Amreliમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ટા! કાળી ચૌદસના દિવસે સંતાન પ્રાપ્તિ માટે ચઢાવવામાં આવવાની હતી પશુની બલી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-13 13:10:54

એક તરફ આપણો દેશ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે તેવા સમયે અંધશ્રદ્ધાથી પ્રેરાઈ એક વર્ગ હજુ પશુ બલી આપી રહ્યો છે. અંધશ્રદ્ધાનો વ્યાપ ફેલાઈ રહ્યો  છે. અમરેલીના બાબરામા કાળી ચૌદસ નિમીત્તે સંતાન પ્રાપ્તિની માનતાના નામે ચાર ભુવાએ બે પશુની બલી ચઢાવતા પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમે ત્રાટકી ચારેયને ઝડપી લીધા હતા. 


પુત્રની પ્રાપ્તિ માટે રાખી હતી બાધા!

આપણે ત્યાં અનેક લોકો પુત્ર થાય તે માટે માનતા રાખતા હોય છે. તેમનો વંશ વેલો આગળ વધે તે માટે સંતાન પ્રાપ્તિ માટે વાલીઓ બાધાઓ રાખે છે. અનેક લોકોને આપણે ઓળખતા હોઈશું. ત્યારે અમરેલીથી આવો જ એક કિસ્સો સામે આવ્યા છે જેમાં બે પશુની બલી ચઢાવાની હતી. પશુ બલીની આ ઘટના બાબરામા કરિયાણા રોડ પર વાલ્મિકી વાસ વિસ્તારમાં બની હતી. જ્યાં ભુવા તરીકે કામ કરતા રમેશ છના વાળોદરા ઉપરાંત અનીલ રમેશ, વિનોદ રમેશ અને અજય રમેશ નામના શખ્સો પશુઓની બલી ચઢાવવાના હતા.  


કાળી ચૌદસે પશુ બલી આપવાનું કરાયું હતું નક્કી 

આમ તો રમેશ છના વાળોદરા અહી વર્ષોથી ભુવા તરીકે કામ કરે છે અને દોરા ધાગા અને તાંત્રિક વિધી કરતો રહે છે. મહત્વની વાત તો એ છે કે રમેશ વાળોદરા વર્ષોથી ભુવો બની પશુની બલી ચડાવી રહ્યો છે અને તેણે અત્યાર સુધીમા 400થી વધુ પશુની બલી ચડાવી હોવાનુ મૌખિક કબુલ કર્યુ હતુ. વાત એમ હતી કે અજય રમેશ વાળોદરાએ પોતાને ત્યાં સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી હોય સંતાનનો જન્મ થતા કાળી ચૌદસની રાત્રે પશુ બલી આપવાનુ નક્કી કરાયુ હતુ. ધનતેરસની રાત્રે કાળી ચૌદશ બેસી જતી હોય રાત્રીના સમયે અહી બે બોકડાના માથા કાપી માતાજી સમક્ષ ધરવામા આવ્યા હતા અને ફરતે લોહીનો છંટકાવ કરાયો હતો. 


વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી

વિજ્ઞાન જાથા અને પોલીસની ટીમ જયારે બાતમીના આધારે અહી પહોંચી ત્યારે બંને બકરાના માથા, શરીરના અંગો અને ચામડા મળી આવ્યા હતા. તેમણે માનતા પુરી કરવા બંને પશુની બલી ચડાવી હોવાની કબુલાત આપી હતી. તેમની પાસેથી બલીમા વપરાયેલા છરી, ચપ્પુ વગેરે હથિયારો પણ મળી આવ્યા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.