બનાસકાંઠાનું ગરમાયું રાજકારણ! ગેનીબેન ઠાકોરના ટ્વિટ બાદ બનાસકાંઠાના એસપીએ આપી પ્રતિક્રિયા, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-07-04 12:33:47

બનાસકાંઠાનું રાજકારણ અનેક વખત ગેનીબેન ઠાકોરના ટ્વિટને કારણે અથવા તો તેમના નિવેદનને કારણે ગરમાતું રહે છે. ત્યારે થોડા દિવસો પહેલા ગેનીબેને ટ્વિટ કરી હતી જેમાં બનાસકાંઠાના એસપી પર તેમણે ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજકીય ઈશારા પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ હેરાન કરવામાં આવતા હોય તેવા આરોપ લગાવ્યા હતા. ત્યારે આ મામલે હવે બનાસકાંઠાના એસપીનું નિવેદન સામે આવ્યું છે. 


કોંગ્રેસના કાર્યકર્તાઓને હેરાન કરતા હોવાનો દાવો!

બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરના જિલ્લા sp પર કરાયેલા એક ટ્વિટને લઈ મામલો ગરમાયો છે. બનાસકાંઠા એસપી કૉંગ્રેસના કાર્યકર્તાઓને રાજકીય ઈશારે દબાવતા હોવાનું ટ્વિટ ગેનીબેને કર્યું. ત્યારબાદ તેમણે ગઈ કાલે કલેકટર કચેરી પર આવેદન પત્ર પણ આપ્યું છે અને ગેની બેનએ જો આ મુદે કાર્યવાહી નહીં થાય તો જેલભરો આંદોલનની ચીમકી પણ આપી છે ગેનીબહેન ઠાકોર દ્વારા 2 જુલાઈના રોજ એક્ટ ટ્વિટ કરવામાં આવ્યું હતું. જેમાં વાવ અને થરાદના લોકોને સંબોધીને લખવામાં આવ્યું હતું કે, બનાસકાંઠા એસપી રાજકીય ઈશારા હેઠળ કૉંગ્રેસના કાર્યકરો અને આમ પ્રજાને દબાવવા સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે. ત્યારે તેની સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા માટેનો સમય પાકી ગયો છે.


કલેક્ટરને ગેનીબેન ઠાકોરે આપ્યું હતું આવેદનપત્ર

ગઈકાલે ગેનીબહેન ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર ઉપરાંત પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ અને ગુલાબસિંહ રાજપૂત સહિત કૉંગ્રેસના નેતાઓ કલેકટર કચેરી પર આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જે નેતા માટે ગેનીબેન ઠાકોરે મોરચો ખોલ્યો છે તે જે નેતા છે ઠાકરશી રબારી. કોંગ્રેસના જૂના કાર્યકર છે અને ગેનીબેન ઠાકોરના વિશ્વાસુ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે તેમની રણનીતિને કારણે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના શંકર ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો હતો. 


આ મામલે બનાસકાંઠા એસપીએ આપી પ્રતિક્રિયા

જ્યારે તેની સામે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે, જે ઠાકરશીભાઈ રબારીની વાત છે તેની સામે વર્ષ 2005 થી 2023 દરમિયાન કુલ 5 FIR નોંધાયેલી છે. જે છેલ્લી FIR નોંધાયેલી હતી તેમાં પોલીસ જે રીતે અન્ય આરોપી સામે કાર્યવાહી કરે છે તે રીતે કાર્યવાહી કરી છે. તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરાયા હતા. આ સિવાય જે આરોપી સામે ક્વોલિટી પ્રોહિબિશનનો ગુનો હોય તેની સામે પાસા ભરવામાં આવે છે. આ કેસ પણ ક્વોલિટી પ્રોહિબિશનનો હોય પોલીસે કલેકટરને પાસા મોકલી આપી છે. પોલીસે કોઈ પાર્ટીના કાર્યકર હોવાથી હેરાન કરતી નથી માત્ર તટસ્થતા અને નિષ્પક્ષતાથી કામ કરી રહી છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.