે  તેવી ગરમી પડવાની શક્યતા છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે