આ વખતની ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો! Paresh Goswamiએ ગરમીને લઈ શું કરી આગાહી, જાણો કેવું રહેશે આવનાર દિવસોમાં હવામાન?


  • Published By :
  • Published Date : 2024-04-30 18:43:00

ગુજરાતીઓને આકરો તાપ વેઠવાનો વારો આવ્યો છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે.. એક તરફ રાજ્યનું રાજકારણ ગરમાઈ રહ્યું છે તો બીજી તરફ હવામાનમાં ગરમાવો આવી રહ્યો છે. આગામી દિવસો માટે હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે અને જે મુજબ અનેક ભાગોમાં આકરી ગરમી પડી શકે છે.... ના માત્ર હવામાન વિભાગ દ્વારા પરંતુ હવામાન નિષ્ણાંતો દ્વારા પણ ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે..  હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે 2024ના એપ્રિલ મહિનામાં પડેલી ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે... 


 

હિટવેવની કરાઈ છે હવામાન વિભાગ દ્વારા આગાહી

એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી વેઠવાનો વારો આવ્યો હતો. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ વર્ષે આકરી ગરમી પડશે તેવી આગાહી કરાઈ હતી અને તે આગાહી સાચી સાબિત થતી લાગે છે.. આગામી દિવસોમાં આ તાપમાનનો પારો સતત વધશે તેવી આગાહી કરવામાં આવી છે.. એપ્રિલ મહિનામાં પડેલી ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે તેવી વાત હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીનો વધારે પ્રકોપ સહન કરવા તૈયાર રહેવું પડશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે..


ક્યાં કેટલું નોંધાઈ શકે છે તાપમાન? 

રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે. 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાવું જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગે છે.. રાજ્યના અનેક ભાગોમાં 40 ડિગ્રીને પાર તાપમાન નોંધાય છે. આગામી દિવસોમાં કેવી ગરમી પડશે તેની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કવરામાં આવી છે. 2, 3 અને 4 મે ના રોજ તાપમાન 41 થી 44 ડિગ્રી સુધીનું રહી શકે છે તેવી સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ , અમરેલી ,અમદાવાદ , નડિયાદ , કપડવંજ , ઈડર , ખેડબ્રહ્મા ,હિંમતનગર અને કચ્છના અમુક વિસ્તારમાં 44 ડિગ્રીથી વધુ ગરમીની શક્યતા છે. મે મહિનામાં પણ વર્ષોના રેકોર્ડ તૂટે  તેવી ગરમી પડવાની શક્યતા છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.