આગામી દિવસોમાં વધશે ગરમીનો પ્રકોપ! રાજ્યમાં હીટવેવ અને કમોસમી વરસાદને લઈ શું કરવામાં આવી છે આગાહી


  • Published By :
  • Published Date : 2023-03-11 12:51:03

તાપમાન ગમે ત્યારે પોતાનો રંગ બદલી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. કોઈ વખત કમોસમી વરસાદ વરસે છે તો કોઈ વખત કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોંકારી ઉઠે છે. શિયાળા દરમિયાન આ વખતે કડકડતી ઠંડી પડી હતી. શીત લહેરનો અનુભવ લોકોને થઈ રહ્યો હતો. ત્યારે ગરમી પણ આ વખતે રેકોર્ડ તોડશે તેવી આગાહી કરવામાં આવી છે. પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ કમોસમી વરસાદે એન્ટ્રી કરી રહી હતી. માવઠાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં હીટવેવ તેમજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 


અનેક વિસ્તારો માટે કરાઈ છે હીટવેવની આગાહી 

હવામાન વિભાગ દ્વારા બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે જ્યારે આગમી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ગરમીનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 


કમોસમી વરસાદને કારણે વધી ખેડૂતોની ચિંતા 

થોડા દિવસો પહેલા જ કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. પાક નિષ્ફળ જવાને કારણે જગતના તાતને મોટા પાયે નુકસાન થયું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક તો બગડ્યો છે જેને કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આગામી 13 અને 14 માર્ચે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરી એક વખત કુદરતનો માર વેઠવા ખેડૂતો મજબૂર બન્યા છે.      




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.