આગામી દિવસોમાં વધશે ગરમીનો પ્રકોપ! રાજ્યમાં હીટવેવ અને કમોસમી વરસાદને લઈ શું કરવામાં આવી છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-11 12:51:03

તાપમાન ગમે ત્યારે પોતાનો રંગ બદલી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. કોઈ વખત કમોસમી વરસાદ વરસે છે તો કોઈ વખત કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોંકારી ઉઠે છે. શિયાળા દરમિયાન આ વખતે કડકડતી ઠંડી પડી હતી. શીત લહેરનો અનુભવ લોકોને થઈ રહ્યો હતો. ત્યારે ગરમી પણ આ વખતે રેકોર્ડ તોડશે તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ કમોસમી વરસાદે એન્ટ્રી કરી રહી હતી. માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં હીટવેવ તેમજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક વિસ્તારો માટે કરાઈ છે હીટવેવની આગાહી 

હવામાન વિભાગ દ્વારા બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે જ્યારે આગમી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ગરમીનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 


કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા 

થોડા દિવસો પહેલા જ કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. પાક નિષ્ફળ જવાને કારણે જગતના તાતને મોટા પાયે નુકસાન થયું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક તો બગડ્યો છે જેને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આગામી 13 અને 14 માર્ચે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરી એક વખત કુદરતનો માર વેઠવા ખેડૂતો મજબૂર બન્યા છે.      




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.