આ વખતની ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો! Paresh Goswamiએ ગરમીને લઈ શું કરી આગાહી, જાણો કેવું રહેશે આવનાર દિવસોમાં હવામાન?


  • Published By :
  • Published Date : 2024-04-30 18:43:00

ગુજરાતીઓને આકરો તાપ વેઠવાનો વારો આવ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. એક તરફ રાજ્યનું રાજકારણ ગરમાઈ રહ્યું છે તો બીજી તરફ હવામાનમાં ગરમાવો આવી રહ્યો છે. આગામી દિવસો માટે હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે અને જે મુજબ અનેક ભાગોમાં આકરી ગરમી પડી શકે છે.... ના માત્ર હવામાન વિભાગ દ્વારા પરંતુ હવામાન નિષ્ણાંતો દ્વારા પણ ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે..  હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે 2024ના એપ્રિલ મહિનામાં પડેલી ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે... 


 

હિટવેવની કરાઈ છે હવામાન વિભાગ દ્વારા આગાહી

એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી વેઠવાનો વારો આવ્યો હતો. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ વર્ષે આકરી ગરમી પડશે તેવી આગાહી કરાઈ હતી અને તે આગાહી સાચી સાબિત થતી લાગે છે.. આગામી દિવસોમાં આ તાપમાનનો પારો સતત વધશે તેવી આગાહી કરવામાં આવી છે.. એપ્રિલ મહિનામાં પડેલી ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે તેવી વાત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીનો વધારે પ્રકોપ સહન કરવા તૈયાર રહેવું પડશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે..


ક્યાં કેટલું નોંધાઈ શકે છે તાપમાન? 

રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે. 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાવું જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગે છે.. રાજ્યના અનેક ભાગોમાં 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાય છે. આગામી દિવસોમાં કેવી ગરમી પડશે તેની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કવરામાં આવી છે. 2, 3 અને 4 મે ના રોજ તાપમાન 41 થી 44 ડિગ્રી સુધીનું રહી શકે છે તેવી સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ , અમરેલી ,અમદાવાદ , નડિયાદ , કપડવંજ , ઈડર , ખેડબ્રહ્મા ,હિંમતનગર અને કચ્છના અમુક વિસ્તારમાં 44 ડિગ્રીથી વધુ ગરમીની શક્યતા છે. મે મહિનામાં પણ વર્ષોના રેકોર્ડ તૂટે  તેવી ગરમી પડવાની શક્યતા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.