Amreliમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ટા! કાળી ચૌદસના દિવસે સંતાન પ્રાપ્તિ માટે ચઢાવવામાં આવવાની હતી પશુની બલી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-13 13:10:54

એક તરફ આપણો દેશ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે તેવા સમયે અંધશ્રદ્ધાથી પ્રેરાઈ એક વર્ગ હજુ પશુ બલી આપી રહ્યો છે. અંધશ્રદ્ધાનો વ્યાપ ફેલાઈ રહ્યો  છે. અમરેલીના બાબરામા કાળી ચૌદસ નિમીત્તે સંતાન પ્રાપ્તિની માનતાના નામે ચાર ભુવાએ બે પશુની બલી ચઢાવતા પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમે ત્રાટકી ચારેયને ઝડપી લીધા હતા. 


પુત્રની પ્રાપ્તિ માટે રાખી હતી બાધા!

આપણે ત્યાં અનેક લોકો પુત્ર થાય તે માટે માનતા રાખતા હોય છે. તેમનો વંશ વેલો આગળ વધે તે માટે સંતાન પ્રાપ્તિ માટે વાલીઓ બાધાઓ રાખે છે. અનેક લોકોને આપણે ઓળખતા હોઈશું. ત્યારે અમરેલીથી આવો જ એક કિસ્સો સામે આવ્યા છે જેમાં બે પશુની બલી ચઢાવાની હતી. પશુ બલીની આ ઘટના બાબરામા કરિયાણા રોડ પર વાલ્મિકી વાસ વિસ્તારમાં બની હતી. જ્યાં ભુવા તરીકે કામ કરતા રમેશ છના વાળોદરા ઉપરાંત અનીલ રમેશ, વિનોદ રમેશ અને અજય રમેશ નામના શખ્સો પશુઓની બલી ચઢાવવાના હતા.  


કાળી ચૌદસે પશુ બલી આપવાનું કરાયું હતું નક્કી 

આમ તો રમેશ છના વાળોદરા અહી વર્ષોથી ભુવા તરીકે કામ કરે છે અને દોરા ધાગા અને તાંત્રિક વિધી કરતો રહે છે. મહત્વની વાત તો એ છે કે રમેશ વાળોદરા વર્ષોથી ભુવો બની પશુની બલી ચડાવી રહ્યો છે અને તેણે અત્યાર સુધીમા 400થી વધુ પશુની બલી ચડાવી હોવાનુ મૌખિક કબુલ કર્યુ હતુ. વાત એમ હતી કે અજય રમેશ વાળોદરાએ પોતાને ત્યાં સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી હોય સંતાનનો જન્મ થતા કાળી ચૌદસની રાત્રે પશુ બલી આપવાનુ નક્કી કરાયુ હતુ. ધનતેરસની રાત્રે કાળી ચૌદશ બેસી જતી હોય રાત્રીના સમયે અહી બે બોકડાના માથા કાપી માતાજી સમક્ષ ધરવામા આવ્યા હતા અને ફરતે લોહીનો છંટકાવ કરાયો હતો. 


વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી

વિજ્ઞાન જાથા અને પોલીસની ટીમ જયારે બાતમીના આધારે અહી પહોંચી ત્યારે બંને બકરાના માથા, શરીરના અંગો અને ચામડા મળી આવ્યા હતા. તેમણે માનતા પુરી કરવા બંને પશુની બલી ચડાવી હોવાની કબુલાત આપી હતી. તેમની પાસેથી બલીમા વપરાયેલા છરી, ચપ્પુ વગેરે હથિયારો પણ મળી આવ્યા હતા.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.