આગામી દિવસોમાં વધશે ગરમીનો પ્રકોપ! રાજ્યમાં હીટવેવ અને કમોસમી વરસાદને લઈ શું કરવામાં આવી છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-11 12:51:03

તાપમાન ગમે ત્યારે પોતાનો રંગ બદલી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. કોઈ વખત કમોસમી વરસાદ વરસે છે તો કોઈ વખત કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોંકારી ઉઠે છે. શિયાળા દરમિયાન આ વખતે કડકડતી ઠંડી પડી હતી. શીત લહેરનો અનુભવ લોકોને થઈ રહ્યો હતો. ત્યારે ગરમી પણ આ વખતે રેકોર્ડ તોડશે તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ કમોસમી વરસાદે એન્ટ્રી કરી રહી હતી. માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં હીટવેવ તેમજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક વિસ્તારો માટે કરાઈ છે હીટવેવની આગાહી 

હવામાન વિભાગ દ્વારા બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે જ્યારે આગમી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ગરમીનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 


કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા 

થોડા દિવસો પહેલા જ કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. પાક નિષ્ફળ જવાને કારણે જગતના તાતને મોટા પાયે નુકસાન થયું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક તો બગડ્યો છે જેને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આગામી 13 અને 14 માર્ચે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરી એક વખત કુદરતનો માર વેઠવા ખેડૂતો મજબૂર બન્યા છે.      




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.