આગામી દિવસોમાં વધશે ગરમીનો પ્રકોપ! રાજ્યમાં હીટવેવ અને કમોસમી વરસાદને લઈ શું કરવામાં આવી છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-11 12:51:03

તાપમાન ગમે ત્યારે પોતાનો રંગ બદલી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. કોઈ વખત કમોસમી વરસાદ વરસે છે તો કોઈ વખત કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોંકારી ઉઠે છે. શિયાળા દરમિયાન આ વખતે કડકડતી ઠંડી પડી હતી. શીત લહેરનો અનુભવ લોકોને થઈ રહ્યો હતો. ત્યારે ગરમી પણ આ વખતે રેકોર્ડ તોડશે તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ કમોસમી વરસાદે એન્ટ્રી કરી રહી હતી. માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં હીટવેવ તેમજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક વિસ્તારો માટે કરાઈ છે હીટવેવની આગાહી 

હવામાન વિભાગ દ્વારા બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે જ્યારે આગમી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ગરમીનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 


કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા 

થોડા દિવસો પહેલા જ કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. પાક નિષ્ફળ જવાને કારણે જગતના તાતને મોટા પાયે નુકસાન થયું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક તો બગડ્યો છે જેને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આગામી 13 અને 14 માર્ચે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરી એક વખત કુદરતનો માર વેઠવા ખેડૂતો મજબૂર બન્યા છે.      




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.