બનાસકાંઠાનું ગરમાયું રાજકારણ! ગેનીબેન ઠાકોરના ટ્વિટ બાદ બનાસકાંઠાના એસપીએ આપી પ્રતિક્રિયા, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-07-04 12:33:47

બનાસકાંઠાનું રાજકારણ અનેક વખત ગેનીબેન ઠાકોરના ટ્વિટને કારણે અથવા તો તેમના નિવેદનને કારણે ગરમાતું રહે છે. ત્યારે થોડા દિવસો પહેલા ગેનીબેને ટ્વિટ કરી હતી જેમાં બનાસકાંઠાના એસપી પર તેમણે ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજકીય ઈશારા પર કોંગ્રેસના કાર્યકર્તાઓએ હેરાન કરવામાં આવતા હોય તેવા આરોપ લગાવ્યા હતા. ત્યારે આ મામલે હવે બનાસકાંઠાના એસપીનું નિવેદન સામે આવ્યું છે. 


કોંગ્રેસના કાર્યકર્તાઓને હેરાન કરતા હોવાનો દાવો!

બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરના જિલ્લા sp પર કરાયેલા એક ટ્વિટને લઈ મામલો ગરમાયો છે. બનાસકાંઠા એસપી કૉંગ્રેસના કાર્યકર્તાઓને રાજકીય ઈશારે દબાવતા હોવાનું ટ્વિટ ગેનીબેને કર્યું. ત્યારબાદ તેમણે ગઈ કાલે કલેકટર કચેરી પર આવેદન પત્ર પણ આપ્યું છે અને ગેની બેનએ જો આ મુદે કાર્યવાહી નહીં થાય તો જેલભરો આંદોલનની ચીમકી પણ આપી છે ગેનીબહેન ઠાકોર દ્વારા 2 જુલાઈના રોજ એક્ટ ટ્વિટ કરવામાં આવ્યું હતું. જેમાં વાવ અને થરાદના લોકોને સંબોધીને લખવામાં આવ્યું હતું કે, બનાસકાંઠા એસપી રાજકીય ઈશારા હેઠળ કૉંગ્રેસના કાર્યકરો અને આમ પ્રજાને દબાવવા સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે. ત્યારે તેની સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ લડવા માટેનો સમય પાકી ગયો છે.


કલેક્ટરને ગેનીબેન ઠાકોરે આપ્યું હતું આવેદનપત્ર

ગઈકાલે ગેનીબહેન ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોર ઉપરાંત પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ અને ગુલાબસિંહ રાજપૂત સહિત કૉંગ્રેસના નેતાઓ કલેકટર કચેરી પર આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જે નેતા માટે ગેનીબેન ઠાકોરે મોરચો ખોલ્યો છે તે જે નેતા છે ઠાકરશી રબારી. કોંગ્રેસના જૂના કાર્યકર છે અને ગેનીબેન ઠાકોરના વિશ્વાસુ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે તેમની રણનીતિને કારણે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના શંકર ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો હતો. 


આ મામલે બનાસકાંઠા એસપીએ આપી પ્રતિક્રિયા

જ્યારે તેની સામે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે, જે ઠાકરશીભાઈ રબારીની વાત છે તેની સામે વર્ષ 2005 થી 2023 દરમિયાન કુલ 5 FIR નોંધાયેલી છે. જે છેલ્લી FIR નોંધાયેલી હતી તેમાં પોલીસ જે રીતે અન્ય આરોપી સામે કાર્યવાહી કરે છે તે રીતે કાર્યવાહી કરી છે. તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરાયા હતા. આ સિવાય જે આરોપી સામે ક્વોલિટી પ્રોહિબિશનનો ગુનો હોય તેની સામે પાસા ભરવામાં આવે છે. આ કેસ પણ ક્વોલિટી પ્રોહિબિશનનો હોય પોલીસે કલેકટરને પાસા મોકલી આપી છે. પોલીસે કોઈ પાર્ટીના કાર્યકર હોવાથી હેરાન કરતી નથી માત્ર તટસ્થતા અને નિષ્પક્ષતાથી કામ કરી રહી છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.